________________
છે. આવી રીતે જ્ઞાનીઓની આજ્ઞા મુજબની બીજી પણ જે જે પ્રણાલિકાઓ ચાલે છે તે પણ એકાંતે કલ્યાણ કરનારી હોઈ અવશ્ય સબહુમાન આદરણીય છે.
મરણ વખતે શ્રુતકેવલી ચૌદપૂર્વધરો જયારે બધુંય શ્રુત યાદ કરી શકતા નથી ત્યારે એકલા નવકારને જ યાદ કરે છે. આ નવકાર પણ જેને યાદ ન રહી શકે તેને માટે એ પાંચે પદના આદિ-આદિ અક્ષરોનો બનેલો “સિગાડી' આટલો નાનો મંત્ર પણ ગણવાનું વિધાન છે, એ પણ યાદ ન રહી શકે તેને માટે એ પાંચ પદના પહેલા પહેલા અક્ષરના સંયોગથી વ્યાકરણના નિયમ મુજબ સંધિ થઈને બનેલો મંત્રાક્ષર પણ જ્ઞાનીઓએ બતાવ્યો છે. એટલું પણ જે ન કરી શકે તેને સ્વજનાદિ દ્વારા શ્રીનવકારમંત્ર સાંભળવો જોઈએ. યાવતુ છેલ્લા શ્વાસોચ્છવાસ પૂર્ણ કરતી વખતે કોનમાં એ નવકારમંત્રના જ પડઘા પડવા જોઈએ, એથી જૈનકુળમાં મરણપથારીએ પડેલાને આજે પણ સૌ શ્રીનવકારમંત્ર જ સંભળાવે છે, કારણ કે પરલોકમાં જવા માટેનું સાચું અને અખૂટ ભાતું તેના સિવાય બીજું એક પણ નથી.
|
(૨) નમસ્કાર એ પંચપરમેષ્ઠિ પ્રત્યે આદર સૂચવનારી પવિત્ર ક્રિયા છે. એ ક્રિયાનો વિષય પરમેષ્ઠિઓ એ મહાન છે. એટલે એનું ફળ પણ મૂહાન છે. આ નમસ્કારની ક્રિયા પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરનાર, તેની વૃદ્ધિ કરનાર અને પુષ્ટ કરનાર એક મહાપવિત્ર ક્રિયા છે. ઉત્પત્તિ વખતે પુણ્યરૂપી શરીરની હાલત અતિ નાજુક હોય છે. જેમ માતાના ઉદરમાં બાળકનું શરીર સૌથી પ્રથમ સાત દિવસ કલારૂપે, પછી સાત સાત દિવસ અબ્દ, પેશી અને માંસખંડ, પહેલે મહિને કર્ષ (૮૦ રતીભાર), બીજે મહિને ઘન, માંસપેસી-સમચતુરસ્ત્ર માંસખંડ, ત્રીજે મહિને દોહલા થાય છે, ચોથે મહિને માતાના અંગોમાં પીડા થાય છે. પાંચમે મહિને હાથ પગ અને મસ્તક ફુટે છે–પ્રગટે છે, પાવતુ આઠમે મહિને સંપૂર્ણ શરીર તૈયાર થાય છે. માતાના ઉદરમાં એવી તાકાત હોય છે કે એ કલબ-અબૂદ-માંસપેસી આદિમાંથી સર્વાગ સુંદર બાળક બની શકે છે. એ જ રીતે પુણ્યરૂપી શરીરની સ્થિતિ પણ ઉત્પત્તિ વખતે નાજુક હોય છે, તેને આ નમસ્કારની ક્રિયા પુષ્ટ બનાવે છે.
માતાના ઉદરમાં શરીર રચના થાય છે તે વખતે જીવને ત્રણ શરીર હોય છે : (૧) ઔદારિક, (૨) તૈજસ અને (૩) કાર્મણ. તેમાં ઔદારિક શરીર આહારથી વૃદ્ધિ
3. जीयात् पुण्याङ्गजननी पालनी शोधनी च मे । હંસવિશ્રામમિતશ્રી: નમસ્કૃતિ: || નમસ્કાર માહાભ્ય)
૬• ધર્મ અનુપ્રેક્ષા