SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારની અગાધશક્તિ - અરિહંતનો વર્ણ શ્વેત કેમ કે કર્મમલ રહિત છે. સોળ અંગુલ એટલા માટે કેન્દ્ર પ્રાતિહાર્ય+૪ મૂલાતિશય+૪ ઘાતિ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ (૪) ગુણ કુલ અંગુલ. સ્વાદ કષાયેલો કારણ કે સમ્યક્ત્વરહિતજીવોને તેમના વચનરૂપી જળમાં અરુચિ થાય છે અને સમ્યકત્વસહિતજીવને તેમના વચનરૂપી જળ મીઠું લાગે છે. હરડે અથવા કેરીની શેકેલી ગોટલી ખાધા પછી પાણી પીએ તો મીઠું લાગે છે. જળતત્ત્વ તત્ત્વથી મીઠું છે. છતાં અન્યવહુના સંયોગથી જળને કષાયેલું કહેવાય છે. તેથી અરિહંતનો સ્વાદ મીઠો છે. અરિહંતનો વટવૃક્ષ કે જળધારાની જેમ વર્તુલાકાર છે. મુખારવિંદમાંથી ત્રીપદી નીકળવાથી ગણધરાદિ શિષ્યરૂપી જમીન પર દ્વાદશાંગિરૂપે વિસ્તાર પામી વિશ્વમાં ફેલાઈ જાય છે. - સિદ્ધનો વર્ણ લાલ, તે અગ્નિની જેમ કર્મરૂપી વસ્તુને બાળી નાંખે છે. તેથી સિદ્ધમાં કે અગ્નિમાં વાસ્તવિક કોઈ રંગ નથી. માત્ર અલંકારની જેમ લાલ રંગ બંનેમાં કહ્યો છે. ચાર અંગુલ પ્રમાણ એટલા માટે કે સિદ્ધમાં મુખ્યતયા ૪ ગુણ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય. જીવાત્મા અને પરમાત્મામાં વાસ્તવિક કોઈ ભેદ નથી, ઉપાધિથી ભેદ છે. તે જણાવવા માટે પણ ચાર આંગળ પ્રમાણ છેટું કહ્યું. સ્વાદ તીખો તીક્ષ્ણ-સૂક્ષ્મ, દુર્જય. ત્રિકોણાકાર એટલા માટે કે અવગાહનામાં એક તૃતીયાંશ ઘટી જવું, ઘટીને બે ભાગ રહેવું. ત્રણ ભાગની અપેક્ષાએ ત્રિકોણ કહ્યો. આચાર્યનો વર્ણ પીળો, અંગુલ ૧૨, તીર્થકરોના મુખથી ત્રીપદી સાંભળી ગણધરો દ્વાદશાંગીની રચના કરે છે. રસ સ્વાદ મીઠો, સમુદાયને વિશ્વાસ આપી માર્ગ ચંલાવે છે, આકાર સમચતુસ્ત્ર. ચતુર્વિધ શ્રીસંઘ ઉપર સદશ ભાવ છે. માટે આચાર્ય ચતુષ્કોણ કહ્યા. ન ઉપાધ્યાય તત્ત્વનો વર્ણ લીલો, ૮ અંગુલ પ્રમાણ, સ્વાદ ખાટો, આકાર ધ્વજાના જેવો. સાધુ તત્ત્વનો વર્ણ કાળો. તેના ઉપર બીજો રંગ ન ચઢી શકે. કાબરચીતરો-ઘણા રંગ એટલા માટે કે સાધુ ગુરુચરણ સેવાથી વિદ્યાધ્યયન કરે, પછી અધ્યાપન કરાવે, પછી આચાર્યપદ પ્રાપ્ત કરે. અનુક્રમે અરિહંતપદ અને સિદ્ધપદ પ્રાપ્ત કરે છે. રસ કડવો કેમ કે કડવી ચીજથી મન બગડે છે, પણ છે ગુણદાયક, તેમ સાધુપણામાં અનેક પરિષહ સહવા પડે છે. પરંતુ પરિણામે સુખકારક થાય છે. આકાશ તત્ત્વ સર્વ વ્યાપક. બધા દ્રવ્યો ધર્મ અનુપ્રેક્ષા • ૫૯
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy