________________
- આ પ્રહેલિકાના ભાવાર્થ તરીકે ૧૦૮ મણકાની નવકારવાળી સુજ્ઞપુરુષોએ નિર્દેશેલ છે, તેથી તેમાં ચાર સખીરૂપ ચાર આંગળીઓ (જેના પર માળા રાખવાની છે. તેની પર માળા ફરે એટલે વિવક્ષાએ) તેની સાથે ખેલ કરતી નારી તરીકે ઘટી શકે–અને ઉપર એક પુરુષ એટલે અંગુષ્ઠ-(જેનાથી મણકા ફેરવાય છે) તે શોભે છે.
એ જે મેરુ અથવા ફુમતું હોય છે તે બોર તેના માથે છે, તે તેની કેડ એટલે કટિપ્રદેશ નહીં પણ પીછો નથી છોડતું.
આ પ્રમાણે અર્થ સંગતિથી અંગુષ્ઠથી મણકા ફેરવવાની વાત સમર્થિત થાય છે.
મોક્ષાનુલક્ષી જાપ જ વાસ્તવિક નિષ્કામ ભક્તિ-ઉપાસનાનું તત્ત્વ હોઈ જાહેરમાં વર્ણન-ગુણગાન તેના જ હોઈ શકે, બાકીના વશીકરણાદિની કામનાથી થતો જાપ વાસ્તવિક રીતે મોહના સંસ્કારવાળો હોઈ એકાંત હિતકર કે સજ્જનોની પ્રશંસાને પાત્ર ન હોઈ અહીં અંગુઠજાપની પ્રધાન વિવફા ઉચિત લાગે છે. (૩) “મોક્ષ જાપ અંગુઠડે, વૈરી રૂડે રે તર્જનાંગુલી હોય,
બહુસુખદાયક મધ્યમાં, અનામિકા રે વણ્યારથ હોય. આકર્ષણ ટચી આંગળી, વળી સુણજો રે ગમવાની રીત, મેરુ ઉલ્લંઘન મત કરો, મમ કરજો રે નખ અગ્રે પ્રીતિ.”
- પૂ. લબ્લિવિજયજી મ. રચિત શ્રીનવકારવાલી સજઝાય ગા. ૩-૪ (૪) “મોક્ષ જાપ અંગુઠડે, વૈરી રૂઠàરે તર્જની આંગળી જોય,
બહુસુખદાઈ મધ્યમાં, અનામિકા રે વશ્યારથ હોય કે,
આકર્ષણ ટચી આંગળી, ઇણ રીતે જપજો નવકાર.” - પૂ. સમયસુંદર ગણી રચિત શ્રીનવકાર મહામંત્રની સઝાય ગા. ૪-પા
(આ સજઝાય બરોરા (વર્ધા-હિંગનઘાટથી ભાંડક તીર્થે જતાં વચલા મુકામે)ના ઉપાશ્રયના કબાટમાં પડી રહેલ અસ્તવ્યસ્ત દશામાં લગભગ કચરારૂપે ઉપેક્ષિત પ્રાચીન હસ્તલિખિત પત્રોના છૂટક પાનાંમાના સંગ્રહમાંથી મળી આવેલ પ્રાચીન લિપિવાળા હસ્તલિખિતિ પાનામાંથી ઉતારેલ છે.) (૫) “મટ્ટી યજ્ઞપ્ત, યજ્ઞd મેરૂના
व्यग्रचित्तेन यज्जप्तं, तत्प्रायोऽल्पफलं भवेत् ॥" ભાવાર્થ :- આંગળીના અગ્રભાગથી, મેરુને ઓળંગવાપૂર્વક અને વ્યગ્રચિત્તપણે જે જાપ કરાય તે પ્રાયઃ અલ્પફળદાયી થાય. આ ઉપરથી અંગુલીથી જાપ કરવો ઉચિત નથી એમ ધ્વનિત થતું લાગે છે.
૧૯૪• ધર્મ અનુપ્રેક્ષા