________________
આકાશમાં સમાય, તેમ સાધુમાં બધા પદો સમાય. સાધુ સર્વ પદોમાં વ્યાપક, આકાર શૂન્ય.
શ્રીનવકારની અગાધશક્તિ
શ્રીનવકા૨ની આરાધના એટલે આત્મભાવની આરાધના. આત્મભાવ આવે એટલે સર્વાત્મભાવ આવે જ. શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞામાં તેઓશ્રીનો સર્વાત્મભાવ ઝળહળે છે. તેઓશ્રીએ પ્રકાશેલા નાના-મોટા પચ્ચક્ખાણો અને અનુષ્ઠાનોમાં સર્વાત્મભાવ ભરેલો છે. જેનામાં સ્વર્ગનાં સુખો આપવાની કે નરકનાં દુઃખો કાપવાની કોઈ વાતને સ્થાન નથી મળ્યું, માત્ર પાપનો નાશ અને મંગળનું પ્રદાન કરવાની અચિંત્ય શક્તિ રહેલી છે, તે શ્રીનવકારની અનન્યતમ વિશિષ્ટતા સમજવા જેવી છે. વિશ્વના ગૂઢતમ રહસ્યોની ચાવી શ્રીનવકારમાં છે. સર્વ જીવો ઉ૫૨ના સમત્વભાવ વિના સાચો નવકાર ન હોઈ શકે, સમત્વવાન્ પંચપરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે આત્મભાવ ન પ્રગટે, સર્વ જીવોના હિતની-આત્મસમભાવમૂલક હિતચિંતામાંથી જ સર્વેશ્વરપણું પ્રગટે છે. તે સર્વેશ્વરતા પ્રગટ કરવાની અગાધ શક્તિ શ્રીનવકારમાં છે. આપણી સમગ્રતાનો પંચપરમેષ્ટિ ભગવંતોને નિષ્કામભાવે હવાલો સોંપી દેવો તે છે ‘નમો'નો ભાવાર્થ. મનવચન-કાયા ઉપરના આપણા સઘળા હક્કો રાજીનામું આપે અને ત્યાં પંચપરમેષ્ઠિ ભગવંતોના સર્વજીવહિતચિંતકત્વનો મહાભાવ બેસીને પોતાનું કામ કરતો થાય, ત્યારે જ નમો શબ્દનો જાપ સાર્થક થયો ગણાય. મન પોતાનામાં સમાયેલું,ન રહે તેનું નામ ન મન. શ્રીનવકારનો ભાવ એટલે શ્રીઅરિહંતોની અસીમ કરુણાનો ભાવ. કેવળ પોતાના જ સુખનો વિચાર કરનારો આરાધક વિશ્વહિતની ભાવના ધરાવતા શ્રીતીર્થંકરદેવ કે તેઓશ્રીના જ માર્ગે અપ્રમત્તપણે ચાલનાર પંચપરમેષ્ઠિ ભગવંતો સાથે ભાવ સંબંધ બાંધી શકતો નથી. સ્વ અને સર્વના વિચાર વચ્ચે રહેલો તફાવત સ્પષ્ટ થયા વિના પંચપરમેષ્ઠિ ભગવંતની સાચી ઓળખાણ થવી શક્ય નથી.
અંતરાયનો નાશ
શ્રીનવકારનો જાપ શરૂ થાય છે એટલે મન આસ્તે આસ્તે તેના ભાવમાં સમાઈ જવા માંડે છે. એટલે કે મનનું સ્થાન શ્રીનવકારના ભાવને મળી જાય છે. મન ભાવ નમસ્કારમાં પરિણત થાય છે. એટલે મનને આધીન વિચારોમાં પણ મહાસત્ત્વ ઝળહળવા માંડે છે. વિચારોનું તે મહાસત્ત્વ આપણી સમગ્રતાને પવિત્ર કરતું કરતું વર્તનરૂપે બહાર આવે છે અને સર્વપાપપ્રણાશક ભૂમિકા આત્મા પ્રાપ્ત કરે છે. આપણી સમગ્રતા વાટે શ્રીનવકાર જાપજન્ય જે આંદોલન વિસ્તરે છે, તેમાં એટલું બધું ઓજસ હોય છે, કે તેની
૬૦ • ધર્મ અનુપ્રેક્ષા