SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પશુતુલ્ય જીવોને છોડીને બીજાઓ કે જે સહજ સ્વભાવથી જ માતૃભક્ત છે, તેને જેમ માતા દ્વારા પિતાની પ્રતીતિ થાય છે, તેમ આપણે પણ પરમેષ્ઠિરૂપ પિતાની પ્રતીતિ કરવી હોય, તો તેમને નમસ્કાર કરવારૂપ માતાનો આશ્રય અવશ્ય લેવો જોઈએ. આ સિવાય પરમેષ્ઠિરૂપ પિતાની પ્રતીતિનો બીજો કોઈ સહેલો ઉપાય છે જ નહિ. નમસ્કારરૂપે માતાના ખોળે બેસીને જ આપણા પરમાત્મારૂપ પિતાને આપણે ઓળખી શકીશું. પરમેષ્ઠિ નમસ્કારમાં પરમાત્મસ્વરૂપ દેવ અને અંતરાત્મસ્વરૂપ ગુરુ એ બંને આવી જાય છે. તેમને નમસ્કાર કરવાવડે તેમના પરિચયમાં રહેવાથી આપણને આપણું અંતરાત્મસ્વરૂપ અને શુદ્ધ પરમાત્મસ્વરૂપ શું છે, તેની ઝાંખી થતી જાય છે અને જેમ જેમ એ ઝાંખી વધતી વધતી સ્પષ્ટ રૂપને ધારણ કરતી જાય છે તેમ તેમ દેહના માતાપિતાના સંબંધની જેમ જ આત્માના માતાપિતાનો સંબંધ સ્થાપિત થાય છે અને સ્થપાયેલો એ સંબંધ જ આપણા દુર્ઘટ કાર્યોને પણ સુઘટ બનાવનાર થાય છે. સંસારની વિષમતાનો કોઈ પાર નથી, તેનો પાર પામવા માટે બળવાન સાથ વિના, સબળની સહાય વિના માર્ગ કાપવો એ ભલભલા ભડવીરને માટે પણ દુષ્કર છે. એ સાથ અને સહાય પરમેષ્ઠિ નમસ્કાર વડે આપણને પ્રાપ્ત થાય છે, તેથી તેના બળે કોઈ પણ એવું દુર્ઘટ કાર્ય રહેતું નથી જે આપણે ન કરી શકીએ ! આ રીતે પરમેષ્ઠિ નમસ્કારના પ્રભાવનો વિચાર કરીને એના મહિમાને હૃદયમાં સ્થાપિત કરીને તેના પ્રત્યે પરમ ભક્તિવાળા બનવું એ સંકલ સંઘનું પ્રથમ કર્તવ્ય છે. નમસ્કાર માહાભ્યમાં શ્રીસિદ્ધસેનસૂરિજીએ ફરમાવ્યું છે કે 'जीयात् पुण्यांगजननी पालनी शोधनी च मे ।। हंसविश्रामकमलश्रीः सदेष्टनमस्कृतिः ॥' આ પંચપરમેષ્ઠિ નમસ્કાર, પુણ્યરૂપી શરીરની જનની છે, પાલની છે અને શિૉધની છે અને જીવરૂપી હંસની વિશ્રાન્તિ માટે કમલશ્રી છે, માટે એ જયવંત રહો. વળી આજે લગભગ સારોય સંસાર ભૌતિકતાથી, અનૈતિકતાથી અને પાશવતાથી હદ ઉપરાંત પતિત થઈ રહ્યો છે, તેવા સમયે પતિતને પાવન કરનાર પરમેષ્ઠિ નમસ્કારનો આશ્રય અનિવાર્ય બન્યો છે. આજે સંઘની અંદર, માનવ-માનવની અંદર, ઘર-ઘરની અંદર પરસ્પર પ્રેમના બદલે ધૃણા, સહિષ્ણુતાને બદલે ઉગ્રતા છે અને સ્નેહને બદલે વિરોધનું વાતાવરણ માઝા મૂકી રહ્યું છે, તેવા સમયે બધાનું માનસિક વલણ એક એવી દિશામાં વાળવું જોઈએ જેથી કોઈ જાતની પ્રેરણા કર્યા વિના જ સહજ રીતે પ્રેમ, વિશ્વાસ અને વાત્સલ્યનું વાતાવરણ ફેલાય. પરમેષ્ઠિ નમસ્કાર પ્રત્યે સહુ કોઈને એક સરખો આદર છે. તેથી તેના પ્રત્યે સમર્પણના ભાવ ખીલવવા માટેના કાર્યમાં સૌને એક સરખો સહકાર રહેવાનો અને તેથી સાચું ધર્મબન્ધત્વ ખીલી ધર્મ અનુપેક્ષા • ૨૫
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy