________________
ભાવરત્નાકર
નમો'નો અર્થ જયાં સુધી હું કોઈનો હથિયાર છું, એવો ખ્યાલ ન આવે ત્યાં સુધી માનવના દુઃખનો ભાર જરા પણ ઓછો થતો નથી. નમસ્કાર એટલે દાસત્વ, આત્મદાન, આત્મસમર્પણ, સ્વામી પ્રત્યે સેવકનો નિર્ભર કૃતજ્ઞતાભાવ. ખરો મનુષ્ય પોતાની પૂર્ણતા તેમાં જ શોધે છે.
સોનાની વીંટી નમો' એ સોનાની વીંટી છે. અરિહંતો એ હીરાના નંગ છે. અરિહંતો એ. સાચા ભાવ હીરા છે. અમૂલ્યમૂલ્યવાનું છે. તેથી ભવ્યજીવોની અત્યંત પ્રીતિને પાત્ર છે. તીર્થકરો ઉપર પ્રીતિ બતાવનારો. ન હોય તો પેદા કરનારો અને હોય તો વધારી આપનારો મંત્ર તે શ્રીનવકાર મહામંત્ર છે. પ્રીતિ એ વીંટી છે. “નમો’ એ પ્રીતિ વાચક પદ છે. નવકારમાં ચિત્ત, વિત્ત અને પાત્ર, ત્રણે ઉત્તમ પ્રકારના મળેલા છે. ત્રણેનો દુર્લભ યોગ નવકારમાં રહેલો છે. નવકાર એ સર્વશ્રેષ્ઠ દાન છે એ દાનમાં પાત્ર તરીકે સર્વશ્રેષ્ઠ તીર્થંકરદેવો અને પરમેષ્ઠિ ભગવંતો છે. માટે આટલું અવશ્ય કરો. તમારો ઉપયોગ નવકારમાં પરોવો. યોગ અને ઉપયોગ બને નવકારમાં લીન બને, તેવું જીવન જીવો. મન, વચન, કાયાના યોગો નવકારની સાથે તાદાભ્ય ભાવને પામે તેવો અભ્યાસ કરો.
યોગ અને ઉપયોગ નવકારના સ્મરણ વખતે ઉપયોગવીર્ય અને કરણવીર્ય ઉભય શુદ્ધ હોય છે. ઉપયોગવીર્યને અશુદ્ધ બનાવનાર મહોદય છે. નવકારના ગણનારને મોહોદય હોવા છતાં તેનો નાશ કરવાનો સંકલ્પ હોવાથી સંસારના કારણભૂત કર્મબંધનો હેતુ તે થતો નથી. નવકારને ગણનારા ૧થી ૬ ગુણસ્થાન સુધીના જીવો હોય છે. ૧-૩ સુધી દર્શનમોહ અને ચારિત્રમોહનો તીવ્ર ઉદય હોય છે. તેથી દષ્ટિ વિપરીત અને ઉપયોગ વીર્ય સર્વથા અશુદ્ધ હોય છે. છતાં નવકારના પ્રશસ્ત આલંબનથી ક્રમશઃ યોગ અને ઉપયોગની વિશુદ્ધિ થતી જાય છે. તેથી દર્શન મોહ અને ચારિત્રમોહ નિર્બળ પડે છે. ચતુર્થ ગુણસ્થાને દૃષ્ટિ નિર્મળ છે, તો પણ ચારિત્ર મોહનો ઉદય છે. તેટલી આત્માની નિર્બળતા છે. તેટલા અંશે ઉપયોગ અશુદ્ધ છે. દૃષ્ટિમાં સ્થિરત્વ નથી. નવકારના અવલંબને સ્થિરત્વ વધે છે, ચારિત્રમોહ નિર્બળ બને છે પાંચમે ગુણસ્થાને દૃષ્ટિની સ્થિરતા એક આની જેટલી અને છકે ગુસ્સથાનકે સોળ આની જેટલી આવે છે, છતાં
૪૨• ધર્મ અનપેક્ષા