________________
જ્ઞાનને આચરણમાં મૂકવાનું. જે જ્ઞાન આચરણમાં મૂકાય એ જ સાર્થક છે. તેથી જ્ઞાન અને શ્રદ્ધાથી પૂર્ણ છતાં જૈનશાસનમાં પૂજનીય તો આચાર છે. પરમેષ્ઠિઓ માત્ર જ્ઞાન અને શ્રદ્ધાના કારણે જ નહિ, કિન્તુ જ્ઞાન શ્રદ્ધાસહિત આચારના કારણે પૂજનીય છે.
ગુણાનુરાગ
મોહનીયના વૈભાવિક સંસ્કારોને નાશ કરવાનું સ્વાભાવિક સામર્થ્ય ગુણાનુરાગમાં રહેલું છે. તેથી તેને જગાવનાર શ્રુત મહાશ્રુત છે. નવકા૨વડે દરેક સાધક પોતાની યોગ્યતાનુસાર વિવેકશક્તિનો વિકાસ કરી શકે છે અને ગુણાનુરાગ કેળવી શકે છે. મોહનો પ્રતિપક્ષી
મિથ્યાત્વમોહનીય જ્યાં ગુણ નથી ત્યાં ગુણભાવ પેદા કરે છે. તથા જ્યાં ગુણ છે, દોષ નથી ત્યાં અરુચિભાવ પેદા કરે છે. ધર્મ પ્રત્યે અરુચિભાવ અને અધર્મ પ્રત્યે રુચિભાવ, મોક્ષ પ્રત્યે ઉપેક્ષાભાવ અને સંસાર પ્રત્યે આદરભાવ. મોક્ષમાર્ગ, તેના સાધક અને સાધન તરફ અનાદરભાવ, સંસારમાર્ગ તેના સાધક અને સાધન તરફ આદરભાવ. સમ્યક્ત્વ, વિરતિ, અપ્રમાદ, અકષાય, અયોગ પ્રત્યે ઉદાસીનભાવ અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ પ્રત્યે આકર્ષણભાવ એ વગેરે મિથ્યાત્વ મોહનીયનું વિલસિત છે. નવકાર તેનો પ્રતિપક્ષી છે, તેથી મિથ્યાત્વમોહનીયનો નાશક છે અને સમ્યક્ત્વગુણને પ્રગટાવનાર છે.
નમસ્કારનું ફળ
રાગાદિને વશ કરવા અથવા તેમનો સમૂળનાશ ક૨વો તે નમન છે. એ નમનગુણથી અરિહંતો નમસ્કારને યોગ્ય છે. ભાવથી કરાતો અરિહંતનો નમસ્કાર જીવને હજારો ભવથી છોડાવે છે અને પુનઃ બોધિલાભ માટે થાય છે. અરિહંતો રાગાદિને નમાવનારા હોવાથી અરિહંતોને નમનારા પણ પરંપરાએ રાગાદિને નમાવનારા થાય છે. રાગાદિને નમાવવા, વશ કરવા એ અરિહંતના નમસ્કારનું પારમાર્થિક ફળ છે. શ્રીઅરિહંત
શ્રીઅરિહંતો ૧૮ દોષ રહિત છે. ચોત્રીસ અતિશય સહિત છે. પાંત્રીસવાણી ગુણથી અલંકૃત છે. અષ્ટમહાપ્રાતિહાર્યથી વિભૂષિત છે. ૬૪ ઈંદ્રો વડે પૂજિત છે. શાંત, પ્રશાંત, ઉપશાંત છે. કારુણ્યસાગર છે, ગુણના ભંડાર તથા પુણ્યના આગર છે, ત્રણ જગતની પીડા હરવાને સમર્થ છે. ત્રણ જગતના નાથ છે. ત્રણ જગતના સ્વામી છે. ત્રણ જગતના ગુરુ છે. ત્રણ જગતના પિતામહ છે. વજઋષભના૨ાચસંઘયણ, સમચતુરસ્ર સંસ્થાન ૧૦૦૮ લક્ષણોથી લક્ષિત, અનુપમ રૂપ, લાવણ્ય, બળ, વીર્ય,
૭૦ • ધર્મ અનુપ્રેક્ષા