________________
વિશ્વપ્રાણ નવકાર
(પોતાના શરણાગતને “વિશ્વપુરુષ'નો અભિષેક કરનારા વિશ્વપ્રાણ શ્રીનવકારની અચિંત્ય તારક ક્ષમતાના વિવિધ પાસાઓનું સચોટ પ્રતિપાદન તથા પંચપરમેષ્ઠિ ભગવંતોની સતત કલ્યાણભાવ મહેંકતી દિશામાં વાળનાર આ લેખ છે. સં.)
મહામંત્રનો ભાવાર્થ પરમેષ્ઠિઓને નમસ્કાર એ વિશ્વપ્રેમના મહાસિદ્ધાન્તોને અર્પલી અંજલી છે.
નમો અરિહંતાણં !', અરિતાને મિત્રતા વડે હણનારા, “નમો અરહંતાણં !” સર્વેને મિત્રતા વડે શત્રુતાને હણવાનું શીખવાડનારા માટે સર્વ પૂજય નમો અરુહંતાણં મિત્રતા વડે શત્રુતાનો નાશ કરી તથા કરાવી ભવમાં નિાં ઉત્પન્ન થનારાઓને જન્મજરા-મૃત્યુને જીતી જનારાઓને નમસ્કાર. કર્મ શત્રુને હણનારા, દ્રવ્ય કર્મ જ્ઞાનવરણાદિ અને ભાવકર્મ અશુભ રાગ-દ્વેષાદિ, માન-મત્સરાદિ, વિષય-કષાયાદિ તેનો નાશ કરનારાઓને નમસ્કાર. શુભ ભાવો વડે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો નાશ થાય છે. આ મહામંત્રનો ભાવાર્થ છે.
પંચપરમેષ્ઠિમાં નવતત્ત્વનું ધ્યાન સિદ્ધનું ધ્યાન જીવતત્ત્વનું સ્થાન છે. અજીવ તત્ત્વનું વિરોધી છે. અરિહંતનું ધ્યાન પુણ્યતત્ત્વનું ધ્યાન છે. પાપતત્ત્વનું નાશક છે. આચાર્યનું ધ્યાન સંવરતત્ત્વનું ધ્યાન છે. આશ્રવતત્ત્વનું પ્રતિબંધક છે. ઉપાધ્યાયનું ધ્યાન નિર્જરાતત્ત્વનું સ્થાન છે. બંધતત્ત્વનું નાશક છે. સાધુનું ધ્યાન મોક્ષતત્ત્વનું ધ્યાન છે. સંસારતત્ત્વનું નાશક છે.
વર્તમાન શ્રીજૈન સંઘ વર્તમાન શ્રીન સંઘ પંચપરમેષ્ઠિ ઉપર પૂર્ણ ભક્તિવાળો બનો. શ્રીઅરિહંત પરમાત્મા વિશ્વનું કલ્યાણ કરનારા છે. તેમનો બતાવેલો ધર્મ વિશ્વનું કલ્યાણ કરવા માટે છે અને તે ધર્મનું પાલન કરનારા તે હેતુ માટે એટલે વિશ્વ કલ્યાણના હેતુ માટે ધર્મ કરી રહ્યા છે, આવી જાણ જીવમાત્રને થાઓ. તેના પરિણામે અરિહંત પરમાત્મા તેમનું શાસન અને તેમના શ્રીસંઘ પ્રત્યે જીવ માત્ર આદર બહુમાનવાળા બનો.
ત્રિકાળ સ્મરણ મલીન મનને નિર્મળ બનાવીને શિવમસ્તુની ભાવનાની પરકાષ્ઠાએ પહોંચેલા શ્રીપંચપરમેષ્ઠિનું ત્રિકાળ, વિશુદ્ધ ભાવથી સ્મરણ કરવામાં આવે તો તે સ્મરણમાં કષાય,
૬૬ • ધર્મ અનપેક્ષા