SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુઉપાસના (આ લેખમાં ગુરુભક્તિની અમાપશક્તિ અને શાસ્ત્રજ્ઞાનની અનિવાર્યતા સંબંધી સરળ છતાં સ્પષ્ટ અને મૌલિક પ્રતિપાદન થયું છે. સં.) શાસ્ત્રજ્ઞાનની જરૂર શાથી ? (૧) જગતમાં દુ:ખ ન હોત તો શાસ્ત્રજ્ઞાનની જરૂર ન રહેત. (૨) દુ:ખ હોત પણ એનો નાશ ઇષ્ટ ન હોત તો પણ શાસ્ત્રજ્ઞાનની જરૂર ન રહેત. (૩) દુઃખનો નાશ ઇષ્ટ હોત પણ શક્ય ન હોત—અશક્ય જ હોત તો પણ શાસ્ત્રજ્ઞાનની જરૂર ન રહેત. (૪) દુઃખનો નાશ અન્ય ઉપાયથી શક્ય હોત તો પણ શાસ્ત્રજ્ઞાનની જરૂર ન રહેત. પરંતુ દુ:ખ છે, દુઃખનો નાશ સૌને ઇષ્ટ છે, દુઃખનો નાશ શક્ય છે પણ અશક્ય નથી અને તેનો નાશ શાસ્ત્રજ્ઞાન સિવાય અન્ય ઉપાયથી શક્ય નથી માટે શાસ્ત્રજ્ઞાનની જરૂર છે. શાસ્ત્રપ્રતિપાદિત તત્ત્વોમાં મુખ્ય આત્મતત્ત્વ છે. આત્માના જ્ઞાનથી જ આત્મગત દુઃખની આત્યન્તિક અને ઐકાન્તિક નિવૃત્તિ થાય છે. માટે જ કહ્યું છે કે– आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते (યોગશાસ્ત્ર પ્રકાશ ૪ શ્લો૦ ૩) ‘આતમ અજ્ઞાને કરી જે ભવદુઃખ લહિયે, આતમજ્ઞાનને તે ટળે એમ મન સહિયે,’ અન્યત્ર પણ કહ્યું છે કે—‘તતિ શો આત્મવિત્' ‘7 સ પુનરાવર્ત્તત-’ અર્થાત્ આત્માને જાણનાર શોકને તરી જાય છે અને તે શોક પુનઃ આવતો નથી. ઉપર્યુક્ત શાસ્રવચનોથી સમજી શકાશે કે આત્મગત દુ:ખની આત્યન્તિક અને ઐકાન્તિક નિવૃત્તિ આત્મજ્ઞાનથી થાય છે અને આત્મજ્ઞાન શાસ્ત્રજ્ઞાનથી થાય છે. માટે શાસ્ત્રજ્ઞાનની જરૂર છે. ગુરુ ઉપાસનાની જરૂર શાસ્ત્રજ્ઞાન ગુરુને આધીન છે. માટે દુઃખની નિવૃત્તિ કરવા ઇચ્છનારે શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવા ગુરુની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. કહ્યું છે કે— ધર્મ અનુપ્રેક્ષા • ૨૭
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy