SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ગામમાં એક સંયમીએ બહારગામથી આવેલા એ જ ગામના યુવાન પાસે ૪૦૦, ૫૦૦ રૂપિયાની છે - દવાઓ મંગાવી. નોકરી કરીને પોતાનું ગુજરાન માંડ ચલાવતો એ યુવાન ભક્તિભાવ, ઔચિત્યને લીધે જ ૫૦૦ રૂપિયાની દવા લઈ આવ્યો. મંગાવનાર સંયમી ત્યારે ન દેખાતા યુવાને ગુરુને જઈને દવા આપી, ૪ - ગુરુ સ્તબ્ધ થઈ ગયા. દવાની કિંમત પુછી, યુવાનની હાલત પુછી અને ત્યાંના શ્રીમંતો પાસે તેને ૫00 છે ( રૂપિયા અપાવી દીધા. સંયમીને બોલાવીને ઠપકો આપ્યો કે “આવા યુવાન પાસે આટલી મોંઘી દવાઓ - મંગાવાતી હશે? બિચારાના ભાવ શું ટકે ?” - એમ અજ્ઞાની સંયમી કોઈક શ્રાવક પાસે વસ્ત્રો ખરીદીને મંગાવે. જ્યારે હોંશિયાર ગુર કાપડના છે : વેપારી શ્રાવકને જ વસ્ત્રની વાત કરે. એ વેપારી માટે એટલું કપડું તો સાવ મામુલી ગણાય. જ્યારે છે બીજાને એ કાપડ ખરીદવામાં પૈસાનો વ્યય થતો દેખાય. કદાચ ભારે પણ પડે. : ૧૦ સાધુઓના એક ગ્રુપમાં આજે પણ આ નિયમ પળાય છે કે કોઈપણ સંયમી એક રૂપિયાની જ જે વસ્તુ પણ જાતે મંગાવતો નથી. ગુરુને જ કહે છે અને ગુરુ એ વસ્તુઓ મંગાવી આપે છે. ૪વળી અપરિપક્વ સંયમીઓ શ્રાવક પાસે સીધી વસ્તુ મંગાવે અને તે ના પડે અથવા ભક્તિભાવ છે ઓછો દેખાડે તો સંયમી ગુસ્સે થઈને ગમે તેમ બોલી નાંખે, પેલાના ભાવપ્રાણ ખલાસ થઈ જાય. રે! આ એ સાધુઓ પાસે આવતો બંધ થઈ જાય એટલી હદે એને ઠપકારી દે. દા.ત. એક સાધુએ અમુક ગ્લાન ૪ સાધુ માટે એકસાથે પાંચ ઈંજેકશન એક શ્રાવક પાસે મંગાવ્યા. શ્રાવક એક જ ઇંજેકશન લાવ્યો અને જે કે કહ્યું કે, “આ ઇંજેક્શન તો ફ્રીઝરમાં મૂકી રાખવા પડે. એટલે એક સાથે લાવીએ તો બાકીના ચાર ? સાચવવા પડે. એટલે જ્યારે જોઈએ ત્યારે ફરી મને કહેજો . એક એક લાવી આપીશ.” અપરિપક્વ જ સંયમીએ ટ્રસ્ટીઓને એ પ્રતિષ્ઠિત શ્રાવક માટે ફરિયાદ કરી કે, “એ કંજુસ છે, પૈસા ખરચવાનો જીવ છે છે ચાલતો નથી. આ વાત ટ્રસ્ટીઓ દ્વારા શ્રાવકના કાને પહોંચી. એને ખૂબ જ આઘાત લાગ્યો. પોતાની જ બદનામી થતી જોઈ એને સાધુ પ્રત્યે પુષ્કળ અસદ્ભાવ થયો. વળી આ રીતે ગુરુને પૂછ્યા વિના વસ્તુઓ મંગાવવી એ મોટી સ્વચ્છંદતા છે. અત્યારે સંયમ જ છે માટેની વસ્તુઓ મંગાવનારો આ સ્વચ્છંદી સંયમી આવતી કાલે શોખ માટેની વસ્તુઓ પણ મંગાવશે જ. છે પણ ગુરુ કે વડીલ દ્વારા જ વસ્તુઓ મંગાવવાની હશે તો તેઓ ખોટી-નકામી વસ્તુઓ મંગાવવાનો નિષેધ જ જ કરી સંયમીના સંયમની રક્ષા કરશે. - એટલે નાનકડી સોંય, સાબુ કંઈપણ મંગાવવું હોય, સંયમીઓએ ગુરુ કે વડીલને જ એ કામ જ જે સોંપવું. છેવટે એ વસ્તુ મંગાવવાની એમની રજા લીધા બાદ એ વસ્તુઓ મંગાવવી. પણ ગુરુ / વડીલને છે ખબર જ ન રહે એવી રીતે તો વસ્તુ ન જ મંગાવાય (ગુરુ ગેરહાજર હોય, ત્યારે વડીલની રજા લેવાની છે છે.) - ૧૭૩. જો મારી નાની કોઈપણ વસ્તુ ખોવાય તો બે દ્રવ્યનું એકાસણું કરીશ અને મોટી કોઈપણ જ છેવસ્તુ ખોવાય તો એક આંબિલ કરીશ : સંયમીની પોતાની વસ્તુઓ ખોવાઈ જાય એ હજી નાનો દોષ છે. એના કરતાં વધુ મોટો દોષ એ છે કે કેટલાંક સંયમીઓ પોતાની મેળે જ પોતાની વસ્તુ નાંખી દેતા હોય છે. નવા કપડો લઈને કેટલાંક દ | સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૭૯)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy