________________
ઉચ્ચારણરૂપ “નો' એ “નામ” નમસ્કાર છે. ક્રિયારૂપ નમસ્કાર એ દ્રવ્ય નમસ્કાર છે. દ્રવ્યથી ભાવ ઉપજે છે. નામ અને સ્થાપના અભિધાન અને આકાર વડે ભાવની સાથે સંબંધ ધરાવે છે. અભિધાન અને અભિધેય વચ્ચે વાચ્ય વાચક સંબંધ છે. આકારને ભાવ સાથે સ્થાપક સંબંધ છે. એક સંબંધીનું જ્ઞાન અપર સંબંધીનું સ્મારક બને છે. એ ન્યાયથી નામ અને સ્થાપના ભાવનું સ્મરણ કરાવે છે. દ્રવ્ય સ્વયં ભાવસ્વરૂપ બને છે. દ્રવ્ય એ કારણ અવસ્થા છે, ભાવ એ કાર્ય અવસ્થા છે. નામ અને સ્થાપના કાર્યને ચિત્તની અંદર લાવે છે, ભાવનું પ્રણિધાન કરાવે છે. પ્રણિધાનપૂર્વકની થયેલી ક્રિયા એ ભાવનું કારણ બને છે.
ક્રિયા એ દ્રવ્ય છે. તેમાંથી ભાવ પેદા કરવા માટે એ ક્રિયાની પાછળ ક્રિયાકારકને ભાવનું જ્ઞાન થવું જોઈએ, એવું ચોક્કસ જ્ઞાન નામ અને સ્થાપનાથી થાય છે.
નમસ્કાર એક પ્રકારની શરણાગતી છે.
નમસ્કાર એ સમુદ્રમાં નદીને મળી જવાની ક્રિયા છે. ભગવદ્ ભાવમાં આત્મવિસર્જન છે.
નમસ્કારનું પ્રયોજન પ્રેમ છે. પ્રેમની પૂર્વાવસ્થાનું નામ ભાવ અથવા રતિ છે. ભાવ એ મનની અવસ્થા વિશેષ છે. પરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે રતિભાવ નમસ્કાર વડે કેળવાય છે.
અનાદિકાલીન મંત્ર જૈનોનો અનાદિકાલીન એક માત્ર મૂળ મંત્ર શ્રીનવકાર છે. ક્રોડો શ્લોકોવાળા દૃષ્ટિવાદથી જે કાંઈ સાધી શકાય છે, તે આ પાંચ પદવાળા નાના નવકારમાં રહેલ વિશાલ અર્થના ચિંતન દ્વારા સહજ પ્રાપ્ત થઈ જાય છે. એ કારણે એને ૧૪ પૂર્વનો સાર અને સર્વ સ્મરણોમાં પ્રથમ માનેલ છે. નવકારના, મનન, ચિંતન અને ધ્યાનથી પ્રમોદભાવના જાગૃત થાય છે અને તેની વૃદ્ધિ થવાથી કોઈને કોઈ ભવમાં નવકારના કોઈ એક પદમાં બેસવાવાળાની શ્રેણિમાં અવશ્ય આવી શકાય છે. શુભ ભાવોની સાધના અને સિદ્ધિનું કારણ હોવાથી શ્રીનવકાર મંત્ર સર્વોત્તમ મંત્ર અને પ્રથમ મંગલ મનાય છે. જ્ઞાનીઓના કથન મુજબ આ મંત્ર પાપમૂલનો અથવા પાપ માત્રનો નાશક છે. આ પવિત્ર મંત્રની સ્મૃતિ માટે ઘરમાં એક ચિત્રપટ પ્રત્યેક ભાગ્યશાળીએ રાખવું જોઈએ.
ભક્તિનો સંચાર વિશ્વમાં સૌ કોઈ પોતાનું મંગલ અને કલ્યાણ ઇચ્છે છે. નમસ્કાર મંત્ર પરમ મંગળરૂપ છે. તેના સ્મરણાદિથી કાર્યની આદિથી અંત સુધી આવનારાં વિઘ્નો ટળી જાય
૪૦ • ધર્મ અનુપ્રેક્ષા