SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખ નિવૃત્તિ અવશ્ય થાય જ એવું પણ બનતું નથી. એ તાકાત તો માત્ર શાસ્ત્રજ્ઞાનમાં જ રહેલી છે. શાસ્ત્ર શબ્દનો અર્થ જણાવતાં જ્ઞાનસારમાં કહ્યું છે કે— “शासनात् त्राणशक्तेश्च बुधैः शास्त्र निरुच्यते । વચન વીતાવાસ્ય તત્તુ નાન્યસ્ય ચિત્ ॥'' (શાસ્રાષ્ટક) અર્થાત્ જેમાં હિતનો ઉપદેશ કરવામાં આવ્યો હોય અને જેનામાં સંસારથી ભય પામેલા, કર્મથી ઘેરાયેલા અને વિભાવથી પીડિત થયેલા સર્વ જીવોનું રક્ષણ કરવાનું સામર્થ્ય હોય તેને જ વિદ્વાનો શાસ્ત્ર કહે છે અને તેવું શાસ્ત્ર તો વીતરાગનું વચન જ છે પણ અન્ય કોઈનું વચન તેવા શાસ્ત્રરૂપ નથી. આથી હિતેચ્છુએ પોતાની સર્વ પ્રવૃત્તિમાં સર્વજ્ઞકથિત શાસ્ત્રને જ આગળ રાખવું જોઈએ. માટે જ કહ્યું છે કે ‘માધવ: શાસ્ત્રવક્ષુષ:’ અર્થાત્ સાધુપુરુષો શાસ્ત્રરૂપ ચક્ષુવાળા હોય છે. શાસ્ત્રને આગળ કરવાથી તેના આદ્ય પ્રરૂપક શ્રીતીર્થંકરદેવ હૃદયસ્થ બને છે અને શ્રીતીર્થંકરદેવ હૃદયસ્થ બનવાથી જીવને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. કહ્યું છે ङे "शास्त्रे पुरस्कृते तस्माद् बीतरागः पुरस्कृतः । પુરષ્કૃતે પુનસ્તસ્મિન્ નિયમાત્ સર્વસિદ્ધયઃ ।'' (જ્ઞાનસાર) શ્રીવીતરાગ પરમાત્માને હૃદયમાં વિરાજમાન કરવાથી આત્મામાં અનાદિકાળથી રહેલા ક્લિષ્ટ કર્મો નાશ પામે છે અને એ ક્લિષ્ટ કર્મોનો નાશ થવાથી જીવને સર્વ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય એ સમજી શકાય તેવી વાત છે. ભગવાન હૃદયમાં વિરાજમાન થયા પછી ક્લિષ્ટ કર્મો—સંસારનો અનુબંધ ચલાવનાર કર્મો—ટકી શકતા નથી. કહ્યું છે કે— 'हृदि स्थिते भगवति क्लिष्टकर्मविगमः ' કારણ કે ‘ઞજ્ઞાનવિવનયોવિરોધાત્' અર્થાત્ જળ અને અગ્નિની જેમ પરસ્પર એક જ સ્થાનમાં (એક જ ચિત્તમાં) ભગવાનના અવસ્થાનનો અને ક્લિષ્ટ કર્મના અવસ્થાનનો વિરોધ છે. ધર્મ અનુપ્રેક્ષા • ૨૯
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy