________________
ધર્મમહાસત્તાનું સામર્થ્ય
(ધર્મમહાસત્તાના અચિંત્ય સામર્થ્યને યથાર્થ અંજલિરૂપ આ લેખમાં, કર્મસત્તાની પરાધીનતામાંથી સદાને માટે મુક્ત થવાના સાચા માર્ગનું હૃદયંગમ નિરુપણ છે. સં.)
સામાન્ય રીતે એમ કહેવાય છે કે—સુખ-દુ:ખ, સંપત્તિ-વિપત્તિ, ઐશ્વર્ય-દારિદ્ર, માન-અપમાન, આરોગ્ય-રોગ અને સદ્ગતિ-દુર્ગતિ આ બધું શુભાશુભ કર્મને અનુસારે થાય છે. યદ્યપિ અપેક્ષાએ આ વાત સાચી હોવા છતાં એમાં મુખ્યતા ધર્મમહાસત્તાની જ છે. કર્મસત્તાનું કામ ધર્મમહાસત્તાની આજ્ઞા પ્રમાણે ચાલનારને સુખ આપવાનું છે અને ધર્મ મહાસત્તાની આજ્ઞાથી વિરુદ્ધ વર્તનારને દુઃખ આપવાનું છે. અર્થાત્ કર્મસત્તા એ ધર્મમહાસત્તાને આધીન છે. કર્મસત્તા સ્વતંત્રપણે કશું જ કરી શકતી નથી.
કર્મવર્ગણામાં જીવને વળગવાની શક્તિ છે, પણ તે તે જ જીવને વળગી શકે છે કે—જે જીવ ધર્મમહાસત્તાની આજ્ઞા વિરુદ્ધ વર્તતો હોય. જો એનામાં બધાયને વળગવાની શક્તિ હોત તો એક પણ જીવ મોક્ષે જઈ શકત નહિ અને મોક્ષે ગયેલાને પણ સંસારમાં પાછા લાવી શકત. પણ એવું કદી બનતું જ નથી.
બીજી વાત એ છે કે—કર્મવર્ગણા વળગ્યા પછી પણ જીવ જો ધર્મમહાસત્તાને શરણે ચાલ્યો જાય અને એની આજ્ઞા પ્રમાણે વર્તે તો એવું પણ બને કેવળગેલી કર્મવર્ગણા માત્ર પ્રદેશોદયથી જ ભોગવાઈ જાય. વિપાકોદય ન ભોગવવો પડે, દુ:ખ આપે તેવા પણ કર્મો સુખનો અનુભવ કરાવીને ભોગવાઈ જાય, જે કર્મપ્રકૃતિ ગાઢ બંધવાળી હોય તેને શિથિલબન્ધવાળી કરે, લાંબી સ્થિતિવાળીને ટુંકી સ્થિતિવાળી કરે, તીવ્ર રસવાળીને મંદ રસવાળી કરે અને બહુ પ્રદેશવાળીને અલ્પ પ્રદેશવાળી કરે; આ સઘળોય પ્રભાવ ધર્મમહાસત્તાનો જ છે.
નિકાચિત કર્મોનો ભોગવટો યદ્યપિ કરવો પડે, પણ ધર્મમહાસત્તાને શરણે રહેલો આત્મા, એ નિકાચિત કર્મોનો ભોગવટો એવી રીતે કરે છે કે–કાંતો કર્મવર્ગણાના દેરાતંબુ સર્વથા ઉપડી જાય અગર ઉદયમાં આવેલા નિકાચિત કર્મો શાન્તિથી ભોગવાઈ જાય, નવા અશુભ કર્મો બંધાય નહિ, બંધાય તે કર્મો શુભ જ બંધાય અને જ્યારે એ શુભકર્મો પાછા ઉદયમાં આવે ત્યારે એ શુભકર્મોના પ્રતાપે મળેલી સામગ્રી આત્માને કર્મક્ષયમાં મદદગાર બને. આ બધું જ સામર્થ્ય ધર્મમહાસત્તાનું જ છે. આથી સૂચિત થાય છે કે—ધર્મમહાસત્તા એ એક અતિ બળવાન અને જીવનું ૫૨મહિત કરનારી સત્તાં છે.
આ સંસારમાં ગમે તેવો ભયંકર કાળ પ્રવર્તતો હોય તો પણ અસંખ્યાતા ૨૨ • ધર્મ અનુપ્રેક્ષા