________________
(૫) સ્પર્શનેન્દ્રિયનો વિકાર શમે એટલે આત્મપ્રદેશે જે વિભાવ પરિણતિ પરિણમી છે, તે ઘટવા માંડે અને સ્વભાવ પરિણિત જે દબાઈ ગઈ છે તે પ્રગટ થવા માંડે.
ખીલે.
(૬) ક્રોધનો વિકાર શમે એટલે વૈરવૃત્તિ ઘટે, ક્ષમા ગુણ વધે અને મૈત્રીભાવના
(૭) માનનો વિકાર શમે એટલે અહંવૃત્તિ ઘટે, નમ્રતા વધે અને પ્રમોદભાવના
(૮) માયાનો વિકાર શમે એટલે દંભપ્રપંચ આદિ દોષો ઘટે, સરળતા વધે, નિઃશલ્યતા પ્રાપ્ત થાય, સ્રીવેદ આદિ અશુભ પ્રકૃતિઓ બંધાય નહિ અને સર્વત્ર વિશ્વસ્તતા પ્રાપ્ત થાય.
ખીલે.
(૯) લોભનો વિકાર શમે એટલે તૃષ્ણા ઘટે અને સંતોષ વધે. ઇન્દ્રિયોનો અને કષાયોના વિકાર શમ્યા વિના ભાવનિધાનની પ્રાપ્તિ થતી નથી. માટે સૌ કોઈ ઇન્દ્રિય અને કષાયોના વિકારની નાગચૂડથી બચી ભાવનિધાનને પ્રાપ્ત કરો એ જ શુભાભિલાષા.
શ્રી નવકાર માહાત્મ્ય
पणव हरिया रीहा इह मंतह बीयाणि सप्पहावाणि । सव्वेसिंतेसिं मूलो, इक्को नवकार वरमंतो ॥
અર્થ :- ૐ હ્રીઁ, અર્હ વગેરે સર્વ પ્રભાવવાળા જે જે મંત્ર બીજો છે, તે બધાનું મૂળ એક શ્રીનમસ્કાર મહામંત્ર છે. અર્થાત્ તેના પહેલા પદમાં રહેલા સાત વર્ણો છે. આ રીતે આ સાત વર્ષોમાં સૂર્યનાં કિરણોની સર્વ શક્તિ તો શું પણ સંગીતના સાત વર્ણોમાં રહેલી સર્વ શક્તિ, સર્વ સ્વર-વ્યંજનોમાં, સર્વ પ્રકારના યંત્ર-મંત્ર અને તંત્રોમાં રહેલી શક્તિ પણ રહેલી છે. પ્રાચીન ગ્રંથોમાં પણ કહ્યું છે કે, નવકારના પ્રત્યેક અક્ષરે એક હજાર આઠ વિદ્યાઓ રહેલી છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૩૭