________________
તૃતીયઃ પલ્લવઃ
કુક્ષિથી ઉત્પન્ન થયેલી ધનવતી મારી પુત્રી છે અને આ ધર્મદત્ત મારો જમાઈ છે.
આ વાત સાંભળીને ધનવતી વાનરીને તેમજ ગુરુભગવંતને પોતાના માતા પિતા તરીકે જાણીને તેમજ જોઈને ગુરુભગવંતના પગમાં પડી અને દુ:ખ થવાથી તે ખૂબ રડવા લાગી. ગુરુભગવંતે રડવાનું કારણ પૂછતા તે બોલી કે ‘‘મારી માતાને વાંદરી થયેલી જોઈને મને બહુ દુઃખ થાય છે.'' તે સાંભળીને ગુરુભગવંતે ધનવતીને કહ્યું કે—‘હે પુત્રી ! સાંભળ, તારા વિવાહ માટે વહાણમાં બેસીને સમુદ્રમાર્ગે જતાં જ્યારે વહાણ ભાંગ્યુ ત્યારે મને એક પાટીયું મળી ગયું. તેને આધારે તરતાં તરતાં નવ દિવસે હું કિનારે પહોંચ્યો. આગળ એક નગર હતું. તે વખતે મને જોઈને એક બ્રાહ્મણ બોલ્યો કે—‘હે ધનસાર ! આવ, આવ.' આમ કહીને મને આદ૨પૂર્વક તે પોતાને ઘરે લઈ ગયો. તેણે મને સારાં વસ્ત્રો પહેરવા આપ્યા અને ખાનપાનદ્વારા મારી સારી રીતે ભક્તિ કરી. તેથી મેં પૂછ્યું કે—‘આ પ્રમાણે મારી ભક્તિ કરવાનો હેતુ શું છે ? વળી મારું નામ તમે ક્યાંથી જાણ્યું ? હું તો તમને ઓળખતો નથી.” એટલે તે દ્વિજ બોલ્યો કે ‘‘આ શંખપુર નામનું નગર છે. તે નગરમાં રહેનારો હું જિનશર્મા નામનો જૈનધર્મી વિપ્ર છું. હું અપુત્ર હોવાથી મેં મારી કુળદેવીને આરાધી. તેણે પ્રગટ થઈને મારી પુત્ર પ્રાપ્તિની ઇચ્છા જાણીને કહ્યું કે—‘તારું પૂર્વોપાર્જિત કર્મ બહુ નિકાચિત છે તેથી તને પુત્રની પ્રાપ્તિ નહીં થાય. સુર, અસુર કે મનુષ્ય કોઈ તેમાં ફેરફાર કરી શકતું નથી. વળી પોતાને ઇચ્છિત હોય તે સર્વ પ્રકારનું સુખ કોને પ્રાપ્ત થાય છે ? સર્વ જગત્ કર્મને આધીન છે તેથી તું તારી સ્થિતિમાં સંતોષ માન. વજ્ર જેવા દેહવાળા શલાકાપુરુષોને પણ પોતે બાંધેલા નિકાચિતકર્મ ભોગવવાં પડે છે.”
,,
૬૩
મારી કુળદેવીનું આ પ્રમાણે કથન સાંભળીને મેં તેને કહ્યું કે—‘હે દેવી ! મને કર્મસંબંધી નિશ્ચય હોવાથી મારા ચિત્તમાં સંતોષ જ છે, તેમાં મને કોઈ શંકા નથી, પણ મને ચિંતા થાય છે કે મારા પછી તમારી પૂજા કોણ ક૨શે ? વળી મારી પાસે કેટલીક શ્રેષ્ઠ વિદ્યાઓ છે તે પણ મારી સાથે જ નાશ પામશે. આ વાતનું જ મને દુઃખ છે. તેથી હું પુત્રની યાચના કરું છું.' દેવી બોલી કે—‘તને અંગજ-પુત્ર તો નહીં થાય પણ ધનસાર નામનો વણિક્ પાલકપુત્ર થશે. તે આજથી છ મહિના પછી આવશે. કમલપુરનો વાસી તે શ્રેષ્ઠી એક વખત દરિયાઈ માર્ગે જતાં વહાણ તૂટવાથી નવ દિવસે અહીં દરિયા કિનારે પહોંચશે તેને તારે ઘરે લઈ આવવો. તે તારી બધી વિદ્યાઓ ગ્રહણ કરશે અને તારી પુત્રીને પરણશે.” આ પ્રમાણે કહીને તે દેવી અદૃશ્ય થઈ. ત્યારપછી તેના કહ્યા પ્રમાણે આજે તું મને મળ્યો છે અને તેથી જ હું તને પુત્રવત્ વાત્સલ્ય કરું છું.”
આ પ્રમાણે કહ્યા પછી તે બ્રાહ્મણે મને બધી વિદ્યાઓ આપી અને તેની પુત્રી મારી સાથે પરણાવી. ત્યારબાદ કેટલાક વર્ષે તે બ્રાહ્મણ સ્વર્ગવાસી થયો. હું ત્યાં બ્રાહ્મણપુત્રી સાથે આનંદથી રહ્યો. તેની સાથે સુખભોગ ભોગવતાં મને એક પુત્ર થયો. તેનું નામ ધનદત્ત પાડ્યું. તે આઠ વર્ષનો થયો ત્યારે સર્વ વિઘાનો પારગામી થયો. તે યોગ્ય વયમાં આવ્યો ત્યારે સર્વ ભાર તેની ઉપર સ્થાપન કરીને સિંહદત્ત નામના ગુરુની પાસે સ્ત્રીસહિત મેં ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે હું સૂરિપદ પામ્યો. પછી વિચરતો વિચરતો અહીં આવ્યો. હે પુત્રી ! તારી માતા જે વહાણ ભાંગવાથી સમુદ્રમાં પડી હતી તે આર્તધ્યાને મૃત્યુ પામીને બીલાડી થઈ. ત્યાંથી મરણ પામીને આ