SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ છે જૂનો કપડો રખડતો મૂકી દે. નવું આસન લઈને જૂનું આસન ગમે ત્યાં નાંખી દે. લુંછણિયું, ચોલપટ્ટો, આ જ થેલો વગેરે જે વસ્તુ અણગમતી થઈ જાય અને નવી લેવાનું મન થાય એ જુની વસ્તુઓ ઉપાશ્રયમાં જ જ મૂકીને જતા રહે. કેટલાંક ઉપાશ્રયોમાંથી આખાને આખા કપડાઓ, ચોલપટ્ટાઓ, તરાણીના દોરાઓ, $ છે ટોક્સીઓ સંયમીઓના ગયા પછી ભેગા થતા જોયા છે. સંયમીએ પોતાના તમામ ઉપકરણો બરાબર સાચવવા જ પડે. જો ઉપકરણ ખોવાય તો એ જ ઉપકરણનો બીજા સંસારીઓ તો ખોટા-ખરાબ-અસંયમના કામમાં જ ઉપયોગ કરવાના. એ બધાનો દોષ જ સંયમીને લાગે. જ એટલે સંયમીએ પોતાની વસ્તુ ખોવાઈ ન જાય એની કાળજી રાખવી. જો ખોવાઈ જાય તો છેબરાબર તપાસ કરવી. એક સંયમીની સુપડી ઉપાશ્રયમાં રહી ગઈ. વિહાર કરીને ૩-૪ કિ.મી. ગયા જ બાદ યાદ આવ્યું. તો સુપડી લેવા જાતે પાછા ફર્યા. ૬-૭ કિ.મી.નો વધુ વિહાર કર્યો પણ વસ્તુ ખોવાવા જ જ તો ન જ દીધી. છે એક બે સંયમીઓ એક ઠેકાણે તરપણી ભુલી ગયા. બે કિલોમીટર વિહાર કર્યા બાદ યાદ્ આવતા ગુરુએ બંનેને તરાણી લેવા પાછા મોકલ્યા. વસ્તુ ભૂલી જવાય તો એની તપાસ કરવા ગૃહસ્થોને મોકલાય નહિ. એમાં તો ક્યારેક વધારે જ મોટો દોષ સેવાય. ભુલાઈ ગયેલી સુપડી લેવા માટે ગૃહસ્થોને મોકલીએ તો એ સ્કુટર ઉપર જશે. ૮ ૧૦ કિ.મી.ની સ્કુટર દ્વારા ભયંકર વિરાધના થશે. સુપડી ખોવાઈ જવા કરતા આ મોટો દોષ કહેવાય. છે એમ ખોવાઈ ગયેલી વસ્તુ માટે ફોન કરાવવો એ ય ઉચિત નથી. એક સંયમીગ્રુપ જુના સ્થાને દોરી ભુલી ગયું. ફોન કરીને ત્યાંના શ્રાવકને દોરી આપવા આવવા જ કહ્યું. એ શ્રાવક દોરી છોડી, દોરી લઈ સ્કુટર ઉપર આગળના ગામમાં સંયમીઓને દોરી આપવા જે નીકળ્યો, એક્સીડન્ટ થવાથી રસ્તામાં જ મરી ગયો. શું થાય? એના ઘરવાળાઓ તો એમ જ વિચારે છે ને કે સંયમીઓનું કામ કરવા જતાં મૃત્યુ થયું. જો શક્તિ હોય, સમય હોય તો ભુલાઈ ગયેલી વસ્તુ લેવા જાતે જ જવું જોઈએ. પણ જો શક્તિજ સમય ન હોવાથી વસ્તુ લેવા ન જઈ શકાય તો સ્કુટર દોડાવવા વગેરે રૂપ મોટી વિરાધના ન કરાવાય. એ વખતે એ વસ્તુ ખોવાઈ ગયા બદલ પ્રયાશ્ચિત્ત લેવું અને વધુમાં શિક્ષો રૂપે બે દ્રવ્યનું એકાસણું, આંબિલાદિ કરવું. કેટલીકવાર વિહાર સિવાય પણ ઉપાશ્રયમાં વસ્તુઓ ખોવાઈ જતી હોય છે દા.ત. ૪ દોરો ખોવાઈ જાય, લુણું ખોવાઈ જાય.. ક્યારેક તો આખાને આખા કપડા પણ ખોવાઈ જાય. કોઈકવાર ? છે બોલપેન, પુસ્તકાદિ ય ખોવાઈ જાય. જેઓ જાણી જોઈને પોતાની વસ્તુ ઉપાશ્રયમાં મૂકીને જતા રહે એમના પરિણામ વધુ મલિન છે જ હોવાથી એમને વધુ પ્રાયશ્ચિત્ત આવે. આવી નિષ્ફરતા વહેલી તકે દૂર કરવી જોઈએ. ઘણી બધી કાળજી કરવા છતાં જો વસ્તુ ખોવાય તો એની પાકી શોધ કરવી અને છતાં ન મળે ? તો પણ છેવટે નિયમમાં બતાવ્યા પ્રમાણે શિક્ષાનો સ્વીકાર કરવો. જો કોઈપણ પ્રકારની શિક્ષા નહિ ? છે રખાય તો ધીમે ધીમે નિષ્ફરતા, ઉપેક્ષા ઘુસી જશે. સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૧૮૦) |
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy