________________
બે
મુખ્ય ભાવનાઓ
શ્રીનવકા૨ની આરાધનાને સફળ બનાવનાર બે મુખ્ય ભાવનાઓ છે. એક “લ્રામેમિ સવ્વનીવે” બીજી “શિવમસ્તુ સર્વનાતઃ' પહેલી ભાવના પાકેલા ગુમડામાંથી ૨સી દૂર કરવા બરાબર છે. બીજી ભાવના રસી દૂર થયા પછી મલમની પટ્ટી ચોઢવા બરાબર છે. એ બંને ભાવનાપૂર્વક થતું શ્રીનવકારમંત્રનું આરાધન ભાવ તંદુરસ્તી બક્ષ્યા સિવાય રહે નહિ.
પરાર્થ વ્યસનિતા-સ્વાર્થ ઉપસર્જનતા
શ્રીનવકારમાં તન્મય થવું એટલે નવકારના બનવું, એટલે નવકાર વિના વિહ્વળ થવું, સ્મરણ માત્રથી હૈયું ભીંજાઈ જવું ? નવકારના સ્મરણ માત્રથી હૈયું ક્યારે ભીંજાય ? શ્રીતીર્થંકરદેવોની વિશિષ્ટતા ખ્યાલમાં આવે તો, એ વિશેષતા તેમની પરાર્થવ્યસનિતા અને સ્વાર્થઉપસર્જનતામાં રહેલી છે.
પ્રેમામૃતમાં સ્નાન
પ્રભુ પ્રેમથી ભરેલા છે. સર્વ જીવોને આત્મસમ જોનારા છે. નવકારના આરાધકે પોતામાં પણ એ દૃષ્ટિ કેળવવી જોઈએ. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોમાંથી પ્રાણી માત્રના કલ્યાણની ભાવનારૂપ પ્રેમામૃત વરસી રહ્યું છે, એમ જુઓ. તેમાં આપણે સ્નાન કરી રહ્યા છીએ, એમ વિચારો.
બાહ્ય-અત્યંતર નમસ્કાર
શ્રીપંચપરમેષ્ઠિઓ એ આત્માની જ પાંચ શક્તિઓ છે. એક જ શક્તિ અનેક રૂપે આવિર્ભાવ પામે છે. એમાં આ પાંચ આવિર્ભાવો પૂજનીય અને સૌમાં શ્રેષ્ઠ અનુકરણીય છે. અરિહંતાદિ પંચપરમેષ્ઠિ પણ સ્વઆત્માની જુદી જુદી પાંચ અવસ્થાઓ (છઠ્ઠાથી ચૌદમા ગુણસ્થાનક સુધીની) સમજવાની છે. તત્ત્વથી તેને જ નમસ્કાર થાય છે. તાત્ત્વિક નમસ્કાર પામવા માટે પરમેષ્ટિપદને પ્રાપ્ત પુરુષોને નમવાનું છે. તેમના નમસ્કારદ્વારા નિશ્ચયથી સ્વઆત્માને જ નમસ્કાર કરવાનો છે. બાહ્યનમસ્કાર આંત૨ નમસ્કારનું કારણ બને છે. દ્રવ્યથી ભાવ, બાહ્યથી આંતર, એમ નમસ્કારના બે બે પ્રકાર છે. બાહ્ય નમસ્કારને વ્યવહાર નમસ્કાર અને અત્યંતર નમસ્કારને નિશ્ચિય નમસ્કાર કહેવાય છે.
૪૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા