________________
નીકળવાનું. સંઘમાં બબ્ધભાવ ખીલવવા માટે આ એક સુલભ અને સૌને માન્ય થાય તેવો માર્ગ છે. તેથી તેના પર વધારે પ્રેમ જાગે એ માટે એને અંગે ઊંડો વિમર્શ કરીને તેનું આંદોલન પ્રત્યેક ગામ-નગર-શહેર-ઘર અને અંતરમાં જાગે તેમ થવાની ખાસ જરૂર છે.
તપ વિનાનો જપ શુષ્ક છે તેમ જપ વિનાનો તપ પણ શુષ્ક છે. તેથી તપ અને જપના મિલનની સાથે જિનાજ્ઞાના પ્રેમને જગાડવાની જરૂર છે. જિનાજ્ઞાના ખીલે બંધાઈને આપણે તપ કરીએ, જપ કરીએ, સંયમ પાળીએ, વ્રતનિયમ કરીએ, સંઘ, સાધુ, સમાધિ, વૈયાવચ્ચ વગેરે ધર્મકરણી કરીએ તો આપણું અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય.
૧૦૮ની સંખ્યાનું મહત્ત્વ ૧૦૮નો આંક મહત્ત્વનો છે. તેના કારણો નીચે મુજબ છે :- શ્રીપંચપરમેષ્ઠિના ગુણો ૧૦૮ છે :
શ્રીઅરિહંતના ૧૨ ગુણ, શ્રીસિદ્ધના ૮ ગુણ, શ્રીઆચાર્યના ૩૬ ગુણ, શ્રીઉપાધ્યાયના ૨૫ ગુણ, શ્રીસાધુના ૨૭ ગુણ એ પ્રમાણે સર્વ મળી ૧૦૮ ગુણ છે.
• નવકારવાળીના મણકા (પારા) ૧૦૮ છે. • ઉત્તમ પુરુષોના લક્ષણ ૧૦૮ હોય છે. • ૧૦૮ની સંખ્યાનો સરવાળો કરીએ તો ૯ થાય છે. નવનો આંક અખંડ
• એક સરખી ઉંમરના ૧૦૮ માણસો જે કુળમાં હોય છે તે કુળકોટિ કહેવાય છે.
• ૧૦૮ આંગળ ઊંચો હોય તે ઉત્તમ પુરુષ કહેવાય છે. • ૧૦૮ પૂજાનું સ્નાત્ર અષ્ટોતરી સ્નાત્ર છે.
આમ ૧૦૮ની સંખ્યા મહત્ત્વની છે. એ સંખ્યા જો સિદ્ધ થઈ જાય તો ફરી ભ્રમણ કરવું ન પડે.
- પ. પૂ. પં. શ્રીધરરવિજયજી ગણિવર
૨૬ • ધર્મ અનુપ્રેક્ષા