SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ આદરભાવ તો પ્રગટ કરી જ શકે છે ને? જ દિવસમાં જેટલા ટંક વાપરીએ એ દરેક ટંકમાં એક-એક રોટલી-ખાખરો સંયોજના વિના છે જ વાપરવો. છતાં બે જ રોટલી-ખાખરાના ખોરાકવાળા જેઓને આ નિયમ પણ કપરો (!) પડતો હોય ? જ તેઓ છેવટે આખા દિવસમાં એક રોટલી-ખાખરો સંયોજના વિના વાપરીને આ નિયમ પાળી શકે છે. આ ૧૮૩. હું કોઈપણ સંયમીની વસ્તુ એની રજા લીધા વિના લઈશ નહિ, વાપરીશ નહિ : આમ તો તમામ સંયમીઓને સૂક્ષ્મ અદત્તાદાનવિરમણ મહાવ્રત છે જ. નાનામાં નાની વસ્તુ પણ છે જ સંયમી પાસે એના માલિકની રજા વિનાની તો ન જ હોય. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે (૯૯)દાંતમાં ભરાયેલા જ ૪ કણ સાફ કરવા માટે રસ્તામાં પડેલી ઘાસાદિની સળી પણ સંયમી માંગ્યા વિના ન લે. છેવટે તે ક્ષેત્રના ? - દેવની પણ અનુમતિ તો છે જ.) એટલે એ દૃષ્ટિએ આ બાધા ત્રીજા મહાવ્રતની બાધામાં આવી જ જાય છે. છે પણ ગમે તે કારણસર આજે કેટલાંક સંયમીઓના મનમાં એવો ભાવ પડેલો લાગ્યો છે કે “પૈસા છે ૪ વગેરે વસ્તુઓ જ ન ચોરાય. લોકોમાં જે વસ્તુઓ માલિકની રજા વિના લેવાથી ચોરી ગણાતી હોય તે જ જે જ વસ્તુઓ આપણે માલિકની રજા લઈને લેવી પડે. બધી વસ્તુઓ માટે આ નિયમ નથી.” આવું એટલા માટે લાગે છે કે તે કેટલાંક સંયમીઓ બીજા સંયમીઓની વસ્તુઓ એને પુછ્યા વિના લેતા-વપરાતા દેખાય છે. દેરાસરાદિ જવું હોય તો પોતાનો દાંડો શોધીને લેવાને બદલે જેનો દાંડો છે જ હાથમાં આવે તે લઈને નીકળી જાય છે. એમ ચોલપટ્ટો-કપડો-કામળી-આસન વગેરે જ્યારે જે જોઈએ, જ ત્યારે એ વસ્તુઓ જેની મળે એની વગર પુયે લઈને વાપરવા લાગે છે. . આમાં ઘણા ગેરલાભ છે : (૧) એ સંયમી પોતાનો દાંડો વગેરે વસ્તુ ન દેખાવાથી બધે શોધે. મનમાં ખેદ પામે. એટલો એનો સમય બગડે. એને જે કામ માટે દાંડાદિ વસ્તુની જરૂર હોય એ કામ જ ખોરંભાઈ જાય. (૨) જ્યારે એને ખબર પડે કે અમુક સંયમી મારી વસ્તુ લઈ ગયો છે. ત્યારે એના પ્રત્યે સંક્લેશ થાય. કદાચ પરસ્પર બોલાચાલી પણ થાય. (૩) આવી રીતે વગર પુછયે વસ્તુ લઈ જનારા જ માટે આખા ગચ્છમાં એવી ખરાબ છાપ પડે કે પછી તો જ્યારે કોઈપણ વસ્તુ ખોવાય ત્યારે એ જ સંયમીનું નામ બોલાય. બધા બોલે કે “એ પેલો સંયમી જ લઈ ગયો હશે.” (૪) ત્રીજા મહાવ્રતમાં અતિયાર તો લાગે જ. - એટલે જ સંયમીએ દરેક કાર્યમાં પોતાની જ વસ્તુ વાપરવી જોઈએ. જ્યાં બીજાની વસ્તુ લેવાની આવશ્યકતા ઉભી થાય ત્યાં એની રજા લઈને જ વસ્તુ લેવી. કદાચ એ વસ્તુનો માલિક સંયમી હાજર છે ૪ ન હોય અને એ વસ્તુની તાત્કાલિક જરૂર હોય તો પછી આજુબાજુમાં બીજા સંયમીને પણ કહી દેવું કે કે “હું ફલાણાની વસ્તુ લઈ જાઉં છું. એ આવે એટલે કહેજો કે જેથી એ શોધ્યા ન કરે.” ? * ૧૮૪. હું રાત્રે ૬/૭ કલાકથી વધારે ઉંઘ લઈશ નહિ : પ્રાચીનકાળમાં દીર્ઘ દીક્ષાપર્યાયવાળા સ્થવિરો વગેરે માત્ર ત્રણ કલાક જ નિદ્રા લેતા. સાથે જ છે નયમ ! મા પમાયા એ પ્રભુના ઉપદેશને એક-એક ક્ષણ ધર્મધ્યાનમાં પસાર કરીને સાર્થક કરતા. છે ઉંઘ એ ભયંકર પ્રમાદ છે, અને માટે જ પ્રભુએ સાડાબાર વર્ષ સુધી લગભગ ઉંઘ લીધી જ નથી. આપણે છે તો શરીરને આરામ મળે અને વધુ વેગથી સંયમારાધના કરી શકાય એ માટે જ નાછુટકે ઉંઘ લેવાની છે. . [ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૧૮૭)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy