________________
સુખનું બીજ
(સ્વાર્થની શોધમાં ભૂલા પડેલા જીવોને સન્માર્ગ ચીંધવામાં આ લેખ, શરદ પુનમના ચન્દ્રની ગરજ સારે તેવો છે, કારણ કે એવા નિર્મળ મંગલમય હૃદયમાંથી જ તેનો જન્મ થયો છે. સુખી થવાની સાચી કળાનું લેખમાં સ્પષ્ટ માર્ગદર્શન છે. સં.)
આપણે સૌ જાણીયે છીએ કે જીવસૃષ્ટિનો મોટો ભાગ અને આપણે સુદ્ધાંય પોતાના જ સુખ-દુઃખની ચિંતાના ચીલા પર ચાલી રહ્યા છીએ અને આપણા પ્રત્યેક સત્કાર્યનું ફળ આપણને પોતાને જ મળે અગર વધુ તો આપણા પોતાના લાગતા વળગતાને મળે એવી જ મનોવૃત્તિથી ટેવાઈ ગયા છીએ. આવી મનોવૃત્તિ જો પશુસૃષ્ટિમાં અગર અશિક્ષિત–બીનકેળવાયેલ કે અનાત્મવાદી માનવસૃષ્ટિમાં જ હોત તો તે અસહ્ય ન ગણાત બલ્ક ક્ષન્તવ્ય ગણાત, પણ જયારે એવી વૃત્તિની પકડ. પોતાની જાતને શિક્ષિત-કેળવાયેલ અને આત્મવાદી માનનાર માનવગણમાં પણ દેખાય છે, ત્યારે સહેજે વિચાર થાય છે કે–આમ કેમ ?
જીવનના પ્રત્યેક વ્યવહારમાં બારિકાઈથી આ વાત સ્પષ્ટ સમજાઈ જાય તેવી છે, એટલે એની સ્પષ્ટતા કરવાની જરૂર નથી. આવી વૃત્તિના કારણે જ સુખપ્રાપ્તિ માટે અને ' દુઃખનાશ માટે અનેક જાતની દોડધામ કરવા છતાં આપણને સુખ મળતું નથી અને દુઃખ ટળતું નથી. એમ બનવામાં કારણ આપણી દિશાચૂક છે. -
સુખનું બીજ સુખની અભિલાષામાંય નથી અને સુખના ભોગવટામાંય નથી. કહ્યું છે કે-“1 મુઠ્ઠી#મતે સુરમ્' અર્થાત્ સુખથી સુખ નથી મળતું. દશવૈકાલિક-સૂત્રના
आयावयाही चय सोगमल्लं, कामे कमाही कमियं खु दुक्खं ।। છિવાઈ તો વિફ઼ઝ રાજ, પુર્વ સુધી રોહિતિ સંપરીછે (અ. ૨-ગા. ૫).
આ શ્લોકમાં સંસારમાં પણ સુખી કઈ રીતે રહી શકાય છે. એનું ટૂંકમાં માર્ગદર્શન કરાવતાં જણાવ્યું છે કે-ઉનાળામાં આપના લે, સુકુમારતાનો ત્યાગ કર, અભિલાષાના તરંગોને ઓળંગી જા, દ્વેષને છેદી નાંખ અને રાગને દૂર કર, આમ કરવાથી દુઃખ ચાલ્યું જશે અને સંસારમાં પણ તું સુખી થઈશ.
સુખનું બીજ. મળેલા સુખના ત્યાગમાં અને વળતર લેવાની ઇચ્છા વિના પ્રાપ્ત સુખ સામગ્રીને પરાર્થે અર્પણ કરવામાં છે. એ જ રીતે દુ:ખનાશનું બીજ દુઃખથી અકળાઈ જવામાં કે દુઃખ ટાળવા માટે મનમાન્યા ઉપાયો યોજવામાં નથી, પણ દુઃખના
૧૮ ધર્મ અનુપ્રેક્ષા