________________
૫૧
તૃતીય પલ્લવઃ દ્રવ્યનો વ્યય પણ કરતા હતા.
એક વખત વનપાળે આવીને રાજાને વિનંતિ કરી કે હે મહારાજ! આપણા ઉદ્યાનમાં ધર્મધવલ નામે આચાર્ય પાંચસો મુનિ સાથે પધાર્યા છે.” આ પ્રમાણેની વધામણી સાંભળીને વનપાલકને સંતોષી ચંદ્રધવલ રાજા ચતુરંગ સેના સાથે ભક્તિથી મોટા મહોત્સવપૂર્વક ગુરુમહારાજને વંદન કરવા તે ઉદ્યાનમાં ગયો. ધર્મદત્ત પણ બંને સ્ત્રીઓ સહિત સભક્તિથી ગુરુમહારાજને વંદન કરવા માટે તેમજ પોતાનો સંશય તોડવા માટે ઉદ્યાનમાં આવ્યો. મસ્તકે અંજલિ પૂર્વક ગરુમહારાજને વંદન કરીને નરેન્દ્ર અને ધર્મદત્ત બંને યથાયોગ્ય સ્થાને ગુરુ સન્મુખ બેઠા. ગુરુભગવંતે ત્યાં બેઠેલા સમગ્ર ભવ્યજીવોને સંસારના તાપથી તપેલા પ્રાણીઓને અમૃતનું સીંચન કરનારી ધર્મદેશના આપવાનો પ્રારંભ કર્યો.
“હે ભવ્યજીવો ! પ્રાણીને મહાભાગ્યના યોગથી જ પ્રાપ્ત થતો આ મનુષ્ય જન્મ માત્ર આ સંસારને ત્યજીને મોક્ષ પ્રાપ્ત કરી લેવા માટે જ છે.” સંસાર પરમ દુઃખરૂપ છે અને મોક્ષ પરમસુખરૂપ છે.” આ પ્રમાણે તત્ત્વને જાણીને ઉત્તમજનોએ મોક્ષ મેળવવા માટે તત્પર થવું. આ જીવોએ પૂર્વે અનંતા ભવો કર્યા છે, પરંતુ તે સર્વમાં આ મનુષ્યભવ સૌથી શ્રેષ્ઠ ગણાય છે કારણ કે–એ મનુષ્ય જન્મમાં સ્વર્ગ અને મોક્ષ વગેરે સુખસંપતિ મેળવી શકાય છે. કહ્યું છે કે–જીવો સંસારસમુદ્રના તટની નજીક આવે છે ત્યારે જ વિષયથી વિરતિ, સંગનો ત્યાગ, કષાયોનો નિગ્રહ, શમ, દયા, તત્ત્વાભ્યાસ, તપચારિત્રમાં ઉદ્યમ, નિયમના આગ્રહવાળી મનોવૃત્તિ, જિનેશ્વરમાં ભક્તિ અને સુશીલતા ઇત્યાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે.” જેમ મૃત્યુથી ભયભીત બનેલા હરણો ઊંચા કાન કરીને સાવધાન રહે છે, નિદ્રા લેતા નથી, તેમ સંસારથી ભય પામેલા. જ્ઞાનીઓ પાપમાત્રથી દૂર રહે છે. જો સ્વગૃહની જેમ સ્વર્ગમાં ગમન કરવાની ઇચ્છા હોય તો પ્રાણીની હિંસા કરવી નહિ, મદ્યપાન કરવું નહીં અસત્ય બોલવું નહિ, પારકું દ્રવ્ય લેવું નહિ, પરસ્ત્રીને મનથી પણ ઇચ્છવી નહીં. જેમ પવન દિપકને ઓલવી નાખે તેમ કાળે હજારો ઈન્દ્રોને અને સેંકડો ચક્રવર્તીઓને ઓલવી નાંખ્યા–અર્થાત્ મૃત્યુ પમાડ્યા. જેમ પ્રેમથી બંધુઓનો મેળાપ થાય છે તેમ ધર્મથી પ્રાણી અનેક પ્રકારના સુખોને પામે છે. વળી પ્રાણી ધર્મરૂપી નાવડી વડે વિપત્તિરૂપી નદીને તરી જાય છે. સમ્યક્ઝકારે આરાધેલો ધર્મ આ લોકમાં પણ સલ્ફળને આપે છે તો પરભવમાં આપે તેમાં તો શી નવાઈ? જેમ સુંદર શ્રેષ્ઠીનો પુત્ર પૂર્વે દુર્ગત-દરિદ્રી હતો તે પણ ધર્મારાધનથી આ ભવમાં જ દુઃખનો ક્ષય કરીને સુખી થયો. કહ્યું છે કે–“અહીં ઘણું કહેવાથી સર્યું. જો સુખને ઇચ્છતા હો તો ધર્મ કરો કે જેથી આ લોકમાં પણ સુંદર શ્રેષ્ઠીના પુત્રની જેમ સુખને પામી શકો.” જેમ તેજ વિના નક્ષત્રો શોભતા નથી તેમ ધર્મ વિના જીવ શોભતો નથી. જેમ અંધકાર વિના દિપકનું અસ્તિત્વ જણાતું નથી, ભૂખ વિના જેમ સુંદર ભોજન પણ ભાવતું નથી, તાપના સંતાપ વિના જેમ છાયા સુખકારી લાગતી નથી, તેમ પૂર્વે કરેલા પાપના વિપાક જાણ્યા વિના આ પૃથ્વી પર મનુષ્યો શ્રેષ્ઠ પુણ્યના પ્રભાવને જાણી શકતા નથી. પાપના ઉદયથી
જ્યારે સંકટ આવે છે અને પુણ્યના ઉદયથી જયારે તેનું નિવારણ થાય છે ત્યારે પાપ-પુણ્યના ફળની ખબર પડે છે. દક્ષ મનુષ્યો તો પુણ્ય-પાપના ફળ પોતે જ સમજી જાય છે. પરંતુ મુગ્ધજનોને બોધ પમાડવા માટે હેતુપૂર્વક તે વાત સમજાવવી પડે છે.”