SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ હિતકર મંત્ર બુદ્ધિ અને ચારિત્ર ગાયત્રી મંત્ર એ બુદ્ધિનો મંત્ર છે અને નવકારમંત્ર એ ચારિત્રનો મંત્ર છે. બુદ્ધિમાન થવું હોય તો તેણે ગાયત્રી કે જે વેદમાતા છે, તેને જપવાથી કાર્ય સરે છે. પરંતુ ચારિત્રવાનું બનવું હોય તેણે નવકારમંત્ર કે જે ચૌદપૂરવનો સાર છે, તેને જપવો જોઈએ. નિર્જરા અને પુણ્ય નવકારમાં નિર્જરા અને પુણ્ય ઉભય છે. ગુણી પ્રત્યે નમ્રતારૂપી વિનય એ અભ્યતર તપ હોવાથી નિર્જરા સ્વરૂપ છે અને ગુણીને સન્માનનું દાન થાય છે, તેથી તે પુણ્યબંધનો હેતુ છે. આચારવાનને અને અભયદાન દાતારને સન્માન આપવું એ જ બુદ્ધિનું સાચું ફળ છે. એ દૃષ્ટિએ નવકારમંત્ર ગાયત્રીમંત્રથી ચઢી જાય છે. માતા અને પિતા નવકાર એ માતાની જેમ શ્રદ્ધા અને વિશ્વાસનું ભાજન છે. પિતાની જેમ ભક્તિ અને બહુમાનનું પાત્ર છે. મિત્રની જેમ અનુમોદના અને પ્રમોદનું સાધન છે. યોગ્યોને યોગ્ય દાન અને આત્માનું સમર્પણ છે, બહિરાત્મભાવનું વિસર્જન છે. બંધુની જેમ પ્રેમ અને પ્રીતિનું સ્થાન છે. નવકાર એ માથાનો મુગુટ, હૈયાનો હાર, આંગળીની મુદ્રિકા, ધનુષ્યનું બાણ, ભયનું ત્રાણ, રોગની ચિકિત્સા, વિષનો અપહાર, ચંદનનું ઘર્ષણ, ગુણ અને ગુણી ઉપરનો અનુરાગ, મનરૂપી ભ્રમરનું કમળ, મનરૂપી પતંગનો દીપક, મનરૂપી હરિણનો સ્વર, મનરૂપી હાથીનો સ્પર્શ, મનરૂપી દીવાની દીવેટ છે તથા શબ્દાનુવિદ્ધ અને દેશ્યાનુવિદ્ધ સમાધિનો હેતુ છે. નિશ્ચય અને વ્યવહાર નમસ્કારમંત્ર' નિશ્ચય સાપેક્ષ વ્યવહારનું પાલન છે. કરેમિ ભંતે સૂત્ર વ્યવહાર સાપેક્ષ નિશ્ચયનું આરાધન છે. પ્રભુને ઉભયનય સમ્મત છે. ચતુર્વિધ શ્રીસંઘની ભક્તિ પ્રથમ પદમાં સર્વ જીવો પ્રત્યે નિષ્કામ પ્રેમ અને નિષ્કારણ કરુણા રોકનારા સર્વજિનેશ્વર ભગવંતોને નમસ્કાર છે. તેમણે સર્વ જીવોના હિત માટેનું શાસન સ્થાપ્યું છે. ૪૬ • ધર્મ અનુપ્રેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy