________________
ધરવું. અને તેમાં ચિત્તવૃત્તિઓને તદાકાર બનાવી દેવી. તે તે મૂર્તિઓના દર્શન સિવાય બીજો વિચાર કે વિકલ્પ મનમાં ઉઠવા દેવો નિહ.
ધ્યાનના પ્રારંભમાં અરિહંત અને હું, સિદ્ધ અને હું, આચાર્ય અને હું, ઉપાધ્યાય અને હું, તથા સાધુ અને હું, એવો ચૈતભાવ હોય છે. પણ ધ્યાનમાં પ્રગતિ થતાં એ દ્વૈતભાવ ભુંસાઈ જશે, અને ‘મારો આત્મા જ અરિહંત છે,’ ‘મારો આત્મા જ સિદ્ધ છે,’ ‘મારો આત્મા જ આચાર્ય છે,’ ‘મારો આત્મા જ ઉપાધ્યાય છે,’ ‘મારો આત્મા જ સાધુ છે,' એવો અદ્વૈતભાવ ઉત્પન્ન થઈ આત્મતત્ત્વનો સંપૂર્ણ સાક્ષાત્કાર થશે, કે જે ધર્મનું અંતિમ ધ્યેય છે, યોગનો અંતિમ આદર્શ છે, સાધનાનું અંતિમ ફળ છે.
આ રીતે નવકારનું ધ્યાન, ચૈતન્ય અને આનંદની પરમ સીમાએ પહોંચાડનારું છે. ત્યાં અવાંતર ફળ અને અવાંતર સિદ્ધિઓની ગણના કરવા ક્યાં બેસીએ ? યોગથી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે બધી મહામંત્રના ધ્યાનથી પ્રાપ્ત થાય છે, કારણ કે તે શ્રેષ્ઠ પ્રકારનો યોગ પણ છે.
શ્રીનવકારમાં સર્વ વસ્તુ આપવાની તાકત છે. નવકાર ગણે ત્યારે આગલા વિચારનું અનુસંધાન ચાલે છે. જેથી નવકાર ગણતાં શાંતિમંત્ર ભણવાનો હોય છે. તે મનથી વિચાર કરે કે, ‘આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ વગેરે તત્ત્વોમાં શાંતિ થાઓ' શાંતિનો વિચાર કરવાથી અનુભવ થશે કે વિકલ્પો નષ્ટ થાય છે. આત્મા શાંતિસાગરમાં ડૂબી ગયો છે. એવો અનુભવ થાય છે. પછી નવકાર ગણવો.
સ્થાન અને કાળ નિયત હોય તો શાંતિ વિશેષ થાય છે.
એક આસન ઉપર બેસવાથી કાર્ય સિદ્ધ થાય છે. જ્યોતિષીઓ પોતાના મૂળ આસન પર બેસીને ઉત્તર આપે છે.
શાંત ચિત્તે નવકાર ગણવાથી આ ભવની સંપત્તિ મળશે અને તે સંપત્તિ વૈરાગ્ય ઉત્પન્ન કરાવશે. સાધકે બધું નવકાર ઉપર છોડી દેવું. શ્રીનવકાર પાપનો, અજ્ઞાનનો, મોહનો નાશ કરે છે. તેથી આત્મા પરમાત્મા બને છે.
‘નમો’ એ પ્રેમનું પ્રતીક છે. શ્રી પંચ પરમેષ્ઠિઓને ત્રણ જગત પર અખંડ પ્રેમ છે, કરુણા છે, વાત્સલ્ય છે, નિઃસ્વાર્થ સ્નેહ છે, નિષ્કારણ પ્રીતિ છે તેમની તે પ્રીતિ અકારણ હોવાથી પ્રકૃષ્ટ શુભ છે, ઉત્કૃષ્ટ બલવતી છે, સર્વ અશુભનો નાશ કરવા સમર્થ છે. અશુભની સામે શુભનું બળ ઘણું છે. વિશ્વમાં અશુભ ઘણું છે, પરંતુ શુભ પણ ઘણું
૫૦ • ધર્મ અનુપ્રેક્ષા