________________
આ ચાર પ્રકારનો ધર્મ એવો છે કે તેમાંથી એક પ્રકારનો ધર્મ પણ આરાધ્યો છતો આ સંસારમાંથી પાર ઉતરવાને સમર્થ છે. તો પણ તે ચારમાં ભાવધર્મનું પ્રધાનપણું છે, કારણકે દાન, શીલને તપ-એ ત્રણ પ્રકારનો ધર્મભાવસહિત હોય તો જ ફળદાયક થાય છે.
આ મૂળ ગ્રંથના કર્તા આગમિક ગચ્છવાળા શ્રી ઉદયધર્મગણિ છે. તેઓ ક્યારે થયા? આ ગ્રંથ ક્યારે રચ્યો? ક્યાં રહીને રચ્યો? વગેરે હકીકત લભ્ય થઈ શકી નથી. માત્ર આ ગ્રંથના પ્રાંત ભાગે તેમણે આપેલી પ્રશસ્તિમાં જેટલું જણાવ્યું છે તેટલું જ લભ્ય છે.
આ સંબંધમાં અમે વિશેષ પ્રયાસ પણ કરી શક્યા નથી. ઐતિહાસિક વિષયના વેત્તાઓ આ સંબંધમાં વિશેષ પ્રકાશ પાડશે તો અમે માસિકદ્વારા પ્રગટ કરશું.
પ્રાંતે આ ભાષાંતરમાં મતિદોષાદિકારણથી કાંઈ પણ સ્કૂલના થઈ હોય તો તેને માટે ક્ષમા ઇચ્છી આ ટૂંકી પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે અને આ ભાષાંતરનો લાભ જેમ બને તેમવધારે જૈન બંધુઓ લે અને તેને હૃદયમાં ઉતારી આત્મહિત કરે એમઇચ્છી તેને માટે પરમાત્મા પાસે પ્રાર્થના કરવામાં આવે છે. તથાસ્તુ
દ્ધિ.શ્રાવણ શુદિ૯.
સં. ૧૯૮૪.
કુંવરજી આણંદજી. શ્રી જૈનધર્મપ્રસારક સભાના પ્રમુખ
પ્રથમવૃત્તિમાંથી સાભાર