________________
૬૪
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય મર્કટી (વાંદરી) થઈ. તે મને જોઈને ઉહાપોહ કરતાં જાતિસ્મરણ પામી અને તેણે પૂર્વભવ જોયો તેથી મારી ઉપર સ્નેહ આવવાથી તે મારા ફરતી નાચે છે, કુદે છે અને ગેલ કરે છે.”
આ પ્રમાણે ગુરુમહારાજે કહેલી હકીકત સાંભળીને ધનવતી વાંદરીને ખોળામાં લઈ તેને સ્પર્શ કરતી કરતી રોવા લાગી. તે બોલી કેમ્હે માતા ! આ શું થયું ? તમે મનુષ્યની સ્ત્રી મટીને વાંદરી થઈ ગયા !' ગુરુ ભગવંતે કહ્યું કે—‘હે વત્સે ! કર્મની ગતિ વિચિત્ર છે. આ ભવસમુદ્ર બહુ જ વિષમ છે. આર્ત અને રૌદ્રધ્યાન કરવાથી પ્રાણી પોતપોતાના કર્મસંયોગે તિર્યંચ અને નરકગતિ પામે છે. “નિરંતર મહાઆરંભમાં આસક્ત એવા પારાવાર પાપસમૂહથી વ્યાપ્ત થયેલા, ઘણા પંચેન્દ્રિય જીવોનો વધ કરનારા, મહાલોભી, અવિચ્છિન્ન રૌદ્રધ્યાનને ધ્યાનારા, શીલ વિનાના, માંસ ભક્ષણ કરનારા જીવો નરકગતિને પામે છે.” ઉન્માર્ગની દેશના આપનારા, સન્માર્ગનો નાશ કરનારા, માયાવી, જાતિ-બળાદિનો મદ કરનારા, અંતઃકરણમાં શલ્યવાળા, શઠપણું આચરનારા એવા પ્રાણીઓ તિર્યંચગતિનું આયુ: બાંધે છે.” “જેઓ સ્વભાવે પાતળા કષાયવાળા હોય, દાનપ્રિય હોય, સંયમ અને શીલ વિનાના હોય પણ મધ્યમ માર્ગે ચાલનારા સામાન્ય ગુણવાળા હોય તેઓ મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે.” અતિચારરહિત અણુવ્રત અને મહાવ્રત પાળનારા, બાળતપસ્વી અકામનિર્જરા કરનારા, શ્રીજિનેશ્વરના વંદનપૂજનમાં તત્પર અને સમ્યગ્દષ્ટિ જીવો દેવગતિનું આયુષ્ય બાંધે છે. “અરિહંત, સિદ્ધ, શ્રુત, આચાર્ય અને સંઘાદિની ભક્તિ કરનારા જીવો તેમની આરાધનાથી અને શુક્લધ્યાનથી પંચમી ગતિ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરે છે.” (તત્ત્વાર્થસૂત્ર અ. ૬ સૂત્ર.)
‘‘પ્રાણી ભલે આખી પૃથ્વી ઉપર પરિભ્રમણ કરે, પાતાળમાં પહોંચે, પર્વતના શિખરે ચડે, દશે દિશામાં ફરે, એક દ્વીપમાંથી બીજા દ્વીપમાં જાય અને સમુદ્રનું ઉલ્લંઘન કરે આ પ્રમાણે ગમે તેટલો પ્રયાસ કરે તો પણ પાપારંભ કરવાથી ક્યારેય પણ વાંચ્છિતની પ્રાપ્તિ થતી નથી.’
આ પ્રમાણે ગુરુભગવંતે દેશના આપ્યા પછી રાજાએ પુનઃ પૂછ્યું કે ‘હે મહારાજ ! ધર્મદત્તને સોળ કોટિ દ્રવ્યની જ પ્રાપ્તિ કેમ થઈ ? તેનું કારણ કહો.” ગુરુમહારાજે કહ્યું તેનું કારણ સાંભળો—
“કુલિંગ દેશમાં કનકપુર નગરમાં લલિતાંગ નામનો લક્ષ્મીવાન્ શ્રેષ્ઠી રહેતો હતો. તેને લક્ષ્મીવતી નામે સ્ત્રી હતી. તે સ્ત્રી પ્રાયઃ, સંતોષી, પ્રિય બોલનારી, પતિના ચિત્તને અનુસરનારી, કાળને ઉચિત વ્યય કરનારી બીજી લક્ષ્મી જેવી જ હતી. ચાતુર્ય, સરલતા, શીલ, રૂપ અને લાવણ્યની સંપત્તિ, સુવાક્યભાષીપણું અને અલ્પભાષીપણું—આટલા ગુણો જે સ્ત્રીમાં હોય તે તીર્થભૂમિ જેવી ગણાય છે. લલિતાંગશેઠ પ્રિયાની સાથે સારી રીતે સર્વજ્ઞભાષિત ધર્મનું આરાધન, પૌષધ, દેવપૂજા તેમજ મુનિરાજને દાન આપવું વગેરે ધર્માનુષ્ઠાન કરતો હતો. તે શેઠ મુનિદાનના પાંચ અતિચાર સહિત અતિથિ સંવિભાગવ્રત કરતો હતો. કોઈક વખત પ્રાસુક વસ્તુ સચિત્ત ઉપર મૂકી દેતો હતો. કોઈક વખત સચિત્ત વસ્તુથી પ્રાસુકને ઢાંકી દેતો હતો, રુચિ વિના મુનિદાન કરતો હતો, મુનિદાનના સમયનું અતિક્રમણ કરીને મુનિને બોલાવી દાન આપતો હતો, ક્યારેક વસ્તુ હોવા છતાં પારકી છે એમ કહેતો હતો. દાન આપીને અભિમાન કરતો હતો. આ