SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ફળ એકત્ર કરીએ અને એની સાથે શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કારની ક્રિયાનું ફળ મેળવીએ, તો તરત જ જણાશે કે નમસ્કારનું ફળ ઘણું જ મોટું છે. જેમ કે—કોઈ માણસ સઘળીએ ધર્મક્રિયાઓ કરી શકે, એ બનવું તદ્દન અશક્ય છે. એટલે સ્વયં કરાતો ધર્મ હંમેશાં થોડો જ હોય છે. જ્યારે બીજાઓને કરાવવા દ્વારા થતો ધર્મ એનાથી કંઈ ગુણો વધારે હોય છે. કારણ કે અનેકને કરાવાતા ધર્મનું પ્રમાણ પોતે કરેલા ધર્મ કરતાં વધારે હોય છે. તેના કરતાં પણ અનુમોદના દ્વારા થતો ધર્મ સૌથી વધારે હોય છે. દાખલા તરીકે દાનધર્મ કરવા માટેનું ક્ષેત્ર પોતાની સંપત્તિ અને ભાવના જેટલું જ હોય છે, કરાવવાનું ક્ષેત્ર જ્યાં જ્યાં પોતાની લાગવગ લાગતી હોય તે દરેકની સંપત્તિના સરવાળા જેટલું જ હોય છે, જ્યારે અનુમોદનાનું ક્ષેત્ર તો જગતભરના ભૂતભવિષ્ય અને વર્તમાનકાળના દાતારોની દાન ક્રિયા જેટલું અતિ વિશાળ હોય છે. એ જ રીતે શીલ, તપ અને ભાવ વગેરે સર્વ ધર્મક્રિયા માટે પણ સમજી લેવું. હવે જો આપણે ધર્મક્રિયાઓ માત્ર કરવાનું જ રાખીએ, પણ કરાવવાનું અને અનુમોદવાનું ન કરીયે તો આપણે અસંખ્ય ભવોના સંચિત કર્મોનો નાશ કદી ન કરી શકીએ. શાસ્ત્રમાં જેમ કરવાનું ફળ કહ્યું છે તેમ કરાવવાનું અને અનુમોદનાનું ફળ પણ કહ્યું છે. કરી શકાય થોડું, કરાવી શકાય તેથી વધારે અને અનુમોદના તો જગતભરના તમામ ધર્માત્માઓની થઈ શકે છે, એમ અનુમોદના દ્વારા જીવ અનંત પુણ્ય ઉપાર્જન કરી શકે છે. દાનાદિ પ્રત્યેક ધર્મ, શક્તિ આદિના કારણે ઓછો-અમુક પ્રમાણમાં થવાનો, કરાવવામાં પણ કીર્તિમહત્વાકાંક્ષા વગેરે દોષોનો સંભવ છે, દાન દેતાં કીર્તિમાન-પાન અભિમાન આદિ, શીલ પાળતાં મહત્ત્વાકાંક્ષાદિ, તપ કરનારને તેનું અજીર્ણ ક્રોધ અને અહંકાર આદિ થઈ જવાનો સંભવ છે, પણ કોઈના કરેલા ધર્મની અનુમોદના કરવામાં તો તેવો કોઈ પણ દોષ થવાનો સંભવ નથી. અનુમોદનામાં યથાશક્તિ પણ નહિ, કારણ કે—સારાય જગતના જીવોના ત્રણે કાળના સુકૃતની અનુમોદના થઈ શકે છે. અહીં શ્રીનવકા૨ના જાપથી પાંચેય પરમેષ્ઠિનું ત્રણેય કાળનું સુકૃત અનુમોદાય છે અને તે સુકૃત ઘણું મોટું હોવાથી શ્રીપંચપરમેષ્ઠિને નમસ્કાર કરનાર પુણ્યાત્મા મોટામાં મોટા ફળનો ભોક્તા બને છે. વર્તમાન ચોવીશીમાંથી માત્ર પહેલા શ્રીઋષભદેવ સ્વામીનું જ સુકૃત લઈએ તો તે પણ ઘણું જ મોટું છે. તો આ રીતે અનંતા તીર્થંકરો, અનંતા સિદ્ધ પરમાત્માઓ, અનંતા આચાર્ય ભગવંતો, અનંતા ઉપાધ્યાય ભગવંતો અને અનંતા સાધુ ભગવંતોને ભક્તિ-ભાવપૂર્વક નમસ્કાર કરવાનું કાર્ય એ એક એવી વિશિષ્ટ આરાધના છે કે આ એક નમસ્કાર મહામંત્રના જાપથી ત્રણે કાળના અનંત શ્રીપંચપરમેષ્ઠિના સુકૃતોની અનુમોદના થાય છે. તેથી પુણ્યરૂપી શરીર પુષ્ટ થાય છે અને ૮ • ધર્મ અનુપ્રેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy