________________
૧. કેવળજ્ઞાન,
૨. કેવળદર્શન, ૩. ક્ષાયિક સમ્યત્વ,
૪. ક્ષાયિક ચારિત્ર, ૫. ક્ષાયિક દાન,
૬. ક્ષાયિક લાભ, ૭. ક્ષાયિક ભોગ,
૮.ક્ષાયિક ઉપભોગ. અને ૯. ક્ષાયિક વીર્ય.
આ નવ ક્ષાયિક લબ્ધિઓ તે તે પ્રકારના કર્મના ક્ષયથી પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવળજ્ઞાન, દર્શનાવરણીય કર્મના ક્ષયથી કેવળદર્શન, દર્શનમોહનીયના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ, ચારિત્ર મોહનીયના ક્ષયથી ક્ષાયિક ચારિત્ર અને દાનાન્તરાયાદિસ્વરૂપ અન્તરાય કર્મના ક્ષયથી દાનાદિ પાંચ ક્ષાયિક લબ્ધિઓ પ્રગટ થાય છે. આ ઉપરથી સમજી શકાશે કે આત્માના ગુણો એ જ નિધાનસ્વરૂપ છે. આપણા એ ગુણો આજે કર્મરૂપી કચરાથી દબાઈ ગયા છે, એ કર્મરૂપી કચરાને જિનાજ્ઞાના પાલનથી દૂર કરી, દબાઈ ગયેલા ગુણો પ્રગટ કરી શકાય છે. ઉપર જણાવેલા ભાવનિધાનને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરનારો આત્મા પણ છદ્મસ્થપણે જે નવભાવનિધાનનો સ્વામી બને છે, તે ક્યા અને તેનાથી જીવને શો લાભ તે હવે જોઈએ.
(૪) પાંચ ઇન્દ્રિયોના વિષયોનો વિરાગ અને
(૫) ચાર કષાયોનો જય એ છદ્મસ્થ જીવની અપેક્ષાએ નવ ભાવનિધાન છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોનો વિરાગ અને ચાર કષાયોનો જય એ ક્રમશઃ આગળ વધતાં વધતાં આત્માને ક્ષાયિક નવ લબ્ધિઓ પમાડવામાં કારણ બને છે. એટલે એ નવ પણ ભાવ નિધાન ગણાય છે.
(૧) શ્રોત્રેન્દ્રિયનો વિકાર શમે એટલે વિકારોત્તેજક શબ્દોના શ્રવણનું આકર્ષણ ઘટે અને જિનવાણીનું શ્રવણ પ્રેમપૂર્વક થાય.
(૨) ચક્ષુ ઇન્દ્રિયનો વિકાર શમે એટલે વિકારોત્તેજક રૂપો જોવાનું આકર્ષણ ઘટે અને પરમાત્માની મૂર્તિ ઉપર આંખ ઠરે.
(૩) ધ્રાણેન્દ્રિયનો વિકાર શમે એટલે પુગલની સુગંધ-દુર્ગધમાં રાગ-દ્વેષ ઘટે અને આત્મિક ગુણની સુવાસ પ્રગટે.
(૪) જીહાઇન્દ્રિયનો વિકાર શમે એટલે પુદ્ગલના રસો બાકસબુક્સ જેવા લાગે અને આત્મિક ગુણોનો રસાસ્વાદ અમૃત તુલ્ય લાગે.
૩૬ • ધર્મ અનુપ્રેક્ષા