________________
અનુકૂળ-પ્રતિકૂળ નિમિત્તોની હાજરીમાં ઉપયોગની સ્થિરતા ચલિત થઈ જાય છે. આટલી પણ ઉપયોગ-વીર્યની અશુદ્ધિ આત્માને અમુક સમય પર્યંત સંસારમાં રખડાવે છે. નવકારના આલંબનથી યોગ અને ઉપયોગની સ્થિરતા અને પ્રશસ્તા વધતી જાય છે. તેથી તેનો આશ્રય જીવને અત્યંત હિતકર છે.
દર્શન અને ચારિત્ર
યોગની શુદ્ધિ માટે નમો પદ છે. ઉપયોગની શુદ્ધિ માટે અરિહંતાદિ પદો છે. અરિહંતાદિ પદોમાં ઉપયોગ જોડવાથી દર્શન-મોહ અને ચારિત્ર-મોહ ઘટતાં જાય છે મોહ ઘટવાથી દષ્ટિ-દોષ અને ૫રભાવ-રમણતા ઘટે છે. પરમાં હુંપણાની બુદ્ધિ એ દૃષ્ટિ દોષ છે અને હુંપણાની બુદ્ધિ ન હોવા છતાં સંસ્કારવશ પરભાવમાં ૨મણ કરવાની બુદ્ધિ જાગે છે, એ ચારિત્ર-મોહનો દોષ છે. શ્રીનવકા૨થી પરભાવ-રમણતારૂપ ઉપયોગવીર્ય પલટાઈ સ્વભાવ-૨મણતારૂપ બને છે. આ રીતે પરંપરાએ યોગ-સ્વૈર્ય અને ઉપયોગ શુદ્ધિનો જનક હોવાથી નવકાર આદરણીય સ્મરણીય, અનુકરણીય છે. જેમ જેમ તેનો આશ્રય લેવાય તેમ તેમ આત્માના જ્ઞાન ગુણની શુદ્ધિ, દર્શન ગુણની શુદ્ધિ ચારિત્ર ગુણની શુદ્ધિ અને વીર્ય ગુણની શુદ્ધિ થાય છે. યુંજનકરણ મટી ગુણકરણનો અધિકા૨ી જીવ થાય છે. તેમાં મુખ્ય કારણ જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગના વિષયોની ઉચ્ચતા, શ્રેષ્ઠતા અને પવિત્રતા છે. ઉપયોગને સુધારનાર હોવાથી યોગ પણ સુધરે છે. ઉપયોગ એટલે જ્ઞાન-દર્શન અને ઉપયોગવીર્ય એટલે તેમાં વપરાતી શક્તિ, તેમાં અશુદ્ધતા એટલે દર્શન-મોહ અને ચારિત્રમોહનો સંબંધ. નવકાર મોહને ઘટાડનાર અને ઉપયોગને સુધારનાર હોવાથી યોગને સકરણવીર્યને પણ પ્રશસ્ત બનાવનાર થાય છે.
ભાવના અને ધ્યાન
નવકારનું જ્ઞાન ઉપયોગરૂપ છે. નવકારનું ધ્યાન યોગરૂપ છે. નવકારના અક્ષરોમાં કારણોનો સુદૃઢ વ્યાપાર હોવાથી તે ધ્યાન છે. નવકારના અર્થનું ચિંતન એ ભાવના છે. ભાવના ચંચળ ચિત્તે થાય છે. ધ્યાન સ્થિર ચિત્તે થાય છે.
જ્ઞાન અને ક્રિયા
નામ નમસ્કાર અને બુદ્ધિના આકારરૂપ સ્થાપના નમસ્કાર જ્ઞાન માટે થાય છે. દ્રવ્ય નમસ્કાર ભાવ માટે થાય છે. ભાવ નમસ્કારનું સાક્ષાત્ કારણ દ્રવ્ય નમસ્કાર છે. મન, વચન, કાયાની એકાગ્રતાથી થતો નમસ્કાર એ દ્રવ્ય નમસ્કાર છે. દ્રવ્ય સ્વયં ભાવમાં પલટાય છે. જ્ઞાન સહાયક બને છે. જ્ઞાન એ ભાવ નમસ્કારનું સહકારી કારણ છે, નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ દ્રવ્ય. ક્રિયા વિનાનું કોરું જ્ઞાન ભાવરૂપ બનતું
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૪૩