________________
શ્રીનમસ્કાર મહામંત્ર અનુપ્રેક્ષા
* (પરમમંગલમય શ્રીનવકાર એ જેઓશ્રીના હૃદયનું હૃદય છે, એ પ.પૂ. પંન્યાસજી મહારાજશ્રીના, મહામંત્ર શ્રીનવકાર સંબંધી હૃદયગત ભાવોનું સત્ત્વ, તેની આરાધનાની શ્રીજિનાજ્ઞા-મૂલક ઊંડી સૂઝ સાથે આ લેખમાં ઝળહળી રહ્યું છે. સં.)
શ્રીનવકાર અને શ્રી સિદ્ધચક્રનો સંબંધ શ્રીનવકાર એ શ્રુતરૂપ છે શ્રુતજ્ઞાન એ પાંચ જ્ઞાનમાં સ્વપર પ્રકાશક છે. તેથી મુખ્ય મંગળ છે. પાંચ જ્ઞાન મંગળરૂપ છે, ભાવ-મંગળરૂપ છે, તેથી ભાવસંવર અને કર્મક્ષય થાય છે. જ્ઞાનને મંગળારૂપ શ્રી નંદીસૂત્રમાં માન્યું છે. કારણ કે તે આત્મગુણરૂપ છે. આત્મગુણનું ધ્યાન એ આત્માનું જ ધ્યાન છે. આત્મધ્યાનથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાન એ કર્મક્ષય અને મોક્ષનો હેતુ બને છે.
શ્રી સિદ્ધચક્ર એ નવપદો અને તેના પરિવારરૂપ સકલ લોકમાં રહેલ શ્રેષ્ઠ પદાર્થોનો વ્યવસ્થિત ચક્કાર સંગ્રહ છે. તેથી તેનું ધ્યાન શ્રીનવકારરૂપી કૃત વડે અસ્પષ્ટપણે ઓળખાયેલા પંચ પરમેષ્ઠિ ભગવંતો અને તેમના મહિમાનો સ્પષ્ટપણે બોધ કરાવે છે. શ્રુતજ્ઞાન એ પરોક્ષ પ્રમાણ છે, તેથી થતો બોધ એ અસ્પષ્ટ અને ઝાંખો હોય છે. શ્રુતનો વિષય સામાન્ય છે. વિશેષનો બોધ માત્ર શાબ્દિક જ્ઞાનથી નહિ પણ વસ્તુના ધ્યાનથી થાય છે. ધ્યાન વડે શાબ્દિક બોધ સ્પષ્ટ થાય છે. સામાન્ય ધર્મનું જ્ઞાન હતું તે મટીને વિશેષ ધર્મનું ભાન કરાવે છે. ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ મતિજ્ઞાન ઇન્દ્રિય અને મન વડે, પછી શ્રુતજ્ઞાન કેવળ મન વડે, પછી અનુભવજ્ઞાન અને તેનો ઉપાય ધ્યાન છે. - શ્રત વડે જાણેલા પદાર્થોને અનુભવ ગોચર કરવા માટે ધ્યાન અનિવાર્ય છે. ધ્યાન વિનાનું એકલું જ્ઞાન અકાર્યકારી છે. જ્ઞાનને કાર્યકારી કરવા માટે ધ્યાનની આવશ્યકતા છે. જ્ઞાનની સામગ્રી નવકાર વડે પૂરી પડે છે. ધ્યાનની સામગ્રી સિદ્ધચક્ર વડે પુરી થાય છે. જ્ઞાન વડે સામાન્ય બોધ થાય છે. તે જ બોધ ધ્યાન વડે વિશેષ બને છે, સ્પષ્ટ થાય છે, અપરોક્ષપણે અનુભવાય છે.
શ્રીનવકાર એ ભાવ મંગળ છે, તેની સમજ ભાવમંગળ એ આત્મપરિણામરૂપ છે. દ્રવ્યનમસ્કાર જ્ઞાન, શબ્દ, અને ક્રિયા વડે થાય છે. ભાવ નમસ્કાર જ્ઞાન, શબ્દ, અને ક્રિયાના એકત્ર મિલનવડે અંતરાત્મામાં પ્રગટ થાય છે. જ્ઞાનવડે નમસ્કારનો જે આકાર અંતરમાં પ્રતિભાસિત થાય છે, તે સ્થાપના નમસ્કાર છે, કેમકે જ્ઞાન એ વિષયાકાર બનીને શેયને જણાવે છે. શબ્દના
ધર્મ અનપેક્ષા • ૩૯