SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯. તૃતીય પલ્લવઃ કે–“હે મહારાજ ! તે વિરધવલ કોણ છે કે જેને દેવીએ મારી રાજ્યધુરાને ધારણ કરવા યોગ્ય કહ્યો છે ? ગુરુમહારાજે કહ્યું કે-“હે રાજન્ તમે સંયમ લેવા માટે તૈયાર થાઓ. તમારા દિક્ષાના અવસરે તે અકસ્માત અહીં પહોંચશે અને જેમ સૂર્ય પૂર્વદિશાને શોભાવે તેમ તે આવીને તમારો દીક્ષામહોત્સવ સુશોભિત બનાવશે.” આ પ્રમાણે સાંભળીને રાજા રાજમહેલમાં આવ્યો અને દીક્ષાને લગતી તૈયારી કરવા લાગ્યો. તેણે પોતાના રાજભંડારમાંથી સાતક્ષેત્રમાં દ્રવ્ય વાપર્યું અને દીન, અનાથ તથા દરિદ્રીઓને પુષ્કળ દ્રવ્ય આપ્યું તેમજ અપાવ્યું. કહ્યું છે કે-દાનવીર પુરુષો દાન આપતી વખતે પાત્રાપાત્રની વિચારણા કરતા નથી. કમળ રાજહંસને તેમજ ભ્રમરને સરખો જ રસ આપે છે.' એક સજ્જન પોતાના મિત્રને કહે છે કે–“જો આ ધન તમને બહુ જ પ્રિય હોય અને તમે તેને તજવા ન જ ઇચ્છતા હો તો હું તમને મિત્રપણાથી યોગ્ય માર્ગ બતાવું તેમ શીઘ કરો. તમે તે દ્રવ્ય ભક્તિ અને સત્કારપૂર્વક ગુણવંત પુત્રને બોલાવીને આપવા લાગી કે જેથી સારી રીતે રક્ષણ કરાયેલું તે દ્રવ્ય તમને આગામી ભવમાં જ્યાં ઇચ્છશો ત્યાં સારી રીતે મળી શકશે.” જેમ અષાઢ માસમાં મેઘ પુષ્કળ જળ આપે તેમ રાજા જિનપ્રાસાદ અને જિનપ્રતિમાના રક્ષણમાં, દાનશાળાઓમાં અને અમારી પાળવામાં પુષ્કળ ધન આપવા લાગ્યો. ધર્મદત્ત પણ ધનવતીથી થયેલા ધર્મસિંહ નામના પુત્રની ઉપર ગૃહભારનું આરોપણ કરીને રાજાની સાથે પ્રિયાસહિત ચારિત્ર લેવા તૈયાર થયો. ત્યારબાદ સારે દિવસે મહોત્સવ સહિત મોટા સમુદાય યુક્ત રાજા ગુરુમહારાજ પાસે આવ્યા. ધર્મદત્ત પણ સાથે આવ્યો. રાજાએ ગુરુમહારાજ પાસે ચારિત્રની યાચના કરી ત્યારે લોકો બોલવા લાગ્યા કે–“રાજા ચારિત્ર લેવા તૈયાર થયા છે પણ આ રાજ્ય કોને સોપે છે? રાજ્યનો રક્ષક તો કોઈ હજુ સુધી આવેલ જણાતો નથી.” આ પ્રમાણે લોકો વાતો કરતા હતા તેટલામાં પૂર્વ દિશા તરફથી દિવ્યવાજીંત્રોનો નાદ સંભળાયો. લોકો તે તરફ જોવા લાગ્યા, તેટલામાં તો શ્વેત હાથી ઉપર બેઠેલો, પ્રૌઢ છત્રવડે શોભતો, બંને બાજુ ઉજ્જવળ ચામરથી વિંઝાતો, દેવદુંદુભિ વગેરે વાજીંત્રો તથા ગીત નૃત્ય સહિત, દિવ્ય રૂપને ધારણ કરનારો અને દેવોથી સેવાતો એક મનુષ્ય ત્યાં આવ્યો અને તે હાથી ઉપરથી નીચે ઉતરીને ગુરુમહારાજને ત્રણ પ્રદક્ષિણા દઈને વિધિપૂર્વક વંદના કરી ગુરુભગવંત પાસે બેઠો, ત્યારે ગુરુમહારાજે ચંદ્રાવલ રાજાને કહ્યું કે–મેં કહ્યું હતું તે આ વિરધવલ આવેલ છે. તે સાંભળી રાજાએ પૂછ્યું કે– સ્વામી ! એ કોણ છે? અને ક્યાંથી આવેલ છે? ગુરુમહારાજે કહ્યું કે-“હું એનું વૃત્તાંત કહું તે સાંભળો : વિરધવલનું ચરિત્ર, સિંધુદેશમાં વીરપુર નામનું નગર છે, ત્યાં સિંહશિખ નામનો રાજા રાજ્ય કરે છે. તે રાજાને પ્રેમરસયુક્ત પદ્મિની જેવી પ્રેમવતી નામની રાણી છે. તેમનો આ વિરધવલ નામનો પુત્ર છે. તે વિરધવલ બાલ્યાવસ્થામાં કુસંગતિના કારણથી શિકારાસક્ત થયો. એક દિવસ તેણે એક સગર્ભા હરણીને બાવડે હણી તેનો ગર્ભ છૂટો પડી ગયો અને તરફડવા લાગ્યો. તે બાળકની ' આવી સ્થિતિ જોઈને તેને દયા ઉત્પન્ન થઈ. તેથી તે વિચારવા લાગ્યો કે-“આવા બાળહત્યારૂપ
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy