________________
કામો’ પદ
(મંત્રાધિરાજ શ્રીનવકારના ‘મો' પદમાં રહેલી સ્વપરહિતકર શક્તિનું સરસ વર્ણન અત્ર કરવામાં આવ્યું છે. સં.)
નમો રિહંતાનું મો પદ સંસ્કૃત નમ: શબ્દપરથી બનેલ છે. નમ: શબ્દ “શું' ધાતુ પરથી બનેલ છે, “નમ્' ધાતુનો અર્થ નમન (નમવું) છે. નમન એટલે નમ્રતા. નમ્રતા મનોવૃત્તિનો ધર્મ છે. નમ્રતા વૃત્તિને માનસશાસ્ત્રકારો અતિ સૂક્ષ્મ માને છે, નમ્રતા ગુણની પરાકાષ્ઠા પ્રાપ્ત થતાં જ અણિમા નામની પ્રથમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
૧. સિદ્ધિઓ આઠ છે : અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ, અણિમા સિદ્ધિ પ્રાપ્ત થતાં સાધક અણુસમાન સૂક્ષ્મ બની શકે.
પ્રાકૃત ભાષામાં અક્ષરોનો વિપર્યય પણ કેટલેક સ્થળે થાય છે, દા.ત.-રેપૂ= #ળે, વારાણસી=વાળરસી વગેરે. એ રીતે સંસ્કૃત મન: શબ્દ ઉપરથી બનો પદ બને છે, એથી નમોનો અર્થ મનોવૃત્તિ થઈ શકે. મનોવૃત્તિ સૂક્ષ્મ હોવાથી અમો પદના ધ્યાનથી “અણિમા' સિદ્ધિ પ્રાપ્ત છે.
નમો'માં મ્ અને ગો શબ્દો છે. અમ્ વાક્યાલંકારના અર્થમાં છે. મને આકાર અને કારના સંયોગથી બને છે. પ્રકારનું સ્થાન કંઠ છે અને સકારનું સ્થાન ઓઇ છે. કંઠમાં ઉદાનવાયુ રહે છે. યોગશાસ્ત્રો કહે છે કે ઓષ્ઠોને બંધ કરીને જો ઉદાનવાયુનો સંયમ કરવામાં આવે તો અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ અપેક્ષાએ ‘ામો'ના ધ્યાનથી અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
નમો’ શબ્દ “ મા ' એ અક્ષરોના સંયોગથી બનેલ છે, તે સૂચવે છે કે ધ્યાતાએ પ્રકારનું સ્થાન જે મૂર્ધા (બ્રહ્મપ્ર) તેમાં “મા' એટલે આન્યલક્ષ્મીની ૩ એટલે અનુકંપા (કરુણા)નું ધ્યાન કરવું જોઈએ. સારાંશ એ છે કે મૂર્ધા સ્થાનમાં સમવસરણસ્થિત શ્રીઅરિહંત ભગવંત કરુણાવડે સર્વ જગતનું હિત કરી રહ્યા છે, એવું ધ્યાન કરવું જોઈએ.૧
१. सर्वजगद्धितमनुपममतिशयसंदोहमृद्धिसंयुक्तं ध्येयं जिनेंद्ररुपं सदसि गदत्....।
સર્વ જગતનું હિત કરનાર, અનુપમ, અતિશયોથી સહિત, ઋદ્ધિવાળા, સમવસરણમાં દેશના આપતા શ્રીનિંદ્ર પરમાત્માના રૂપનું ધ્યાન કરવું જોઈએ–શ્રીષોડશક પ્રકરણ
समस्तजगदनुग्रहप्रवणं हि भगवतो भावरुपं परिभावनीयम् ।
સમસ્ત જગત ઉપર અનુગ્રહ કરવામાં તત્પર એવા ભગવંતના ભાવરૂપની પરિભાવના કરવી જોઈએ.-શ્રીઉપમિતિભવપ્રપચા કથા.
ધર્મ અનુપ્રેક્ષા • ૩૩૧