________________
જૈનદર્શનનું મૌલિકસ્વરૂપ (જૈન દર્શનના મૌલિક સ્વરૂપને ટુંકમાં સ્પષ્ટ કરતી અનેક ઉપકારક હકીકતો સરળભાષામાં લખાયેલા આ લેખમાં રજૂ કરવામાં આવી છે. સં.). ૧. શ્રીતીર્થકર ભગવંતનું ચ્યવન કલ્યાણક એટલે દેવ, તિર્યંચ અને નરક-એ ત્રણ
ગતિના બન્ધથી મુક્તિ. જન્મકલ્યાણક એટલે ગર્ભવાસથી મુક્તિ. દીક્ષા કલ્યાણક એટલે ગૃહસ્થાવાસથી મુક્તિ. કેવલજ્ઞાન કલ્યાણક એટલે રાગદ્વેષ આદિ સર્વ અત્યંતર સંસારથી મુક્તિ અને નિર્વાણ કલ્યાણક એટલે મન-વચન અને કાયારૂપ
ત્રણે યોગોથી સંપૂર્ણ અને સાર્વદિક મુક્તિ. ૨. શ્રીઅરિહંત પરમાત્માને જન્મ નથી, કારણ કે ઘાતકર્મો નથી, સિદ્ધ પરમાત્માને
જન્મ અને મરણ બંને નથી, કારણ કે–ઘાતી અઘાતી બંને કર્મો નથી, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતોને જન્મ-મરણની પરંપરા નથી, કારણ કે મિથ્યાત્વ,
અવિરતિ, અપ્રશસ્ત કષાયો અને અશુભ યોગો નથી. ૩. પરમાત્મભાવ પ્રાપ્તવ્ય છે, તેનું સાધન રત્નત્રયીરૂપ યોગ છે, એ યોગ
પરવૈરાગ્યને આધીન છે, પરવૈરાગ્ય અપરવૈરાગ્યને આધીન છે, અપરવૈરાગ્યનો
પાયો મૈત્રયાદિ ભાવો છે અને મૈત્રાયાદિ ભાવો ધર્મરૂપી કલ્પવૃક્ષનું બીજ છે.. ૪. અનંતા આત્માઓ મુક્તિએ ગયા, સંખ્યાબંધ આત્માઓ મુક્તિએ જઈ રહ્યા છે
અને હું હજી સંસારમાં કેમ ભટક્યા કરું છું ? આવી હિતચિંતા એ પોતાના
આત્માની સાચી મૈત્રી છે. ૫. દોષો ખટકે, દોષો દૂર કરવા શક્ય પ્રયત્નો થાય, ગુણના અભાવનું દુઃખ થાય
અને ગુણો મેળવવા શક્ય પ્રયત્નો થાય એ સક્રિય મૈત્રી છે. ૬. સર્વ દોષ રહિત અને સર્વગુણસંપન્ન શ્રીઅરિહંત પરમાત્માની સર્વજીવહિતકર
આજ્ઞાને મન-વચન-કાયા સોંપી દેવાથી દોષો દૂર થવા માંડે છે અને ગુણો પ્રગટ
થતા જાય છે, જેના પરિણામે આત્મા પરમાત્મા બને છે. ૭. જેને ધર્મ ઉપર શ્રદ્ધા નથી, ધર્મ જ સઘળાય સુખનો દાતા છે અને ધર્મથી જ સર્વ
દુઃખો નાશ પામે છે, એવું જે માનતો નથી, તે સુખ અને શાંતિ અપાવનાર એક મહાન શક્તિથી સાવ અજાણ છે, એ અજ્ઞાનતાથી જ જીવ દુઃખ અને અશાન્તિમાં
સબડ્યા કરે છે. ૮. ધર્મ એ સ્વભાવિક અને આત્મિક છે જ્યારે પુણ્ય-પાપ એ વૈભાવિક (કર્મજનિત)
અને પૌગલિક છે. ધર્મ ઉપાદેય છે અને પુણ્ય વ્યવહારથી ઉપાદેય છે પણ
૩૦ • ધર્મ અનુપ્રેક્ષા