________________
આત્માઓ તો જીવનભર ધર્મમહાસત્તાને વફાદાર રહેનારા હોય જ છે. કારણ કે– સમ્યક્ત્વ અને દેશવિરતિધર આત્માઓ હંમેશને માટે અસંખ્ય હોય છે. એ જ રીતે વીસ અબજ સર્વવિરતિધર મુનિવરો, બે કરોડ કેવળજ્ઞાની અને વીસ તીર્થંકરદેવો સર્વદા હોય છે. ઉત્કૃષ્ટ કાળમાં તો—–નેવું અબજ સાધુઓ, નવ કરોડ કેવળજ્ઞાની અને એકસો સીત્તેર તીર્થંકરદેવો હોય છે.
કર્મસત્તા કરતાં ધર્મમહાસત્તાનું સામર્થ્ય વધારે છે એને બીજી રીતે વિચારીએ. આજ સુધીમાં અનંતા આત્માઓને ધર્મમહાસત્તાએ કર્મની દખલગીરીમાંથી સર્વથા મુક્ત બનાવ્યા છે અને અનંતા આત્માઓને થોડા જ કાળમાં મુક્ત બનાવશે, કારણ કે સમકિતથી પડેલા જીવો અનંતા છે (પાંચમા અનંતે છે.) અને એ બધા જીવો વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્ત્તમાં અવશ્ય મોક્ષે જવાના જ, અનંતપુદ્ગલપરાવર્તની અપેક્ષાએ અર્ધપુદ્ગલપરાવર્ત્ત કાળ સાવ અલ્પ જ ગણાય. સમ્યક્ત્વ પહેલાંના કાળને સમુદ્ર કહીએ તો સમકિત પામ્યા પછીના કાળને બિન્દુ કહી શકાય.
ધર્મમહાસત્તાનો ઉપકાર કેવો ચાલી રહ્યો છે એ જરા શાસ્ત્રદૃષ્ટિએ વિચારીએ. સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને મોક્ષપ્રાપ્તિનું જઘન્ય અંતર એક સમયનું છે અને ઉત્કૃષ્ટ અંતર :
(૧) સમ્યક્ત્વનું સાત દિવસ.
(૨) દેશવિરતિનું બાર દિવસ.
(૩) સર્વવિરતિનું પંદર દિવસ. અને (૪) મોક્ષપ્રાપ્તિનું છ મહિના.
અર્થાત્ આ સંસારમાં વધારેમાં વધારે સાત દિવસ પછી તો કોઈ જીવ નવું સમ્યક્ત્વ પામે જ. એ જ રીતે બાર દિવસે (મતાન્તરે ચૌદ દિવસે) તો કોઈ જીવ દેશવિરતિ ગુણસ્થાનક પામે જ, પંદર દિવસે કોઈ જીવ સર્વવિરતિપણું પામે જ, અને છ મહિને કોઈ જીવ મોક્ષે જાય જ.
પોતાનું વિસ્મરણ એટલે પોતાના તુચ્છ સ્વાર્થની ચિંતાનું વિસ્મરણ વિસ્મરણની એ ભૂમિકાનું ઘડતર શ્રીનવકાર સાથેના લાંબા કાળના સહવાસ પછી એવું સુદૃઢ બની રહે છે કે ઇન્દ્રનું વજ પણ તેના એક પરમાણુને હલાવવામાં નિષ્ફળ નીવડે.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૩