SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પામે છે અને કાશ્મણ શરીરની (પુણ્ય શરીરની) પુષ્ટિ પરમેષ્ઠિ-નમસ્કારની ક્રિયા દ્વારા થાય છે. તે સિવાયની (સાંસારિક) ક્રિયાઓથી એ કામણ શરીર વિકૃત બને છે. અર્થાત પાપની પુષ્ટિ સ્વરૂપ બને છે. નમસ્કારની ક્રિયા દ્વારા એ કામણ શરીરમાં પુણ્ય પરમાણુઓની પુષ્ટિ થવાથી સઘળાંય સુખો એની મેળે આવી મળે છે. જેમ શરીરમાં શક્તિવર્ધક ઔષધિ અને પથ્ય ખોરાક આદિ જવાથી શરીરની પુષ્ટિ-વૃદ્ધિ આદિ થાય છે અને શરીર દ્વારા સુખ-તંદુરસ્તી બળ વગેરે પ્રાપ્ત થાય છે, એ જ રીતે પરમેષ્ઠિ નમસ્કાર ક્રિયાથી પુણ્યરૂપ કામણ શરીરની પુષ્ટિ થવાથી સર્વ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. પછી એ નમસ્કાર કરનાર કોઈપણ હોય, જૈન હોય કે અજૈન, તિર્યંચ હોય કે મનુષ્ય પણ પરમેષ્ઠિ નમસ્કારના પ્રભાવથી તે અવશ્ય સુખી બને છે. સુંદર શરીર, વિપુલ ધન, દીર્ઘ આયુષ્ય, અનુકૂળ કુટુંબ-પરિવાર, માનપાન સારું ભોજન આદિ વસ્તુઓ સૌને ગમે છે, પણ તે શાથી મળે ? પુણ્યરૂપી શરીરથી. એ જ રીતે રોગી શરીર દરિદ્રતા, ટૂંકું આયુષ્ય, પ્રતિકૂળ પરિવાર, આ બધું આરંભ સમારંભ આદિની ક્રિયાઓ દ્વારા પુષ્ટ થયેલા પાપરૂપી શરીરથી પ્રાપ્ત થાય છે. સંસારમાં સુખપ્રાપ્તિ અને દુ:ખનાશની સૌની એક સરખી ઇચ્છા હોવા છતાં સૌને સુખ-દુઃખ એક સરખું હોતું નથી, એથી સિદ્ધ થાય છે કે એની અંદર કોઈ અદશ્ય વસ્તુ કાર્ય કરી રહેલ છે. તેનું જ નામ પુણ્ય અને પાપ. પુણ્ય પ્રાપ્તિની અનેક ક્રિયાઓ છે. તેમાં સૌથી શ્રેષ્ઠ અને સહેલી ક્રિયા આ પંચપરમેષ્ઠિના નમસ્કારની છે. તે ક્રિયાને જો રસપૂર્વક અને એકાગ્રચિત્તે કરવામાં આવે તો સમજવું કે કાર્ય સિદ્ધ થઈ ગયું. ભોજનની ક્રિયામાં જેવી એકાગ્રતા, અસ્મલિતતા, લયલીનતા અને એકમેકતા અનુભવાય છે, તેવી એકાગ્રતા વગેરે જો આ ક્રિયામાં આવી જાય, તો આત્માને પારાવાર લાભ થાય. ભોજન ક્રિયામાં મન પરોવાઈ જાય છે, તેથી ત્યાં અવિધિ થતી નથી. કોળીયો સીધો મોઢામાં જ જાય છે, કાંકરો આવે તો ફેંકી દેવાય છે. માખીનો ખ્યાલ રહે છે. આમ શાથી બને છે ? ભોજન દ્વારા તૃપ્તિ થાય છે અને શરીર પુષ્ટ બને છે, એ વાત બરાબર હૃદયથી સમજાઈ ગઈ છે તેથી. એ જ રીતે જ્ઞાનીઓ કહે છે કે–જગતમાં સૌથી શ્રેષ્ઠ સામગ્રી પંચપરમેષ્ઠિના નમસ્કારથી પ્રાપ્ત થાય છે. જન્મથી જ ધનવાન-નિર્ધન વગેરે જે તફાવતો પડે છે તેમાં પુણ્ય કે પાપ સિવાય બીજું કોઈપણ કારણ નથી. આજ વાતને શાસ્ત્રની ભાષામાં જણાવતાં જ્ઞાનીઓ એમ કહે છે કે નવકાર એ સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વમંગલમાં પહેલું મંગલ છે. જેઓ દરેક વાતમાં યુક્તિને જ માગે છે. તેઓને પણ શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કારની ક્રિયા કેવી ઉચ્ચકોટિની છે તે વાત સમજાવી શકાય તેમ છે. બીજી સઘળીય ક્રિયાઓનું ધર્મ અનુપ્રેક્ષા • ૭
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy