________________
છે. ચિત્ત પ્રસન્ન રહે છે. અશુભ વિચારો શમી જાય છે. જેટલા શ્વાસોશ્વાસ આ મંત્રથી ભરાય છે, તેટલા આત્મહિતકારી છે એમ શ્રીવીતરાગનું વચન છે. આ મંત્ર જગતના સર્વગુણી પુરુષો પ્રત્યે નમ્રતાનો સૂચક છે. ગુણી પુરુષોની ગુરુતા અને તેમની અપેક્ષાએ પોતાની લઘુતાનું સતત ભાન કરાવે છે. પરમેષ્ઠિઓ સર્વથી મહાન છે. તેમની આગળ હું અતિઅલ્પ, લઘુ, તુચ્છ છું, આ રીતે પોતાનું લઘુત્વ અને પરમેષ્ઠિઓનું ગુરુત્વ સ્થાપિત થતું હોવાથી આ મંત્ર વડે અવિદ્યા અહંકાર અને તજ્જન્ય જન્માદિ દોષો નાશ પામે છે. અવિદ્યા–અહંકાર ટળવાથી બુદ્ધિ નિર્મળ થાય છે. નિર્મળ બુદ્ધિથી થયેલું કાર્ય સફળ થાય છે. સફળતા મેળવવાનો પ્રથમ ઉપાય બુદ્ધિની નિર્મળતા છે. નમસ્કાર વડે તે સિદ્ધ થાય છે. નમસ્કાર વડે નમ્રભાવ આવે છે. ગુરુની ગુરુતા અને પ્રભુની પ્રભુતાનું ચિંતવન થાય છે. તેમની મહત્તા અને પોતાની અલ્પતાનું ભાન થતાં હૃદયમાં ભક્તિનો સંચાર થાય છે. ભક્તિના પ્રભાવે ભવસમુદ્ર સુતર બને છે.
- સિદ્ધિનું બીજ પાપ વિમુક્તિ માટે પાપ રહિત પુરુષોને કરાતો નમસ્કાર અંતઃકરણની શુદ્ધિ કરાવી સકલ પુરુષાર્થની સિદ્ધિનું બીજ બને છે.
. જીવત્વનું બહુમાન જડ પ્રત્યેના આદર, આકર્ષણ, પ્રીતિ, બહુમાન, પરિચય, પ્રમોદ, અનુમોદન વગેરે પાપપ્રકૃતિનો રસ નિકાચે છે. તેમાંથી બચવા માટે શ્રીનવકારનો આશ્રય અનિવાર્ય છે. એક નવકાર જ જડત્વના બહુમાનથી જીવને બચાવી લઈ જીવત્વના બહુમાન માર્ગે જીવનને દોરી જાય છે. તેથી તેનું પુનઃ પુનઃ રટણ, સ્મરણ, પઠન, ચિંતન, ભાવન, ગુણન એકાંત હિતકર છે.
અમૂલ્ય ભેટાણું - શ્રીનવકાર એ સારની પોટલી છે. શ્રીનવકાર એ રત્નની પેટી છે. શ્રીનવકાર એ ભવાટવીનો ભોમિયો છે. ભવસમુદ્રની દીવાદાંડી છે. શ્રીનવકાર એ ધ્રુવનો તારો છે. - શ્રીનવકાર એ તીર્થંકરદેવોનું અમૂલ્ય ભેટયું છે. તીર્થંકરદેવો તરફથી જગતના જીવોને માત્ર એક નવકારનું જ ભેટછું એવું છે કે તે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તેઓનો સંસાર ઉપર અનન્ય ઉપકાર, બીજાઓના સર્વ ઉપકાર એકત્ર મળીને પણ જે લાભ ન કરે તેટલો મોટો લાભ કરે છે.
ધર્મ અનુપેક્ષા • ૪૧