SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ તેમનો સર્વ જીવો ઉપર તો ઉપકાર છે જ, સર્વ ઉપકારીઓ ઉપર પણ ઉપકાર છે. બીજા પદમાં સર્વ જીવો પ્રત્યે સમત્વ સંપૂર્ણપણે પ્રગટાવીને સર્વ કર્મથી મુક્ત થનાર સિદ્ધ ભગવંતોને નમસ્કાર છે. ત્રીજા પદમાં સર્વ જીવોનું હિત કરનારા આચારોનું પાલન સ્વયં કરનારા અને ઉપદેશાદિથી અન્યને કરાવનારાને નમન છે. ચોથા પદમાં સર્વ જીવોના હિતનો માર્ગ જેમાં દર્શાવ્યો છે, તે શ્રીજિનેશ્વરદેવોના શાસ્ત્રોનું પોતે અધ્યયન કરનાર અને બીજાને કરાવનાર સર્વ સત્ત્વના હિતના ઉપાયો સ્વયં સમજનાર અને બીજાને સમજાવનારને નમસ્કાર છે. પાંચમા પદમાં સર્વ જીવોના કલ્યાણનો જે મહામાર્ગ છે તેને અનુસરનારા મહાવ્રતધારી સાધુઓને નમસ્કાર છે. આ પાંચ નમસ્કારમાં તન્મય થવા માટે સર્વ જીવોનું હિત હૈયામાં ધરવું જોઈએ. અહંને ઓગાળવો જોઈએ. આરાધક પોતે સર્વ કરતાં ચઢિયાતો છે એમ નહિ પણ સર્વ પ્રત્યે સમાન ભાવથી જોનારો અને સર્વનું હિત અને શ્રેય થાય એવી બુદ્ધિથી આરાધના કરનારો હોવો જોઈએ. • - શ્રીનવકારના આરાધકે ઓછામાં ઓછું પોતાની જાતને અને પોતાના સ્વાર્થને ગૌણ કરવો જોઈએ. જેના હૈયામાં સ્વાર્થ ભર્યો હોય, બીજા કોઈનો વિચાર જ ન હોય, સર્વ જીવોના હિતની ચિંતા ન હોય અને એવી ચિંતા ધારણ કરનાર ચતુર્વિધ શ્રીસંઘ, સાધર્મિક કે શાસનની હૃદયમાં ભક્તિ ન હોય, તેને નવકારની સાથે સંબંધ કેમ થાય ? તે નવકાર - ગણે તો પણ તેને ફળ કેવી રીતે? વિશાળ હૈયું - શ્રીનવકારમંત્રની આરાધક શ્રીતીર્થકર ભગવંતનો દાસ હોય, ભગવંતના દાસનો પણ દાસ હોય, સકલ જીવના હિતનો ચિંતક હોય, પોતાના અપરાધી કે વિરોધી પ્રત્યે પણ મનથીએ અથવા સ્વપ્નમાંએ અહિત ચિંતવનાર ન હોય. શ્રીનવકારમંત્રના આરાધક થવા માટે સર્વને હૈયામાં સમાવવા જેટલું વિશાળ હૈયું બનાવવું જોઈએ. ધર્મ અનુપ્રેક્ષા • ૪૭
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy