SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ છે મુંબઈમાં લગભગ આદ્રનક્ષત્ર પૂર્વે જ વરસાદ શરૂ થઈ જાય છે. આ બધામાં “વિરાધના અટકે ૪ એ મુખ્ય આશય જળવાય એ પ્રમાણે પ્રવૃત્તિ કરવી. પણ સંયમીઓ ગુરુને પરતંત્ર જ હોય અને ગુરુ ગમે તે કારણસર આવી રીતે વિહાર કરવાની જ અનુમતિ ન આપે અને ગુરુના વચન પ્રમાણે છેલ્લા દિવસોમાં પણ વિહાર કરવો પડે તો પછી એમાં નિયમ તુટી ન જાય એ માટે એમાં આ શબ્દ મૂક્યો છે કે શક્ય હોય તો....' અર્થાતુ ગાઢ કારણોસર મોડા વિહાર કરવો પડે તો જુદી વાત. પણ સામાન્ય સંજોગોમાં તો વરસાદ પ્રારંભ પૂર્વે ચાતુર્માસક્ષેત્રની નજીકમાં પહોંચી જવું એ જ વધુ ઉચિત છે. શત્રુંજય ગિરિરાજ ઉપર એક વરસાદ પડ્યા બાદ પ્રાયઃ ઢગલાબંધ નિગોદ થઈ જાય છે. નિગોદ થઈ ગયા બાદ સંયમીઓ ત્યાં યાત્રા કરે તો “સંયમયાત્રા છે મહાયાત્રા” સૂત્રને બાધા પહોંચે છે. એટલે નિગોદ થયા બાદ યાત્રા ન કરવી સંયમીઓને હિતકારી છે. અર્થાતુ જ્યાં જે સંયમી પોતાની ઈચ્છા પ્રમાણે આદ્રનક્ષત્ર પહેલા ચાતુર્માસક્ષેત્રમાં પહોંચી જ શકતો હોય, તેમાં ગુવદિની સંમતિ હોય તેઓએ તો તે રીતે પહોંચી જ જવું. જે મોટા સંયમીઓ છે ચાતુર્માસાદિ કરતા હોય છે તેઓને તો એમની અનુકૂળતા મુજબ જ વિહાર કરવાનો હોય છે. ગુરુ પણ જ એમાં સંમત હોય છે. તો તેઓ આ નિયમ પાળી શકે. જેઓ અત્યારે નાના છે, તેઓ ભવિષ્યની દષ્ટિએ અત્યારથી આ નિયમ માટે દઢ બને. જેથી ? છે જ્યારે પણ તેમની અનુકૂળતા પ્રમાણે વિહાર કરવાનો વખત આવે ત્યારે તેઓ સંયમને પ્રધાન બનાવીને જ છે આ સુવિહિત માર્ગ અપનાવી શકે.' ૧૮૨. હું રોજ એક રોટલી | એક ખાખરો સંયોજના કર્યા વિના વાપરીશ : (૯૮)રોટલી-શાક, દાળ-ભાત વગેરે ભેગા કરીને ખાનારા સંયમીઓને ઉપવાસાદિના કડક જ જ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રકારોએ બતાવ્યા. વારંવાર સંયોજનાદોષ સેવનારાઓને ગચ્છમાંથી બહાર કાઢી જ મૂકવાની કડક શિક્ષા પણ બતાવી. પણ એ કાળ હવે તો ચોથા આરાનો જ કાળ સમજવો રહ્યો. આજે એ બધું જાણે કે પ્રથમ છે જ સંઘયણના આચાર રૂપે જ ભાસવા લાગ્યું છે, કેમકે કાયમ સંયોજના વિના જ ગોચરી વાપરનારા જે મહાત્માઓ આંગળીના વેઢા ઉપર ગણી શકાય એટલા ય માંડ હશે. , સકારણ કે નિષ્કારણ પણ આ દોષ હવે ઘર કરી ગયો છે અને પ્રત્યેક દીક્ષિતો પ્રથમ જ દિવસથી છે છે આ મોટા દોષનો ભોગ બનીને મૃત્યુના છેલ્લા દિવસ સુધી એ દોષને પરવશ રહે છે. ન ગમે તો ય આ હકીકત સ્વીકાર્યા વિના છૂટકો જ ક્યાં છે? પણ “સંયોજના વિના જ જે વાપરવાની ભગવાનની આજ્ઞા છે.” એ પરિણામને જીવંત રાખવા માટે આપણે એટલું તો કરી શકીએ ? છે કે જેટલા ટંક વાપરીએ, એ દરેક ટંકમાં એક ખાખરો, એક રોટલી, એક ભાખરી શાક-દાળ-શૃંદાદિ છે છે કોઈપણ સાથે ભેગી કર્યા વિના વાપરીએ. એમાં કોઈ મુશ્કેલી પણ ન પડે. અને આ જિનાજ્ઞા પ્રત્યેનો જ સાપેક્ષભાવ લેશતઃ જળવાઈ રહે. હા ! જેનું સત્ત્વ ઉછળ તેઓ તો કાયમ માટે બધી જ ગોચરી સંયોજના વિના વાપરતા થઈ જાય ? છે એ શ્રેષ્ઠ જ છે. પણ અલ્પસત્વવાળા સંયમીઓ આવા નાનકડા નિયમ દ્વારા મહાન જિનાજ્ઞા પ્રત્યેનો છે સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૮૬) {
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy