SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અઈએ. એકબીજાના સંયમની રક્ષામાં સહાય કરવી એ આપણી સૌની અત્યંત મહત્ત્વની ફરજ છે. ૩૭. હું સૂર્યોદય પછી જ ઘડાઓનું પ્રતિલેખન કરીશ અને એને બરાબર પ્રકાશમાં જોઈ ૪ પંજણીથી પુંજીને પછી જ એમાં પાણી લઈશ : જ આ નિયમ પણ આપવો પડે છે એ આશ્ચર્ય તો છે જ. જે સ્થાનોમાં પુષ્કળ સાધુ-સાધ્વીજીઓ જે હોય છે અને જ્યાં બે-ત્રણ સ્થાને જ પાણી ઉકળતું હોય છે ત્યાં સંયમીઓ (૧) પોતે પાણી વહોરવામાં જ મોડા ન પડી જાય, (૨) પાણી ખલાસ થઈ જાય અને પોતે રહી જાય તેવું ન બને એ માટે અંધારામાં જ, સૂર્યોદય પહેલા જ ઘડાઓનું પ્રતિલેખન કરી પાણી લેવા પહોંચી જાય. કેટલાંકો તો સૂર્યોદય પૂર્વે ? છે જ પાણી વહોરી પણ લે. છે (”સૂર્યોદય પૂર્વે પાણી વહોરે અને પછી નવકારશીના સમયે વાપરે તો પણ શાસ્ત્રકારોએ એમાં છે ૪ રાત્રિભોજનનો દોષ બતાવેલો છે. સૂર્યોદય પૂર્વે જ ઘટાદિનું પ્રતિલેખન કરવામાં કયા દોષો લાગે છે? એ જોઈએ. (૧) ઘડા જ વગેરેની ઠંડકના કારણે કીડી, મચ્છર વગેરે જંતુઓ રાત્રે એમાં ભરાઈ જતા હોય છે. અંધારામાં જ પ્રતિલેખનાદિ કરીએ તો ઘણા જંતુ અંદર રહી જાય છે અને પછી ધગધગતું પાણી એમાં પડે એટલે તે છે જીવો ભયંકર રિબામણ સાથે મૃત્યુ પામે. એક સંયમીએ પ્રમાદના કારણે ઘડો બરાબર જોયા વિના જ જ પાણી વહોર્યું. એ ઘડામાં ગિરોળી ભરાઈ ગયેલી. ધગધગતા પાણીમાં મરી ગઈ. આ તો સારું થયું કે આ જે પાછળથી કો'કની નબ એ ઘડામાં ગઈ અને ગરોળી મરેલી દેખાઈ એટલે એ પાણી પરઠવી દીધું. બાકી છે જ એ પાણી સાધુઓ વાપરત તો ગરોળીનું ઝેર બધાને ચડત. જ (૨) આજ્ઞાભંગ તો થાય જ. કેટલાંકો સૂર્યોદય પછી પડિલેહણ તો કરે પરંતુ ઘડાની ઉપર સીધી જણી ફેરવી દે અને તરત જ જ પાણી વહોરવા લઈ જાય. ખરેખર તો સવારનો પ્રકાશ ઝાંખો હોવાથી ઘડાઓ બારી વગેરે પાસે લઈ જ છે જઈ વધુ પ્રકાશમાં જોવા જોઈએ. ધ્યાનથી જોઈએ ત્યારે ખબર પડે કે ઘડાની માટીના રંગના લીધે ન છે જ દેખાતા કેટલાંક જીવો એમાં હોય છે. એવા જીવો દેખાય કે ન દેખાય તો પણ બરાબર પૂંજણી ફેરવી જ જ એ ઘડાને ખંખેરી દેવા જોઈએ. કદાચ પહેલા આખા ઘડામાં પૂંજણી ફેરવી દીધી હોય તો પણ પછી એ જ છે ઘડાઓ પ્રકાશમાં જોવા જ જોઈએ. પ્રકાશમાં જોયા વિના ઘડાઓનો ઉપયોગ ન જ કરવો. કેટલાક ઠેકાણે સાધ્વીજીઓના ઘડાઓ લાઈનમાં ગોઠવવામાં આવે છે. પછી ક્રમસર બધાના ઘડા જ ભરાય. આવા સ્થળે જ્યારે જે સાધ્વીજીના ઘડાનો નંબર આવે ત્યારે તે સાધ્વીજીએ પુનઃ ઘડામાં નજર જ કરી લેવી. કેમકે વચ્ચેના સમયમાં મચ્છરાદિ ઘુસી ગયા હોવાની શક્યતા છે. ઘડા ઉપર ટોક્સી ઢાંકેલી ? જે જ હોય તો પછી પ્રશ્ન નથી. ૩૮. હું પાણીની પરાતો પંજીને જ પછી એમાં પાણી ઠારીશ. જમીન પણ બરાબર પંજી લઈશ: ૪ ગરમ પાણી લાવ્યા પછી ઉનાળાદિમાં એને પરાતોમાં ઠારવું પડે છે. કેટલાંક સંયમીઓ આગલા ૪ દિવસની ભીંતને ટેકે મૂકેલી પરાતો જોયા વિના, પૂંજ્યા વિના જ સીધી જમીન ઉપર મૂકી દઈ અને જે જ ધડાધડ એમાં પાણી ઠારવા માંડે છે. “કોઈપણ ગાડી સંયમીએ ન પકડવાની હોવા છતાં આટલી બધી જ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૬૩),
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy