________________
તૃતીય પલ્લવઃ
એક વખત ઇંધન લેવા માટે અરણ્યમાં જતાં માર્ગમાં તેને જીવોપર નિષ્કારણ કરુણા કરનાર એવા એક મુનિભગવંત મળ્યા. તે મહર્ષિના મુખેથી શુદ્ધધર્મને સાંભળીને ભદ્રિક મનવાળી અને સદ્ભાવવાળી તે યમુના નિરંતર ધર્મનું આરાધન કરવા લાગી. તે છ8 અઠ્ઠમાદિ તપ તેમજ જિનાર્ચ, જિનવંદન સાથે સમતિ સંયુક્ત ગૃહસ્થનો ધર્મ પાળવા લાગી. જૈનધર્મના પ્રભાવથી તે યમુના અનુક્રમે સુખી થઈ. ઘરમાં પણ પ્રિય થઈ અને દુર્ભગા હતી તે સુભગા થઈ.
હવે તે નગરના રાજાનો પુત્ર મકરકેતન સારી પ્રિયા મેળવવાની ઇચ્છાથી એક મોટા યક્ષની આરાધના કરતો હતો. તેની ઉપર તુષ્ટમાન થયેલા યક્ષે તેને વરદાન માંગવા કહ્યું. તેથી રાજપુત્રે ચતુરાઈવાળી, શ્રેષ્ઠ ગુણોવાળી અને રાજ્યનો અભ્યદય કરનારી સ્ત્રીની માંગણી કરી. યક્ષે કહ્યું કે- હે ભદ્ર ! સાંભળ, રત્નાવતી નગરીનો સ્વામી અમરકેતુ નામે રાજા છે. તેને રત્નાવતી રાણીથી સાત પુત્રી થઈ હતી. ઉપરાંત આઠમી પુત્રી થતાં તેને પેટીમાં મૂકીને તે પેટી યમુના નદીમાં વહેતી કરી દીધી તે પેટી યમુનામાં વહેતી વહેતી સાત પ્રહરે અહીં આવી, તે સુલસ શેઠે બહાર કાઢી. તેમાંથી તે પુત્રી નીકળી, તે સુલસ શેઠને ત્યાં વૃદ્ધિ પામી છે અને પદ્મિની છે. તે તારી સ્ત્રી થનારી છે. રાજયનો અભ્યદય કરનારી છે અને તે મહાયશ ! તે સ્ત્રી હું તને ભાર્યા તરીકે આપું છું.” આવા પ્રકારની યક્ષની વાણી સાંભળીને મકરકેતન હર્ષ પામી પોતાને સ્થાને આવ્યો અને પછી પિતાની આજ્ઞા મેળવીને તે તેની સાથે પરણ્યો. અનુક્રમે તે કુમાર રાજા થયો અને યમુના પટ્ટરાણી થઈ. મકરકેતન રાજાએ તુલસને નગરશેઠની પદવી આપી અને તે ત્રણે–રાજા, રાણી ને સુલસ આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. તેમજ ધર્મ સાધના કરવા લાગ્યા.
પદ્મિની સ્ત્રી પામવાથી તેમજ પૂર્વના પુણ્યથી મકરકેતન રાજા જેના પ્રતાપથી પૃથ્વી આક્રાંત થયેલી છે એવો ત્રણ ખંડનો અધિપતિ થયો. તેણે તમામ રાજાઓને નમાવીને પોતાને તાબે કર્યા અને ન્યાય તથા ધર્મવડે તેણે પ્રજાને પણ સુખી કરી.
કેટલોક કાળ આ પ્રમાણે વ્યતિત થયા પછી અમરકેતુ રાજાના વૈરીએ તેનું સમગ્ર રાજ્ય પ્રહણ કર્યું. સર્વ ધન વગેરે પણ લૂંટી લીધું. રાજા પોતાના કુટુંબ સાથે ત્યાંથી પલાયન થયો અને જયાં તેની પુત્રી યમુનાનો પતિ મકરકેતન રાજા રાજ્ય કરે છે ત્યાં આવ્યો. યમુના રાણીના વચનથી રાજાએ પોતાના શ્વસુરનો સત્કાર કર્યો, તેને ધન, વાહન, દેશાદિ આપીને સુખી કર્યા અને પોતાનાં રાજ્યમાં તેમને સન્માનપૂર્વક રાખ્યા. પછી મકરકેતનરાજાએ લશ્કર મોકલીને અમરકેતુ રાજાના શત્રુઓને જીતી લીધા અને અમરકેતુના રાજ્યમાંથી શત્રુઓને હાંકી કાઢી તે રાજ્ય પાછું મેળવીને પોતાના શ્વસુરને સ્વાધીન કર્યું અને અમરકેતુ રાજાના પુત્ર સુરકેતુને રત્નાવતીનાં રાજય પર સ્થાપિત કર્યો. અમરકેતુ રાજા વગેરે સર્વે જિનધર્મમાં પરાયણ થયા અને ધર્મનો ખરેખરો પ્રભાવ જોઈને યમુના પણ ધર્મમાં વધારે ઉદ્યમવંત બની. કાળક્રમે યમુના રાણીને એક પુત્ર થયો જેનું નામ મદન રાખવામાં આવ્યું. અનુક્રમે વૃદ્ધાવસ્થામાં તેને રાજય સોંપીને મકરકેતન રાજાએ પોતાની રાણી સહિત ચારિત્ર અંગીકાર કર્યું. દીર્ઘકાળ પર્યત નિરતિચાર ચારિત્ર પાળીને તે બંને મોક્ષસુખને પામ્યા. “જેમ યમુના આ ભવમાં જ ધર્મનું ફળ પામી, તેમ