SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨ શ્રી ધર્મધૂમ મહાકાવ્ય, આ પ્રમાણે ગુરુમહારાજની દેશના સાંભળીને રાજાએ પૂછ્યું કે હે ભગવન્! તે સુંદરશ્રેષ્ઠીના પુત્ર એવું શું પ્રબળ પુણ્ય કર્યું હતું કે જેથી તેનું પૂર્વનું પાપ નાશ પામ્યું? અને જેને આ ભવમાં કરેલો ધર્મ આ ભવમાં જ ફળ્યો? તેનું દષ્ટાંત આપની કૃપાથી સાંભળવા ઇચ્છું છું. ગુરુમહારાજે કહ્યું કે– રાજન્ હે મહાભાગ ! કૌતુક ઉત્પન્ન કરે એવી કથા કહું છું તે તું એકાગ્રચિત્તે સાંભળ : | ધર્મદત્તનો પૂર્વભવ - આ જંબુદ્વીપમાં ભરત નામનું પવિત્ર અને શોભતું ક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં ભાલમાં તિલક જેવું શોભાયમાન તિલકપુર નામનું નગર છે. તિલકપ્રભ નામનો રાજા તે નગરનું પ્રતિપાલન કરે છે તે રાજા પ્રજાજનોનો પાલકપોષક છે અને પાપીઓનો શોષક છે, અર્થાત્ તેને શિક્ષા કરનાર છે. તેને તિલકશ્રી નામની સૌભાગ્યવંતી રાણી છે. પોતાના સૌજન્યપણાના ગુણથી તે સહુને અતિ પ્રિય છે અને રૂપવડે દેવાંગનાને પણ જીતે એવી છે. તે નગરમાં સુંદર નામનો શ્રેષ્ઠી વસે છે. તે ગુણવાનું અને વિશિષ્ટ બુદ્ધિમાનું છે. દયા દાક્ષિણ્યતા વગેરે ગુણોથી સુંદર હોવાને કારણે તે પોતાના વંશમાં મુકુટ સમાન થયો છે. તેને ભાગ્ય સૌભાગ્યની ભૂમિ સમાન સુભગશ્રી નામની સ્ત્રી છે. તે સુશીલ છે અને કમળની જેમ સ્વજનોને આનંદ આપનારી છે. “સદા આનંદી, સદા ઉત્સાહી, સ્વજનોમાં મેળ રાખનારી અને દેવગુરુની ભક્ત એવી સ્ત્રીને બીજી લક્ષ્મી જ સમજવી.” જે સ્ત્રી પરઘર ગમનમાં આળસુ (નહી જનારી), પરપુરુષને જોવામાં જન્માંધ જેવી અને પરપુરુષની વાર્તા સાંભળવામાં બહેરી છે તે સ્ત્રી નહી પણ ઘરની સાક્ષાત લક્ષ્મી જ છે. કહુઆ બોલી કામિની, ઝગડાસુરી નારી. તેહનું ઘર સૌ પરિહરે, કો ન ચડે ઘરબારી. નરનરશું બહુ બોલતી, ઘરઘર ગોડી ભમતી, સહીયા નિસિ બાહિર વસે, તે સુશીલ કિમ જ હુંતી. સંપૂર્ણ વૈભવવાળો અને અત્યંત ધનવાનું એવા સુંદર શ્રેષ્ઠી પોતાની સુશીલ સ્ત્રીની સાથે નિરંતર સુખભોગ ભોગવતો કાળ પસાર કરે છે. જે સ્ત્રીની ધર્મમાં શુભ બુદ્ધિ હોય છે અને જે જિનાર્ચનવડે મનશુદ્ધિ કરનારી હોય છે તે સ્ત્રી ક્યારેય પણ વચનમાત્રવડે પણ બીજાને દુઃખી કરતી નથી.” આ પ્રમાણે ઘણો કાળ પસાર થયા છતાં પુત્રરૂપ ફળની પ્રાપ્તિ ન થવાથી સુંદર શ્રેષ્ઠી વિચારવા લાગ્યો કે–“મારી કાયાને હવે ચોથી અવસ્થા નજીક આવી છે, છતાં પુત્ર વિના ઘર શૂન્ય લાગે છે. જ્યાં ધૂળથી ખરડાયેલા પડતા, રડતા બે ત્રણ બાળકો દેખાતા નથી તે ઘર શોભતું નથી. “હે શુક્રાચાર્ય ! ઈશુનો રસ, કવિઓની મતિ, ગાયના દુગ્ધાદિ રસ, બાળકના ભાષણ, તાંબુલયુક્ત અન્ન અને સ્ત્રીના કટાક્ષ દેવલોકમાં હોતા નથી.” શેઠ વિચારે છે કે-“મારા ઘરનો સ્વામી કોણ થશે? મારી વંશવૃદ્ધિ કેવી રીતે થશે? અને ગુરુજન તેમજ ગોત્રજોની પરિપાલના પુત્ર વિના કોણ કરશે ? આ પ્રમાણે પુત્રની ચિંતાથી વ્યાપ્ત સુંદર શ્રેષ્ઠી શૂન્યમનસ્ક થઈને દરિદ્રીની જેમ દિવસો પસાર કરવા લાગ્યો.
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy