________________
૬૮
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય આ પ્રમાણેના દેવસુખને ભોગવી ત્યાંથી આવીને પિતાનો જીવ આ નગરમાં શ્રીપતિ શ્રેષ્ઠીનો પુત્ર ધર્મદત્ત થયો. તેણે પૂર્વે મુનિરાજને દાન દેતાં અતિચાર લગાડ્યા હતા તેથી આંતરે આંતરે તેને દુઃખની પ્રાપ્તિ થાય છે અને તેણે સાધુમુનિરાજને શુભભાવ વડે સોળ મોદક વહોરાવવાનું કહ્યું હતું તેથી તેને તેના પુણ્યવડે સોળ કોટી દ્રવ્યની જ પ્રાપ્તિ થઈ છે. પુત્રનો જીવ દેવલોકથી આવીને હે રાજન્ ! તમે અતુલ પુણ્યના ભાજન થયા છો અને તમે મુનિને ગણ્યા વિના મોદક વહોરાવ્યા હતા તેથી તમને અક્ષય ઋદ્ધિ આપનાર સુવર્ણપુરુષની પ્રાપ્તિ થઈ છે.
આ પ્રમાણે મુનિરાજે કહેલો પોતાનો પૂર્વભવ સાંભળીને રાજા વિચારે છે કે “જેના હૃદયમાં નિરંતર ધર્મ વસે છે તેને ત્યાં જ લક્ષ્મી પણ વિલાસ કરે છે, પરંતુ શાશ્વત સુખ તો મોક્ષ સિવાય અન્ય સ્થાને નથી તે મોક્ષસુખની પ્રાપ્તિ ચારિત્ર સિવાય થઈ શકતિ નથી. પ્રાણીને દારિદ્ર
ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી કલ્પવૃક્ષની પ્રાપ્તિ થતી નથી. કલ્પવૃક્ષ મળ્યા પછી દારિદ્ર રહેતું જ નથી, તેમ આ જીવને ભવનો ભય પણ ત્યાં સુધી જ હોય છે કે જયાં સુધી તેણે વ્રત ગ્રહણ કરેલ નથી. ઉત્તમમહાવ્રતો ભવસમુદ્ર તરવા માટે પ્રવહણ સમાન છે, તેમજ સંસારસાગરના કિનારા જેવા છે, ભવસમુદ્રનો પાર પામવા સેતુ સમાન છે અને સિદ્ધિરૂપ મહેલમાં ચડવા માટે પગથિયા (સોપાન) જેવા છે.” એ પ્રમાણે વિચારીને રાજાએ ગુરુમહારાજને કહ્યું કે “હે મહારાજ ! હું ધર્મદત્ત સાથે વ્રત ગ્રહણ કરવા ઇચ્છું છું, પરંતુ હું રાજ્યની બધી વ્યવસ્થા કરીને આવું ત્યાં સુધી મારી ઉપર કૃપા કરીને આપ અહીં જ રહેશો.” ગુરુ ભગવંત બોલ્યા કે-“હે રાજન્ ! હું અહીં રોકાઈશ, પણ તમે પ્રમાદ કરશો નહિ.”
ત્યારબાદ રાજા ધર્મદત્ત સાથે રાજ્યમાં આવ્યો અને મંત્રીઓને એકત્રિત કરીને તેણે કહ્યું કે– કહો હું રાજ્ય કોને આપું ?” મંત્રીઓ બોલ્યા કે– હે મહારાજ ભાગ્ય વક્ર હોવાથી તમને પુત્રની પ્રાપ્તિ થઈ નથી. કહ્યું છે કે વિધાતાએ ચંદ્રમાં કલંક, કમળની નાળમાં કાંટા, સમુદ્રના પાણીમાં ખારાશ, પંડિતોમાં નિર્ધનતા, પ્રીતિવાળા સંબંધીઓનો વિયોગ, રૂપમાં દૌર્ભાગ્ય અને ધનવામાં કૃપણપણું આપીને સઘળા રત્નોને દૂષિત કર્યા છે. તમે એક વર્ષ પર્યન્ત પુત્રપ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યો પણ પુત્ર થયો નહીં કારણ કે કર્મ બળવાનું છે. હે નરાધિપ ! રાજ્ય જેવા તેવાને આપવું યોગ્ય નથી, માટે હાલ તો આપ જ રાજ્ય કરો.”
મંત્રીઓ આ પ્રમાણે કહીને ગયા પછી સંધ્યાકાળ થતાં રાજા શાસનદેવીનું ધ્યાન ધરીને સમાધિપૂર્વક સુતો. રાત્રિના ચોથા પ્રહરે રાજાને સ્વપ્ન આવ્યું, તેમાં કોઈ અત્યંત રૂપવાનું દિવ્ય આભરણથી ભૂષિત સ્ત્રી રાજાને કહેવા લાગી કે-“હે રાજન્ ! તું શા માટે ચિંતાતુર રહે છે, મેં તારું રાજ્ય વિરધવલને આપેલું છે. તે અહીં આવશે એ તારા કંઠમાં સંયમલક્ષ્મીની વરમાળા આરોપણ કરશે.” આ પ્રમાણે કહીને તે સ્ત્રી ગઈ, ત્યારે રાજા જાગીને વિચારવા લાગ્યો કે
મને સ્વપ્નનમાં કહેલ વરધવલ કોણ ? તે ક્યાં છે? કોનો પુત્ર છે? આ વાત કેવી રીતે જાણી શકાય? ગુરુમહારાજ પાસે જઈને પૂછવાથી તેની ખબર પડશે. તેમના વિના બીજા કોઈ નહીં કહી શકે.”
આ પ્રમાણે વિચારીને રાજા પ્રાતઃકાળે ગુરુમહારાજ પાસે આવ્યા અને વંદન કરીને પૂછયું