SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રકારો કહે છે કે (૧૦૦) જાગનારાઓના બુદ્ધિ-ભાગ્ય પણ જાગતા રહે છે. એની વિદ્યા નાશ ૪ પામતી નથી. જ્યારે ઉંઘનારાઓના બુદ્ધિ-ભાગ્ય પણ ઉંઘી જાય છે. તેમની વિદ્યા નાશ પામે છે. જ ઉંઘનારાઓ કોઈપણ પુરુષાર્થ કરવાના જ નથી. અને અપુરુષાર્થીને ભાગ્યોદય ભાગ્યે જ થાય. ૪ # વળી ઉંઘનારાઓ શાસ્ત્રાભ્યાસાદિ ન કરી શકે. માટે એમની વિદ્યા પણ નાશ પામે. છે એવું પણ સાંભળ્યું છે કે સામાન્યથી ૨૪ કલાક દરમ્યાન રાત્રે ૬ કલાકની ઉંઘ પર્યાપ્ત છે. જે ૪ એટલો આરામ લેવાથી શરીરનો બધો થાક ઉતરી જાય છે. ૬ કલાક પછી વાસ્તવિક નિંદ્રા નથી હોતી. જે જ પણ તંદ્રાવસ્થા, આડા-અવળા સ્વપ્નોવાળી દશા હોય છે. જો ૬ કલાકની ઉંઘ બાદ તરત ઉઠી જવામાં જ જ આવે તો અત્યંત સ્કૂર્તિ, પ્રસન્નતા અનુભવાય. એને બદલે ૭-૮ કલાકની ઉંઘ કરવામાં આવે તો ૬ છે છે કલાક પછીની ઉઘના સમયમાં સ્વપ્નો, વિચારો વગેરેને લીધે મનને સખત થાક પડે. પરિણામે ૭-૮ ૪ ૪ કલાક બાદ ઉઠીએ ત્યારે સ્કૂર્તિ તો ન લાગે. પણ માથું ભારે-ભારે લાગે. ઝોકા આવે. એમ ૬ કલાક પછીની ઉંઘના સમયમાં શરીરમાં વાયુ-કફ વગેરે ઉત્પન્ન થવા લાગે. એટલે જ છેસાત-આઠ કલાક ઉંધ્યા પછી ઉઠનારાના પગ વગેરે વાયુના કારણે સખત જકડાઈ જાય. ઉભા થવાનું છે છે મન ન થાય. ખમાસમણા આપવાનો પણ કંટાળો આવે. કેટલાંકો એમ સમજે કે, “હજી ઉંઘ ઓછી થઈ જ જ છે, માટે માથું ભારે થયું છે અને પગ દુ:ખે છે.” હકીકત એ છે કે ઉંઘ જરૂરિયાત કરતા વધારે થઈ ગઈ ? શું છે માટે આ મુશ્કેલીઓ ઉભી થઈ છે. આ બધું તો અનુભવ કરવાથી વધારે સમજાશે. સંયમીઓ માત્ર એક અઠવાડિયું આવો પ્રયત્ન છે ૪ કરે કે રાત્રે ૧૦ વાગે કે ૧૧ વાગે સંથારો કર્યા બાદ સવારે ૪ કે પ વાગે ઉઠી જ જાય. ૬ કલાકથી એક જે મિનિટ પણ વધારે ઊંઘ ન થવા દે. તો તેમને આ અનુભવ થશે. અને જ્યારે શરીર અને મન બે ય જ ર્તિવાળા હોય ત્યારે આરાધનાનો ઉલ્લાસ બમણો થઈ જાય. બાકી કેટલાંક સ્વાધ્યાયાદિ વિનાના સંયમીઓ શિયાળામાં ૮૯ વાગે ઉંઘીને છેક સવારે ૬ વાગે છે ૪ ઉઠતા હોય છે. નવ-નવ કલાકની ઉંઘ લેતા હોય છે. તેમને તો વાયુ-કફ વગેરે ઘણા થાય, શરીર જકડાઈ $ જાય, અનેક પરેશાની થાય તો એમાં કોઈ જ નવાઈ નથી. રાત્રે ગોખેલી ગાથાઓનો પાઠ થાય, $ છે વાંચેલા-ભણેલા પદાર્થોનું ચિંતન થાય, છેવટે સ્તુતિ-સ્તવનો પણ ભાવવાહી સ્વર-મંદસ્વરે બોલીને છેએમાં લીન થવાય. પણ વધુ ઉંઘ લઈને સમય પસાર કરવો ઉચિત જણાતો નથી. ૧૮૫. મારા ગુર આવતા દેખાય કે ઉભા થાય કે તરત હું મારા સ્થાને ઉભો થઈ જઈશ. એમના જ દર્શન થતાની સાથે જ મસ્તક નમાવી “મÖએણ વંદામિ” બોલીશ : " કેટલાંક સંયમીઓને આ વાતનો ખ્યાલ જ નથી કે દેરાસર-ચંડિલભૂમિથી ગુરુ આવતા દેખાય છે અથવા રૂમ વગેરેમાંથી બહાર આવતા દેખાય ત્યારે તરત શિષ્ય પોતાના સ્થાને ઉભા થઈ જ જવું જ જોઈએ. ગમે તે સ્થાનેથી શિષ્યને ગુરુ ઊભેલા દેખાય અને શિષ્ય બેસી રહે એ ગુરુ પ્રત્યેનો અવિનય જ જ કહેવાય. માત્ર ઉભા થઈએ તે ન ચાલે. મસ્તક નમાવી મત્યએણ વંદામિ બોલવું જોઈએ. જેટલીવાર આ છે છે રીતે ગુરુ પર દષ્ટિપાત થાય એટલીવાર મયૂએણ વંદામિ બોલવું. દા.ત. ગુરુ દેરાસર જઈ ઉપાધ્યાયમાં જે સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૮૮) |
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy