________________
અને સ્વભાવનું મહત્વ ચિત્તવૃત્તિ ઉપર સ્થાપિત કરવાનું કાર્ય અરિહંતના નમસ્કારથી થાય છે. સ્વરૂપનો અનુભવ લેવા માટે અરિહંતનો નમસ્કાર અનિવાર્ય છે. શાસ્ત્રો સ્વરૂપ તરફ આંગળી ચીંધે છે. મંત્ર સાથે રહીને સ્વરૂપનો અનુભવ કરાવે છે. શાસ્ત્ર એ માર્ગદર્શક છે. મંત્ર એ માર્ગ સાથી છે. સ્વરૂપ એ પહોંચવાનું સ્થાન છે. ત્યાં પહોંચાડવા માટે મંત્ર મિત્રની જેમ સહાય કરે છે તથા શાસ્ત્ર દીપકની જેમ સહાય કરે છે, મંત્ર એ સુતેલી ચેતનાને જગાડે છે. શાસ્ત્ર એ ચેતનાનું મહત્ત્વ સમજાવે છે. શાસ્ત્ર શાસન વડે ત્રાણ કરે છે, મંત્ર મનન વડે ત્રાણ કરે છે. ત્રાણ ક૨વાનું સામર્થ્ય બંનેમાં છે. શાસ્ત્રનું અધ્યયન-અધ્યાપન કરવાનું હોય છે, મંત્રનું ચિંતન-મનન કરવાનું હોય છે. ચિંતન અને મનન વડે મંત્ર મનનું રક્ષણ કરે છે. અધ્યયન અને અધ્યાપન વડે શાસ્ર બુદ્ધિનું શાસન રક્ષણ કરે છે. બુદ્ધિને શુદ્ધ કરવા માટે શાસ્ત્ર છે. મનને વિકલ્પ રહિત બનાવવા માટે મંત્ર છે. શાસ્ત્ર વડે બુદ્ધિ શુદ્ધ અને સ્થિર થાય છે, પણ તેથી મનની ચંચળતા સર્વથા મટતી નથી. મંત્ર વડે મનનું સ્થિરત્વ પ્રાપ્ત.
નમો =માતાના સ્થાને અને અરિહંતાળું =પિતાના સ્થાને છે.
બંનેના સંયોગથી થતો જે શુભભાવ-ક્ષયોપશમભાવ તે ગર્ભધારણ ગણાય અને અને તેમાંથી કાલક્રમે ક્ષાયિક ભાવની પ્રાપ્તિ થાય તે પુત્ર જન્મ ગણાય. શ્રી વીરવિજયજી મહારાજે શ્રીવીર પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે, “ક્ષય ઉપશમ તે ક્ષાયિક થાય, ગર્ભવતી પ્રિયા પુત્ર જણાય' ક્ષાયિક ભાવરૂપી પુત્રની પ્રાપ્તિ માટે ક્ષયોપશમ ભાવરૂપી ગર્ભના ધારણની અપેક્ષા છે અને ક્ષયોપશમ ભાવરૂપી ગર્ભધારણ માટે પિતાના સ્થાને ઉપાસ્ય અને માતાના સ્થાને ઉપાસક એ બેનો ઉચિત સંબંધ જોઈએ છે. ઉચિત સંબંધ એટલે એકાંતમાં ભાવપૂર્વક મિલન. ઉપાસ્યનો અનુગ્રહભાવ અને ઉપાસકનો અનુરાગભાવ મળવાથી મોહનીયના ક્ષયોપશમરૂપી ગર્ભધારણ અને અનુક્રમે મોહનીયના ક્ષયરૂપી પુત્ર જન્મ થાય છે.
‘નમો' ના સ્પષ્ટ અર્થને જણાવનારું નીચેનું સુભાષિત શ્રીવીતરાગસ્તોત્રના છેલ્લા પ્રકાશમાં છે.
तव प्रेष्योऽस्मि दासोऽस्मि सेवकोऽस्म्यस्मि किंकरः । ओमिति प्रतिपद्यस्व नाथ ! नातः परं ब्रुवे ॥१॥
૬૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા