SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૪૬. હું કેળા સિવાય કોઈપણ ફળ વાપરીશ નહિ. હું ૪૭. હું ખજુર અને બદામ સિવાય કોઈપણ પ્રકારનો મેવો વાપરીશ નહિ. $ ૪૮. હું કાચો ગોળ, કાજુ અને અડદની વસ્તુઓ નહિ વાપરીશ. ૪ ૪૯. હું વાપર્યા પછી પાત્રાઓ-તરપણીઓ ત્રણવાર પાણીથી ધોઈશ. એક-બે વાર નહિ. ૫૦. હું એંઠા થયેલા લીલા મરચાં, પાંદડા, કોકમ વગેરે જો વાપરી ન શકું તો એને જાતે જ રેતીમાં રાખમાં ઘસી ઘસીને પરઠવીશ. ગમે ત્યાં નાંખી નહિ દઉં કે માંડલીમાં મૂકીને નહિ જાઉં. ૫૧. હું કોઈના પણ એંઠા પાતરામાં કોઈપણ વસ્તુ નાખીશ નહિ. જ પર. હું માંડલીમાં આવેલી વસ્તુ મારી જાતે વાપરવા નહિ લઉં. પણ વડીલના (માંડલી વ્યવસ્થાપક) ? હાથે જ લઈશ. ૫૩. હું પોણો ચેતનો કરતા વધારે દૂધ નહિં વાપરું અને પોણો ચેતનો કરતા વધારે ચાહ નહિ વાપરું. $ જે ૫૪. “વાપરું છું એ પ્રમાણે બોલ્યા પછી જ હું વાપરવાનું શરૂ કરીશ. પપ. હું ગોચરી વાપર્યા બાદ માંડલી વ્યવસ્થાપક પાસે પચ્ચષ્મણ લઈશ. જાતે પચ્ચખાણ નહિ લઉં. $ ૫૬. હું ગોચરીમાં મારું પાણી જાતે લઈને બેસીશ. પછી જ વાપરવાનું શરૂ કરીશ. ૫૭. હું એંઠી પાતરીમાં ઘડામાંથી પાણી નહિ લઉં. ૫૮. હું એઠા થયેલા તપેલામાં કે પરાતમાં સીધું ચોખ્ખા તપેલા-પરાતમાંથી પાણી નહિ લઉં. ૫૯. હું બારી-બારણાઓ બરાબર પૂંજીને જ ખોલ-બંધ કરીશ. ૬૦. ઉપાશ્રયમાંથી વિહાર કરતી વખતે મેં જેટલા બારી-બારણા ખોલ્યા હોય એ બધા જાતે બંધ કરી ? દઈશ. જે વસ્તુ જ્યાંથી લીધી હોય, તે વસ્તુ ત્યાં પાછી મૂકી દઈશ. , ૬૧. હું પાટ-પાટલા-ટેબલ ખસેડતી વખતે એના પાયાના નીચેના ભાગો, જમીન પુંજ્યા પછી જ ખસેડીશ. જ ૬૨. હું અંધારામાં પ્યાલો ઉંધો કરી, પુંજણી કે દંડાસનથી બરાબર અંદરનો ભાગ પુંજીને પછી જ છે માત્રાદિ માટે એનો ઉપયોગ કરીશ. ૬૩. હું દાંડો લેતી વખતે જે ભાગથી દાંડો લેવાનો હોય એ ભાગને જોઈને, પુંજ્યાં પછી જ દાંડો ૪ લઈશ. એમ દાંડો મૂકતી વખતે પણ ભીંત વગેરેને પૂંજ્યા પછી જ દાંડો મૂકીશ. ૬૪. હું મોડામાં મોડું સૂર્યાસ્તથી પંદર મિનિટ સુધીમાં માત્ર પરઠવવાની વસતિ જોઈ લઈશ. ૬૫. હું મારો માત્રાનો પ્યાલો જાતે જ પરઠવીશ. ૪ ૬૬. હું માત્રુ કર્યા પછી તરત જ પ્યાલો પરઠવી આવીશ. રાખી મૂકીશ નહિ. $ ૬૭. હું વધુમાં વધુ જમીનથી ૪-૬ આંગળ જ પ્યાલો ઉંચો રાખીને માત્ર પાઠવીશ. ? ૬૮. હું સ્પંડિલ કે માત્ર પરઠવતા પહેલા “અણજાણહ જસુગ્રહો' બોલીશ અને પરઠવ્યા બાદ જ “વોસિરે' બોલીશ. જે ૬૯. હું એક | દોઢ / બે કિલોમીટરની અંદર જો ચંડિલ જવાની જગ્યા હશે તો બહાર જ ચંડિલ જઈશ પણ વાડાનો ઉપયોગ નહિ કરું.
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy