________________
આ ગ્રંથમાં દાન, શીલ, તપ ને ભાવ-એ ચાર પ્રકારના ધર્મનું ધર્મરૂપ કલ્પવૃક્ષની ચાર શાખા તરીકે વર્ણન કરેલું છે તે ધર્મના ઉપદેશદાતા શ્રીમહાવીર પરમાત્મા છે. તેમણે ક્ષત્રિયકુંડ ગ્રામે પોતાની જન્મભૂમિએ) પધારી બાર પર્ષદા સમક્ષ એનો ઉપદેશ આપેલો છે. ચારે શાખામાં ચારે પ્રકારના ધર્મનું સ્વરૂપ કહેલ છે. તે ધર્મનું આરાધન કરનાર ચાર મહાપુરુષનાદેષ્ટાંતનો નિર્દેશ કરતાં તે દૃષ્ટાંત કહેવાની પ્રાર્થના કરનાર દાનધર્મ માટે હસ્તિપાળ રાજા, શીલધર્મ માટે નંદીવર્ધન રાજા, તપધર્મ માટે શ્રી ગૌતમસ્વામી અને ભાવધર્મ માટે શ્રી સુધર્માસ્વામી ગણધર છે. તેમની પ્રાર્થનાથી આસન ઉપકારી શ્રીપરમાત્માએ તે ચારે ધર્મઉપર ચાર કથા સવિસ્તાર પ્રરૂપેલી છે.
આ ચાર કથાની અંતર્ગત બીજી અનેક કથાઓ ઘણી અસરકારક આપવામાં આવી છે. તે અનુક્રમણિકામાં બતાવેલ હોવાથી અહીં ફરીને ઉલ્લેખ કરવામાં આવતો નથી, પરંતુ તે સર્વે કથાઓ જુદી જુદી પણ ખાસ વાંચવાલાયક છે. દરેક કથામાં મુનિરાજનો ઉપદેશ તો આવે જ છે અને તેમાં જુદા જુદા વિષય પર ઉપદેશ આપેલો છે. તે દરેક દેશનાઓ પણ ખાસ વાંચવાલાયક છે.
પ્રારંભમાં મંગલ કર્યા બાદ કર્તાએ, ધર્મનું સામાન્ય સ્વરૂપ કહીને શ્રી મહાવીર પરમાત્મા ક્ષત્રિયકુંડ ગ્રામે પધારતાં ત્યાં હસ્તિપાળ રાજા, શ્રેણિક રાજા અને નંદીવર્ધન (બંધુ) રાજા વંદન કરવા આવે છે. તેમની સમક્ષ વિશેષ પ્રકારે ધર્મનું સ્વરૂપ શ્રી વીર- પરમાત્માએ કહ્યું છે. આ પ્રમાણેના પીઠબંધ ઉપર આ ધર્મકલ્પદ્રુમની રચના અથવા ધર્મરૂપ પ્રાસાદની ઘટના કરવામાં આવી
છે.
આ ગ્રંથમાં પ્રસંગે પ્રસંગે તપોવિધાન, સ્વપ્ર સ્વરૂપ, ચક્રવર્તીની ઋદ્ધિનું વર્ણન, ભાવનાઓનું સ્વરૂપવગેરે વધારે વિસ્તારથી આપેલ છે. બુક વાંચવી શરૂ કર્યા પછી મૂકવી ગમે તેમ
નથી.
આ ભાષાંતરમાં પેલી શાખાએ પૃષ્ટ ૭૪ ને પલ્લવ ૩ રોકેલા છે, બીજી શાખાએ પૃષ્ટ ૭૫ થી ૧૩૭ને પલ્લવ બેરોકેલા છે, ત્રીજી શાખાએ પૃષ્ટ ૧૩૮ થી ૧૭૦ ને પલ્લવ એક રોકેલો છે ને ચોથી શાખાએ પૃષ્ટ ૧૭૧ થી ૧૦૮ ને પલ્લવ બે રોકેલા છે. એમ એકંદર પૃષ્ટ ૨૦૮ ને પલ્લવ ૮