________________
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય અન્ય જીવો પણ આ ભવમાં તેમજ પરભવમાં ધર્મનું ફળ પ્રાપ્ત કરે છે.” *
ગુરુમહારાજની દેશના સમાપ્ત થઈ ત્યારે રાજાએ તેમને પૂછ્યું કે “હે ભગવંત ! આ સૌભાગ્યકળશ ક્યા કારણે પ્રથમ દુઃખી અને પછી સુખી થયો ?” ગુરુભગવંતે કહ્યું કે તેનો પૂર્વભવ સાંભળો. “કુંભપુર નામના નગરમાં વિક્રમ નામનો વણિક રહેતો હતો. તે ધનાઢ્ય ધર્મવાનું અને નિરંતર ધર્મકૃત્ય કરનારો હતો. તે દરરોજ જિનપૂજા કરતો હતો, ભાવપૂર્વક દાન આપતો હતો અને ગૃહકાર્ય પણ જયણાપૂર્વક કરતો હતો. એક વખત માર્ગે જતા તેને એક કુદ્ધિપુરુષ મળ્યો. તેને જોઈને તેણે તેની દુર્ગચ્છા કરી તેમજ નિંદા કરી. વળી એક વખત પોતાના બહોળા કુટુંબને જોઈને તેના મનમાં ગર્વ આવ્યો કે-“અહો ! મારું કુળ કેટલું વિશાળ છે ?” શાસ્ત્રકાર કહે છે કે “જે જે વસ્તુનો મદ કરવામાં આવે છે તે તે વસ્તુ આગામીભવે હીન પ્રાપ્ત થાય છે. તેથી વિવેકીજનોએ કોઈપણ બાબતનો ગર્વ કરવો જોઈએ નહીં.” પોતે કરેલી દુર્ગચ્છા અને મદની આલોચનાદિ કર્યા વિના તે વિક્રમ વણિફ મરીને આ ભવમાં સુંદર શ્રેષ્ઠીનો દુર્ગક નામે પુત્ર થયો. કુળના મદથી આ ભવમાં તેના કુળનો નાશ થયો અને કુષ્ટિની નિંદા કરી હોવાથી તે પોતે દુઃખી થયો. “જુઓ ! કુળનો ગર્વ કરવાથી જીવ મરીચીની જેમ નીચ કુળને પામે છે.” પૂર્વભવમાં જે પુણ્ય કર્યું હતું તેથી અને આ ભવમાં કરેલા પુણ્યકાર્યથી તે બે સ્ત્રીઓ સહિત રાજસંપત્તિ પામ્યો.”
આ પ્રમાણે પૂર્વભવ સાંભળીને રાજા અને જમાઈ પ્રતિબોધ પામ્યા. પછી તે બંનેએ અનેક પ્રકારે ધર્મારાધન કરીને અંતસમયે અનશન કર્યું. આયુષ્ય પૂર્ણ કરીને તે બંને દેવ થયા અને ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામી સંયમ ગ્રહણ કરીને મોક્ષસુખને પામ્યા.
આ પ્રમાણે દુર્ગકનું દષ્ટાંત સાંભળીને અને ધર્મનું ફળ જાણીને ઉત્તમ પુરુષોએ ધર્મકાર્યમાં વિશેષ ભાવપૂર્વક ઉદ્યમ કરવો. “સુજ્ઞ પુરુષોએ અનંત ગુણોના સ્થાનરૂપ શ્રીજિનેશ્વરોની ભક્તિ, તેમના કહેલા આગમોમાં આસક્તિ, સદ્ગુરુની પર્યાપાસનામાં રતિ, પ્રાણીમાત્રમાં મૈત્રી, સુપાત્રદાનમાં મતિ, ગુણ ઉપાર્જન કરવામાં પ્રીતિ, શિષ્ટજનો સાથે સંગતિ સર્વજીવોની ઉપકૃતિ અને કુકર્મથી વિરતિ આટલા કાર્યો સર્વદા કરવા જોઈએ.
ગુરુભગવંતના ઉપદેશને અંતે રાજા ચંદ્રધવલે પૂછયું કે- “હે મહારાજ ! ધર્મદાના ઉદ્યમથી તેને પ્રાપ્ત થયેલો સુવર્ણપુરુષ મને કેમ મળ્યો ? ક્યા સત્કર્મથી મળ્યો ? અને ધર્મદત્તને ગમે તેટલો પ્રયાસ કરવા છતાં ૧૬ કોટીથી વધારે દ્રવ્યની પ્રાપ્તિ કેમ થતી નથી ? આ બન્ને બાબતના હેતુ જાણવાની મને તીવ્ર ઇચ્છા છે. તેથી તે જણાવવા કૃપા કરો.” ગુરુભગવત રાજાના પ્રશ્નોના ઉત્તર આપે તેટલામાં નજીકના વૃક્ષ ઉપરથી ઉતરીને આનંદ પામતી એક વાંદરી ગુરુભગવંતને પ્રદક્ષિણા આપવા લાગી અને નાચવા લાગી. તે જોઈને વિસ્મય પામેલા રાજાએ ફરી પૂછ્યું કે, “હે પ્રભો ! મારા પહેલા પ્રશ્નનો ઉત્તર તો આપ આપશો જ. ઉપરાંત આ વાંદરી ક્યા કારણથી નાચે કૂદે છે અને આનંદ પામે છે તે જણાવવા પણ કૃપા કરશો.” ગુરુભગવંતે કહ્યું કે–“હે મહાભાગ ! કર્મની ગતિ વિચિત્ર છે. ભવિતવ્યતા વિષમ છે. તેની કથા કહી શકાય તેમ નથી તો પણ કહું છું તે સાંભળો. આ મર્કટી પૂર્વભવમાં મારી સ્ત્રી હતી. જેની