________________
પવિત્રતમ. આંગળીથી જાપ બહુ શ્રેષ્ઠ હોવાની વિચારણા વગેરે.
" પરંતુ વાસ્તવિકતાના ધોરણે શાસ્ત્રીય અક્ષરોની ગવેષણા કરતાં નીચે મુજબ જાણવા મળ્યું છે :
“આધ્યાત્મિક દૃષ્ટિએ શ્રીનમસ્કાર મહામંત્રના જાપની મૌલિક શક્તિનો વિકાસઅધખુલી મુઠ્ઠીરૂપે ચાર આંગળીઓ વાળી, તર્જનીના વચલા વેઢા ઉપર માળા રાખી અંગુઠાના પહેલા ટેરવાથી (નખ ન અડે તે રીતે) મણકા ફેરવવા દ્વારા–થાય છે.”
આ બાબત મળેલા શાસ્ત્રીય પ્રમાણોનું સમર્થન નીચે મુજબ છે :(૧) “મોક્ષા-fમવાર-શક્તિ-વશ્ય- Éપુ યોગવેત્ મશઃ |
___ अङ्गुष्ठाद्यङ्गुलिका, मणयोऽङ्गष्ठेन चाल्यन्ते ॥
टीका:- अङ्गष्ठाद्यङ्गलिका-अङ्गष्ठमादि कृत्वा अङ्गली: मोक्षादिकर्मसु योज्यते, कथम् ? क्रमश:-क्रमपरिपाट्य मणयः-प्राक्कथित मणयः-अडगुष्टेन, चालयन्ते ।
“મોક્ષાર્થી અને વાત,
अभिचारकर्मणि तर्जन्या-शान्तिक-पौष्टिकयोः मध्यमाङ्गल्या-वश्यकर्मणि अनामिकाङ्गल्या-आकर्षणकर्मणि कनिष्ठिकाङ्गल्या-चालयेत्" ॥
ભાવાર્થ - મોક્ષ આદિ કાર્યોને નિમિત્તે કરાતા જાપમાં અંગુષ્ઠ આદિ આંગળીઓ યોજવી, એટલે કે–મોક્ષના અર્થીએ અંગુઠાથી પૂર્વોક્ત (નાના પ્રકારની માળા સંબંધી) મણકાઓ ફેરવવા. કે શત્ર નિગ્રહાદિ કાર્યમાં તર્જની વડે–શાંતિ-પુષ્ટિના કાર્યમાં મધ્યમા વડે– પશ્યકર્મમાં અનામિકા વડે–આકર્ષણ કાર્યમાં કનિષ્ઠિકા વડે–મણકા ફેરવવા. .. - પૂ. આ. શ્રીમલ્લિષેણસૂરિ રચિત, શ્રીભૈરવ પદ્માવતી કલ્પ પરિ. ૩–શ્લો. ૧૨ની ટીકા.' (૨) “એક પુરુષ તસ ઉપર સોહે, ચાર સખિશું ખેલે રે,
એક બેર છે તેહને માથે, તે તસ કેડ ન મેલે રે
કહેજો ચતુર નર ! એ કુણ નારી? ધરમી જનને પ્યારી રે.” - પૂ. ઉપા. શ્રીવિનયવિજયજી મ.ના શિષ્યરત્ન પૂ. રૂપવિજયજી મ. કૃત, સમસ્યા પ્રહેલિકામય શ્રીનવકારવાલીની સઝાય-ગા. ૩
ભાવાર્થ :- “હે ચતુર સજજનો ! ધર્મીજનને વહાલી એવી તે કઈ નારી છે ? જેના ઉપર એક પુરુષ શોભે છે, વળી જે નારી ચાર સહીયારીઓ સાથે ખેલે છે અને એક બોર તેના માથે છે કે જે તેની કેડ નથી છોડતું ?”
ધર્મ અનુપ્રેક્ષા • ૧૯૩