________________
સામે ગમે તેવો ભૌતિક અંતરાય એક ક્ષણવાર પણ ટકી શકતો નથી, પછી ભલે તે હિમવંત પર્વત જેવડો હોય કે સોનાના મેરુ જેટલો મોટો હોય.
નમોરૂપી સરિતા નમો'રૂપી સરિતા અરિહંતરૂપી સાગરમાં ભળે, ત્યારે નમસ્કાર સાર્થક થયો કહેવાય. નમસ્કારને ગણનાર પ્રત્યેક સમ્યગ્દષ્ટિજીવ મોક્ષરૂપી સાગરમાં પોતાની જીવરૂપી નદીને ભેળવી દઈ સ્વયં સાગરરૂપ થવાનો અભ્યાસ કરે છે. ઉદકબિંદુ સાગરમાં ભળે તો સાગર થઈ જાય છે. નમસ્કારરૂપી ઉદબિંદુ અરિહંતરૂપી સાગરમાં ભળી જાય તો અક્ષય બની જાય.
સાધુ અને શ્રાવકોનું જીવન અરિહંતાદિ પરમેષ્ઠિને નમસ્કાર ન કરનાર, વિષયોને, કષાયોને, અવિરતિ, પ્રમાદ અને અશુભ યોગોને અને તે બધાના કારણરૂપ અષ્ટ કર્મને નમી રહ્યો છે. એ નમસ્કાર અને સંસાર સાગરમાં ડૂબાડે છે. ચતુર્ગતિ પરિભ્રમણ કરાવે છે. પંચપરમેષ્ઠિને નમસ્કાર કરનાર પ્રત્યેક જીવ મોક્ષસાગર તરફ ધસે છે અને તે નમસ્કારનો ભાવ જેમ જેમ વિકસતો જાય છે, તેમ તેમ પોતાના આત્માને મોક્ષસુખના સાગરમાં ભેળવતો જાય છે. સંસાર દુઃખરૂપી ખારાજળનો સાગર છે. મોક્ષ એ સુખરૂપી મીઠા જળનો મહાસાગર છે. “નમો” એ સર્વ જીવોને આત્મતુલ્ય ગણવાનો ભાવ સિદ્ધ કરવા માટેનો શુભભાવ છે. નમો ભાવ જેને નથી મળ્યો, તેનો ભાવ સર્વ જીવોથી પોતાને જુદો પાડી અહંકારમમકાર પોષવાનો અત્યંત અશુભ હોય છે. જીવ જીવ વચ્ચે ભેદ પડાવનાર કર્મના બંધનોને મૂળમાંથી ઉખેડવા માટે જીવ-જીવ વચ્ચે અભેદ ભાવ સધાવનાર સામાયિકરૂપી સમતાભાવ અને નમસ્કારરૂપી બહુમાનનો ભાવ લાવવા સિવાય બીજો ઉપાય નથી. સમતાભાવને નમસ્કારરૂપી નમસ્કારભાવ સહિત સમતાભાવ કેળવવો એ જ ચૌદપૂર્વ અને બાર અંગના ઉપદેશનો સાર છે. સમતાભાવ પામવામાં આવતાં વિઘ્નોને વિદારવા માટે સમતાભાવને નમસ્કાર જરૂરી છે. એ રીતે અંતરાયોના નિવારણ માટે અને સમતાભાવનો અભ્યાસ કેળવવા માટે સાધુ અને શ્રાવકોનું જીવન છે.
ધર્મના ત્રણ હેતુ ભક્તિપૂર્વક પંચપરમેષ્ઠિનું સ્મરણ, ભાવથી સર્વ જીવોનું હિતચિંતન અને સર્વ પદાર્થો ઉપર મારાપણાની બુદ્ધિનો ત્યાગ એ ત્રણ ધર્મના હેતુ બને છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૬૧