SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ હે નાથ ! હે અરિહંત પરમાત્મન્ ! હું તારો પ્રેષ્ય છું, દાસ છું, સેવક છું, કિંકર છું, એ વાતમાં તમે હા પાડો, એ સિવાય હું બીજું કાંઈ માગતો નથી. નવકારના પ્રથમ પદનો જ આ ભાવાર્થ છે. વળી “નમો” “મોનું ઉલટું “” “નમો' શબ્દમાંથી “ર' કાઢી નાખી “નોને ઉલટો કરવામાં આવે તો ‘ગો' બની જાય છે. “ન'થી હું બીજું કાંઈ માગતો નથી, એમ સૂચવાય છે અને ‘ગો'થી આપ મારા દાસ્ય ભાવનો સ્વીકાર કરો, એમ પ્રાર્થાય છે. અરિહંત એ નાથવાચક છે. “નમો' ના યોગે ચતુર્થી વિભક્તિનો પ્રત્યય દાસભાવને સૂચવે છે. એ રીતે પ્રથમ પદ વડે પ્રભુના દાસભાવનો આગ્રહ અને તે સિવાય બીજા કિશાનો અનાગ્રહ સૂચવાય છે. નમો'નું ઉલટું રૂપ જોન' પણ થાય છે. મોન=મૌન એટલે મુનિપણું. અરિહંતોનું મુનિપણું મને પ્રાપ્ત થાઓ એવી ભાવના પણ નમો અરિહંતાણં' પદમાંથી નીકળી શકે છે. સમ'ના પ્રથમ અક્ષર “'માંથી “તો અને દ્વિતીય અક્ષર “T'માંથી “સમન' પદ નીકળે છે. “નH'ના પ્રથમ અક્ષર “ર'માંથી “નાડછું' અને દ્વિતીય અક્ષર “ઘ'માંથી ‘નમમ' નીકળે છે. “અરિહ’ શબ્દ ઉચ્ચ કોટીના ‘મહું એટલે આત્મભાવને સૂચવે છે અને “તાણે” રક્ષક ભાવને સૂચવે છે. ઉચ્ચ કોટીનો ‘માં’ એટલે શુદ્ધાત્મા એ જ ત્રાણ એટલે રક્ષક છે, શરણ્ય છે, એવો ભાવ પણ શ્રીનવકારના પ્રથમ પદમાંથી નીકળે છે. . “દ્ધિ' “મટું ‘મર' એ ત્રણ રૂપો ઉપરથી અરિહંતાણં | મહંતાનું અરહંતા | પદો થયા છે. ઘાતી કર્મોને જીતવાથી જેઓ જન્મને જીતી ગયા છે. આઠ કર્મનો ક્ષય કરવાથી જેઓ જન્મ અને મરણ ઉભયને જીતી ગયા છે તથા જન્મ અને મરણ જીતવાની સાથે જેઓ જીવનમાં પણ ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિનો ઉપભોગ કરીને જીવનને પણ જીતી ગયા છે, તે સર્વને શ્રીનવકારના પ્રથમ પદમાં નમસ્કાર છે. જન્મ, મરણ અને જીવન - એ ત્રણેને જીતી જનારને નમસ્કાર થાઓ. ધર્મ અનુપ્રેક્ષા • ૬૫
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy