SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ છે ઈચ્છાવાળા કેટલાંક સંયમીઓ પણ સંઘાટકની ના પાડે. આમાં (૨) અને (૪) નંબરના કારણો તો અત્યંત વખોડવા લાયક છે. (૧) અને (૩) નંબરના ૪ જ કારણોમાં પણ સંયમીઓએ સહિષ્ણુ બનીને જિનાજ્ઞા ખાતર ભોગ આપવાની તૈયારી બતાવવી જોઈએ. જે જ જો બધા જ ગ્રુપમાં સંઘાટક વ્યવસ્થા શરૂ થાય તો ઘણા બધા દોષોથી ઘણા બધા સંયમીઓ બચી જાય. ૪ છે હવે સંઘાટક વ્યવસ્થા ગોઠવવાથી માંડલીના બાકીના કામોમાં જે ખેંચ પડે એ માટે તો ગોચરી જનારા છે જ સંયમીઓને જ એ કામોમાં ગોઠવી શકાય. થોડુંક વધારે કામ કરવાની તૈયારી રાખવી પડે. જ અથવા ગચ્છમાં જે ભક્તિવાળો, વૈયાવચ્ચી સંયમી હોય એણે એક - બે કામ વધારે કરવાની ? જ તૈયારી બતાવી આ વ્યવસ્થામાં સહકાર આપવો જોઈએ. અથવા ગોચરી જનારા સંયમીઓ જ એક-એક ઘડો પાણી લેતા આવે તો પાણી લાવવાનું ૪ માંડલીનું કામ જ રદ થઈ જાય. પછી વાંધો ન આવે. ટૂંકમાં કોઈપણ રીતે સંઘાટક ગોચરીની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પણ બધા બધી સારી વાતો સ્વીકારી જ લેતા હોત તો આ હળાહળ કળિયુગ શી રીતે કહેવાત? ? છે એટલે જ અહીં એવો નિયમ નથી આપ્યો કે “હું અવશ્ય સંઘાટક ગોચરી જઈશ.” કેમકે પોતે સંઘાટક છે ગોચરી જવા તૈયાર હોય પણ કોઈ સાથે આવવા જ તૈયાર ન હોય તો? તો પછી નિયમનું પાલન શક્ય જ ન બને. $ એટલે જ નિયમ એવો રાખ્યો છે કે “જો ગ્રુપમાં સંઘાટક વ્યવસ્થા ગોઠવાતી હશે તો મારા ૪ જે નિમિત્તે એમાં મુશ્કેલી નહિ ઉભી થવા દઉં. હું બે કામ કરવાની તૈયારી રાખીશ. હું બધી રીતે આ વ્યવસ્થા માટે મારી અનુકૂળતા મુજબ સહાય કરીશ. પણ ઉપરના ચાર કારણોસર એનો વિરોધ કરવાનું જે કે તોડી પાડવાનું કામ નહિ કરું.” સ્વાધ્યાય ઓછો કરીને પણ આ વ્યવસ્થા પાળવી એ શ્રેષ્ઠ માર્ગ છે.’ ખરેખર તો પાણીમાં પણ સંઘાટક વ્યવસ્થા જોઈએ. પણ અત્યારે એ બોલવાનો કોઈ અર્થ જ છે જે નથી દેખાતો. બૃહત્કલ્પ ભાષ્યમાં (૨સાધ્વીજીઓની સંઘાટકવ્યવસ્થા બે-બેની નહિ, પણ ત્રણ-ત્રણની બતાવી છે જ છે. અર્થાત્ સાધ્વીજીઓએ ત્રણ-ત્રણના ગ્રુપમાં ગોચરી વહોરવા જવાનું છે. એમાં ય બે સાધ્વીજીઓ જ પીઢ (અંદાજે ૪૦થી ઉપરની ઉંમરવાળા) અને એક જ સાધ્વીજી યુવાન (૨૦ થી ૪૦ની ઉંમરવાળા). છે એ રીતે ગોચરી જવાનું કહ્યું છે. એના અનેક કારણો ત્યાં બતાવ્યા છે. એમાં બ્રહ્મચર્યની રક્ષાને મુખ્ય જ કારણ તરીકે બતાવેલ છે. જ હવે જો બે પીઢ અને એક યુવાન એ રીતે ત્રણ-ત્રણ સાધ્વીજીઓના ગ્રુપે ગોચરી જવાનું હોય, જ એ જ શાસ્ત્રાન્ના હોય તો આજે ત્રણ તો નહિ, બે પણ નહિ એકલા ભરયુવાન સાધ્વીજીઓ ગોચરી જાય છે છે એ કેટલી હદનો શાસ્ત્રાજ્ઞાભંગ કહેવાય? સાધ્વીજીઓએ તો બે-બે સંઘાટકની વ્યવસ્થા કોઈપણ ભોગે ગોઠવવી જ જોઈએ. છેવટે એકલા જ યુવાન સાધ્વીજીને તો ગોચરી ન જ મોકલવા જોઈએ. ૪૦થી ઉપરની ઉંમરવાળા સાધ્વીજીઓએ જ જવું જ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૬૨),
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy